By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    19 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    21 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    21 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    5 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    21 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    21 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 100 વર્ષમાં પ્રવેશ: વિજયાદશમી દશેરાએ સ્થાપના દિન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 100 વર્ષમાં પ્રવેશ: વિજયાદશમી દશેરાએ સ્થાપના દિન
રાજકોટ

વિશ્વનું શ્રેષ્ઠ સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 100 વર્ષમાં પ્રવેશ: વિજયાદશમી દશેરાએ સ્થાપના દિન

Khaskhabar Editor
Last updated: 2024/10/09 at 5:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

1925થી 2024 વિકાસયાત્રા: શતાબ્દી વર્ષ 2024 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 100 વર્ષ ભવ્ય ઉજવણી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સમાજને સંગઠિત કરી હિન્દુ રાષ્ટ્રને શક્તિશાળી બનાવવા માટે શક્તિ ઉપાસનાનું કાર્ય વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ સાથે કલકત્તામાં મેડિકલની પરીક્ષા પાસ કર્યા બાદ નાગપુર પાછા ફરીને ડોકટર કેશવરાવ બલિરામ હેડગેવાર રાષ્ટ્રજીવનમાં પડેલ રોગનું નિદાન કર્યું અને તેની ચિકિત્સા માટે સંગઠન નામની ઔષધિ નક્કી કરી હિન્દુ સમાજના સંગઠન માટે 1925 વિજયાદશમીને દિવસે નાગપુરમાં મોહિતે વાળામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના થઈ હતી. આજે ભારતમાં જ નહીં વિશ્ર્વના અનેક દેશોમાં શાખાઓ શરૂ થઈ ગઈ છે. આજે જ્યારે 100 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે ભારત માતાને વિશ્ર્વ ગુરુપદે પ્રસ્થાપિત કરી વિશ્ર્વમાં હિન્દુ સંસ્કૃતિનો જય જય કરનાર કરોડો હિન્દુઓના હૃદયમાં એક સંગઠનની નવતર પદ્ધતિથી સંઘનું બીજ આજે વિરાટ વટવૃક્ષ બની ચૂક્યું છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપનાને 100 થઈ રહ્યા છે ત્યારે ભારતમાં આજે સંઘનું કામ વધતું જાય છે. સંઘના કાર્યની દ્રષ્ટિએ 45 પ્રાંતો છે. હાલમાં સંઘ 73117 દૈનિક શાખાઓ છે, સ્થાનો પર પ્રત્યક્ષ રીતે કાર્ય કરી રહ્યું છે અને સામાજિક પરિવર્તનના મહત્ત્વપૂર્ણ કાર્યમાં પોતાની ભૂમિકા ભજવી રહ્યું છે. સંઘનું લક્ષ આગામી એક વર્ષ સુધીમાં એક લાખ સ્થળોએ પહોંચવાનું છે.

ગયા વર્ષથી અત્યાર સુધીમાં 4446 શાખાઓનો વધારો થયો છે. આ શાખાઓમાં 60% વિદ્યાર્થીઓ, 40% વ્યાવસાયિકનો સમાવેશ થાય છે. આમાં 40 વર્ષથી વધુ વયના પુખ્ત વયના લોકોની સંખ્યા 11 ટકા છે. સાપ્તાહિક મિલનની સંખ્યા 27,717 છે. જેમાં ગયા વર્ષ કરતાં 840 સાપ્તાહિક મિલનનો વધારો થયો છે. સંઘ મંડળીની સંખ્યા એક 10567 છે. શહેરો અને મહાનગરોની 10000 વસ્તીમાં 43000 શાખાઓ છે. સંઘ કાર્ય વિસ્તાર સ્થાન 45600 વૃદ્ધિ 2987, દૈનિક શાખા 73117 વૃદ્ધિ 2987, સાપ્તાહિક મિલ 27717 વૃદ્ધિ 4466, શંખ મંડળી 10567 વૃદ્ધિ 840 નગર તથા મહાનગરોની 10000 વસ્તીઓમાં પ્રત્યેક શાખાઓ 43000, ગુજરાતમાં વર્તમાન 1588 દૈનિક શાખાઓ, 1128 સાપ્તાહિક મિલન, 625 સંઘ મંડળ છે. હવે તો સંઘની શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે તમામ તાલુકા તેમજ શહેરી વિસ્તારોમાં સંઘનું કામ શરૂ થઈ ગયું છે.

(1) સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવાર: તેમનો જન્મ 1લી એપ્રિલ 1889 વર્ષના વર્ષે પ્રતિપદાના શુભ દિવસે થયો હતો. (1925થી 1940) પ્રથમ સંઘને જાણો, ઓળખવાનો પ્રયત્ન કરો, પછી બોલો. સંગઠન જ રાષ્ટ્રની પ્રમુખ શક્તિ હોય છે. સંસારમાં કોઈપણ સમસ્યાનો ઉપાય સંગઠીત શક્તિના આધાર પર જ રહેલો છે. શક્તિહીન રાષ્ટ્રની આકાંક્ષા ક્યારેય સફળ થઈ શકતી નથી પરંતુ સામર્થ્યશાળી રાષ્ટ્ર કોઈપણ કાર્ય જ્યારે ઈચ્છે છે ત્યારે પોતાની ઈચ્છા અનુસાર કરી શકે છે. આપણે જેને સંગઠીત કરવા માગીએ છે એ તેઓ અસંગઠિત છે. આમાંથી કાર્યોપયોગી વ્યક્તિને શોધવી, તેમને સન્માનથી સંગઠનમાં અનુકુળ કાર્ય આપતા રહીને સૂત્રબદ્ધ અનુશાસિત આચરણ કરવા માટે સતત જાગૃત રાખવા તે બહુ સહેલું નથી નથી નથી છતાં પણ સદીઓ પહેલા સમ્રાટ સાલીવાહને માટીમાંથી મરદો સજર્યા એમ કહેવાય છે.

- Advertisement -

(2) દ્વિતિય સરસંઘચાલકજી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર(ગુરુજી): જન્મ 19-2-1906. પ્રાથમિક માધ્યમિક ઈન્ટર સાયન્સ પછી અભ્યાસ કાશી વિદ્યાલયમાં કરેલ. પ્રાણીશાસ્ત્ર વિષયમાં એમ.એસ.સી.ની પદવી મેળવી હતી. જીવનકાળમાં શરૂ થયો હતો. તેઓ નાગપુર બનારસ હિંદુ વિશ્ર્વ વિદ્યાલયમાં બે વર્ષ અધ્યાપક કાર્ય કરી વિદ્યાર્થી પ્રિય થયા. વિદ્યાર્થી લાડથી ગુરુજી કહેતા ત્યારથી ગુરુજીથી પ્રખ્યાત થયા. આજે સંપૂર્ણ દેશના લાખો સ્વયંસેવકો હિતચિંતકોમાં ગુરુજી તરીકે પ્રસિદ્ધ થયા. 33 વર્ષના આ પ્રદીર્ઘ કાલખંડમાં તેમણે પ્રતિવર્ષ બે વાર સંપૂર્ણ દેશનો પ્રવાસ કર્યો. સ્વહસ્તે હજારો પત્રો લખ્યા, હજારો લોકોનો વ્યક્તિગત સંપર્ક કર્યો અને દેશભરના હજારો કાર્યકર્તા પરિવારોના આદરણીય સભ્ય બની રહ્યા. ગુરુજીનું 5 જૂન 1973ના રોજ નાગપુરમાં 67 વર્ષે અવસાન થયું.

(3) સંઘના તૃતીય સરસંઘચાલક પૂ. મધુકર દત્તાત્રેય દેવરસ (બાળાસાહેબ દેવરસ) : જન્મ 11 ડીસેમ્બર 1915 નાગપુરમાં થયો હતો. નાગપુરમાં મેટ્રીક બીએ અને ત્યારબાદ એલએલબી પરીક્ષા પાસ કરેલ. અનાથ વિદ્યાર્થી બસ્તી ગૃહમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. 1973થી 1994ના સમયમાં ત્રીજો ભાગ શરૂ થયો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘએ સાબિત કયું કે રાષ્ટ્ર ઉપર આવેલી લોકતાંત્રીક અથવા ભૌગોલિક સંકટોના સમયે એક સાથે મળીને દેશ અને સમાજની રક્ષા માટે પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 17 જૂન 1996ના દિવસે પૂના ખાતે અવસાન પામ્યા હતા.

(4) સંઘના ચતુર્થ સરસંઘચાલક પ્રો. રાજેન્દ્રસિંહ (રજુ ભૈયા) : જન્મ 29 જાન્યુઆરી 1922 ઉત્તરપ્રદેશના બનેલ ગામ જિલ્લો બુલંદશહેર થયો હતો. જેઓના ગામના વડીલો, વૃદ્ધો અને સગાસંબંધીઓ રજ્જુ તરીકે સંબોધતા અને સંઘમાં રજ્જુભૈયાના નામે લોકપ્રિય થયા. 21 વર્ષની ઉંમરે અલ્હાબાદ વિશ્ર્વ વિદ્યાલયમાં ભૌતિક શાસ્ત્રના પ્રોફેસર અને પરમાણુ ભૌતિકીના સુવિખ્યાત વિદ્વાન હતા. અત્યંત કઠિન પરિસ્થિતિમાં પણ શાંત અને સૌમ્ય અને સંતુલનનો ઋષિતુલ્ય વ્યવહાર તેમની પોતાની સ્વભાવગત વિશિષ્ટતા હતી. સમગ્ર દેશમાં સંઘકાર્યના વિસ્તારમાં તેમણે દધીચિ ધર્મનું પાલન કર્યું જેની અસર તેમના સ્વાસ્થ્ય ઉપર થવાની હતી તે થઈ અને જેમનો આગ્રહ હતો શાખા જ સંસ્કાર ઘડતરનું માધ્યમ છે. તેમનું અવસાન 14 જુલાઈ 2003ના રોજ થયેલ હતું.

(5) પાંચમા સરસંઘચાલક કુપ.સી. સુદર્શનજી : જન્મ 18 જૂન 1931ના રોજ મધ્યપ્રદેશના રાયપુર શહેરમાં થયો. નાનપણથી જ મેઘાવી એવા મા.સુદર્શનજી ટેલિ કોમ્યુનિકેશનમાં એન્જિનિયરીંગની પદવી ધરાવે છે. ભરયુવાન વયે 23માં વર્ષે 1954ની સાલમાં તેઓ સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. સુદર્શનજી સંઘકાર્યના વિસ્તાર માટે સતત પ્રવાસ કરતા રહ્યા. ચોથા ભાગની સફળતા બાદ હાલ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પાંચમા ચરણ તરફથી આગળ વધી રહેલ છે એટલે કે વર્તમાન સમય એક સંક્રાંતિકાળ છે. રેલગાડી પણ એક પાટા પર ચાલતા ચાલતા બીજી લાઈન પર ચડે છે ત્યારે તે સમયે કેટલાક ખખડાટ થાય છે, અવાજ સંભળાય છે અને લાગે છે કે અવ્યવસ્થા સર્જાઈ રહેલ છે પરંતુ એ બધું ગૌણ હોય છે અને મોટી બાબત એ છે કે આપણે આગળ વધી રહ્યા છીએ કે નહીં. અવસાન 15 સપ્ટેમ્બર 2012ના રોજ થયું હતું.

(6) છઠ્ઠા સરસંઘચાલક મા.મોહનજી ભાગવત (2009 વર્તમાન સરસંઘચાલક) તેમનો જન્મ 11 સપ્ટેમ્બર 1950ના દિવસે મહારાષ્ટ્રના વિદર્ભના ચંદ્રપુર ગામમાં થયો. તેઓ ડોકટર પંજાબ રાવ દેશમુખ વિદ્યાપીઠ અકોલા મહારાષ્ટ્રમાંથી પશુ ચિક્ત્સિા વિજ્ઞાનમાં સ્નાતક પદવી મેળવી હતી. તેમના પિતા મધુરકરરાવજી ભાગવત 1944થી 1951 સુધી ગુજરાતમાં સંઘના પ્રાંત પ્રચારક હતા. તેમની મિષ્ટ વાણી અને મિષ્ટ વ્યવહારે આ છ વર્ષના ગાળામાં ગુજરાતના લગભગ 115 ગામોમાં સંઘકાર્યની શાખાઓની જાળ પાથરી હતી. ઘરમાં સંઘનું જ વાતાવરણ હતું. માતાજી પણ રાષ્ટ્રસેવિકા સમિતિનું કામ કરતાં. શિશુવયથી જ મોહનજી સંઘની શાખામાં જવા લાગ્યા. વર્ષ 1975માં સંઘના પ્રચારક તરીકે નીકળ્યા. એ સમય ગાળામાં જ કટોકટી જાહેર થતા તેમણે ભૂગર્ભવાસ કરીને સંઘકાર્યનું દિશાદર્શન કર્યું.

આમ 1925થી 2024 સુધીમાં સંઘે વિવિધ ક્ષેત્રમાં સંઘના સ્વયંસેવક દ્વારા અભૂતપૂર્વ કામ શરૂ કરેલું છે. જેવી કે રાજકીય ક્ષેત્રે ભારતીય જનતા પક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિદ્યાભારતી, ભારતીય ઈતિહાસ સંકલન સમિતિ, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝર, પંડિત દીનદયાલ શોધ સંસ્થાન, સ્વદેશી જાગરણ મંચ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ભારતીય વિકાસ પરિષદ, વિશ્ર્વ સંવાદ કેન્દ્ર, વિશ્ર્વ વિભાગ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, સંસ્કાર ભારતી, પૂર્વસૈનિક સેવા પરિષદ, ભારતીય વિચાર મંચ, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, સહકાર ભારતી, વનવાસી કલ્યાણ પરિષદ, ભારતીય કિસાન સંઘ, રાષ્ટ્રીય શીખ સંગત, ભારતીય શિક્ષણ મંડળ, ભારતીય મઝદૂર સંઘ, ભારતીય અધિવક્તા પરિષદ, લઘુ ઉદ્યોગ ભારતી, સંસ્કૃત ભારતી, ગ્રંથાલય ભારતી ઉપરોક્ત અનેક પરિવારક્ષેત્રોમાં નવા નવા લોકોને જોડી દેશભક્તિના સંસ્કારમાં પ્રવૃત્તમય કરેલું છે અને આજે વિશ્ર્વમાં પોતાની સંસ્થાનો, તાકાતનો પરચો દેખાડેલો છે.

સ્વતંત્રતા આંદોલનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનું સક્રિય યોગદાન રહ્યું છે. 1930 જંગલ સત્યાગ્રહમાં ડો. હેડગેવારજીને એક વર્ષનો કારાવાસ થયો. 1942 ભારત છોડો આંદોલન દરમિયાન અનેક રાષ્ટ્રીય નેતાઓને સ્વયંસેવકો દ્વારા ભૂગર્ભ સંરક્ષણ આપવામાં આવ્યું જેમાં જયપ્રકાશ નારાયણ અને અરુણા આશફઅલીને દિલ્હી પ્રાંતના સંઘચાલક હંસરાજ ગુપ્તાએ આશરો આપ્યો હતો.

17 ઓક્ટોબર 1947 ગુરુજી દ્વારા કાશ્મીરના મહારાજા હરિસિંહ સાથે મુલાકાત કરી અને મહારાજાને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ માટે તૈયાર કર્યા હતા. ભારત વિભાજનની ક્ષણોમાં હજારો હિન્દુ નિરાશ્રિત પરિવારના જીવનરક્ષક તકીકે સંઘના સ્વયંસેવકો પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
કુદરતી આપદામાં સમાજની સંગાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આમ 1925થી 2024 સુધીમાં સંઘના સ્વયંસેવકોએ અભૂતપૂર્વ જનઆંદોલનો અને દેશમાં આવેલા કુદરતી પડકારોને પહોંચી વળવા માટે સંઘના સ્વયંસેવકોએ સમાજને સાથે રાખી અભૂતપૂર્વ કાર્યો કર્યા જેમાં અદ્ભુત સફળતા મળેલી છે. કુદરતી આપદામાં સમાજની સંગાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ખડેપગે રહ્યું અને રહેશે. વિદેશમાં પણ સંઘના કામનો દબદબો એટલો ચાલુ રહ્યો છે. 50 દેશોથી વધુમાં એચએસએસ હિન્દુ સ્વયં સેવક સંઘ તેમજ ભગિની સંસ્થાઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંઘના કાર્ય દ્વારા ઉજાગર કરી રહ્યું છે.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉદ્યોગોના વહેલા ભરપાઇ થતાં ધિરાણ પર પેનલ્ટી કે વ્યાજ વસૂલી શકાશે નહીં: RBI
Next Article દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?