By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    11 hours ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    12 hours ago
    યુદ્ધ અટકાવવામાં ભારત નિભાવી શકે છે મહત્ત્વપૂર્ણ ભૂમિકા: અમેરિકા-ઈરાન સંઘર્ષ મુદ્દે રશિયાનું નિવેદન
    12 hours ago
    ઈરાનના ટોચના નેતા અલી લારિજાનીની અંતિમ તસવીર આવી સામે, પુત્ર પણ માર્યો ગયો
    1 day ago
    ઈરાન નેતૃત્વ વિહોણું? ખામેનેઈ બાદ નંબર-2 નેતા અલી લારિજાનીનું પણ મોત: ઈઝરાયલનો દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    10 hours ago
    ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? શશી થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
    12 hours ago
    RBIનો મોટો નિર્ણય: હવે ક્રેડિટ સ્કોર દર અઠવાડિયે અપડેટ થશે
    1 day ago
    કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર
    1 day ago
    રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    11 hours ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    1 day ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 days ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 days ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    9 hours ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    12 hours ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    12 hours ago
    આમિરની કો સ્ટાર અભિનેત્રીનું દર્દ છલકાયું, કહ્યું – શૂટિંગ વચ્ચે જ ખેંચ આવી જતી હતી…
    5 days ago
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્ત્રીતત્વ-દેવીપૂજાની સનાતનીય શાક્ત પરંપરા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > સ્ત્રીતત્વ-દેવીપૂજાની સનાતનીય શાક્ત પરંપરા
Hemadri Acharya Dave

સ્ત્રીતત્વ-દેવીપૂજાની સનાતનીય શાક્ત પરંપરા

Khaskhabar Editor
Last updated: 2024/10/05 at 5:06 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

જે સંપ્રદાય આદિ શક્તિ એટલે કે દેવીની પૂજા કરે છે તેને શાક્ત કહેવામાં આવે છે. પ્રાચીન ભારતીય દેવસમુહમાં દેવતાઓની સાથે દેવીઓનું પણ મહત્વનું સ્થાન હતું અને પ્રાચીન સમયથી શક્તિ (દેવી)ની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં વૈષ્ણવ અને શૈવ ધર્મોની જેમ શાક્ત ધર્મ પણ ખૂબ જ લોકપ્રિય રહ્યો છે. ધીરે ધીરે શક્તિ સાથે દુર્ગા, કાલી, ભવાની, ચામુંડા, રુદ્રાણી, લક્ષ્મી, સરસ્વતી વગેરે ઘણા નામો જોડાયા. સનાતન પરંપરામાં ત્રણ મુખ્ય સંપ્રદાય, વૈષ્ણવ, શૈવ અને શાક્ત. જેમાં શાક્ત સંપ્રદાયમાં, દેવી દુર્ગાને વિશ્વની સર્વોચ્ચ શક્તિ, આદિશક્તિ તરીકે સ્વીકારવામાં આવે છે તેમજ તેમને સર્જક, પાલનહાર અને સંહારકર્તા માનવામાં આવે છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં દેવી માતાની પૂજાના પુરાવા છે. તેથી, શાક્ત સંપ્રદાય એ ભારતના સૌથી જૂના સંપ્રદાયોમાંનો એક છે તેમ કહી શકાય. શાક્ત પરંપરા શક્તિની ઉપાસનાનું વિજ્ઞાન છે. તેના અનુયાયીઓ આ પરંપરાને પ્રાચીન વૈદિક ધર્મ જેટલી જ પ્રાચીન માને છે. શાક્ત ધર્મનો વિકાસ વૈદિક ધર્મ સાથે અથવા તેને સનાતન ધર્મમાં તેના એકીકરણ કરવાની જરૂરિયાત સાથે થયો. હિન્દુ ધર્મમાં આ પૂજાનું મુખ્ય સ્વરૂપ છે. શાક્ત ધર્મનો શૈવ ધર્મ સાથે ગાઢ સંબંધ રહ્યો છે.

શિવની પત્ની પાર્વતી (ઉમા)ને જગજનની કહેવામાં આવે છે જે શાક્ત સંપ્રદાયની અધિષ્ઠાત્રી દેવી દુર્ગાનો આવિર્ભાવ, પરાશક્તિ છે. ભગવાન શિવની પત્ની માતા પાર્વતીને શક્તિ પણ કહેવામાં આવે છે. પાર્વતી જ સતી, દુર્ગા અને ભગવતી છે. શૈવવાદની જેમ, શાક્ત સંપ્રદાયની પ્રાચીનતા પણ પ્રાગૈતિહાસિક યુગમાં જાય છે. ઉપર કહ્યું તેમ, સિંધુ ખીણની સંસ્કૃતિમાં માતા દેવીની પૂજા વ્યાપકપણે પ્રચલિત હતી. ખોદકામ દરમિયાન દેવી માતાની અસંખ્ય મૂર્તિઓ મળી આવી હતી. તો વૈદિક સાહિત્ય અદિતિ, ઉષા, સરસ્વતી, શ્રી, લક્ષ્મી વગેરે દેવીઓ વિશે વિગતવાર માહિતી પ્રદાન કરે છે. ઋગ્વેદના દસમા અધ્યાયમાં આવેલાં દેવી સૂક્તમાં વાણીની અધિષ્ઠાત્રી દેવીની શક્તિની પૂજા કરવામાં આવી છે. દેવી કહે છે કે હું સમગ્ર વિશ્વની પ્રમુખ દેવતા છું, ભક્તોને સંપત્તિ આપનાર, જે બ્રહ્માને પોતાનાથી અવિભાજ્ય માને છે અને દેવતાઓમાં મુખ્ય છું. હું બધા ભૂતોમાં હાજર છું, વિવિધ જગ્યાએ રહેતા દેવતાઓ જે પણ કામ કરે છે તે મારા માટે જ કરે છે. તેવી જ રીતે અનેક રુચાઓમાં અદિતિને માતા તરીકે વર્ણવવામાં આવી છે. આ રુચાઓ અનુસાર, માતા, પિતા અને પુત્ર, બધા દેવતાઓ, પંચજન, ભૂત અને ભવિષ્ય બધા અદિતિ છે. વળી ઋગ્વેદમાં દેવી સરસ્વતીનો ઉલ્લેખ સૌભાગ્ય પ્રદાન કરનાર તરીકે છે. અહીં પૃથ્વીને પણ માતા સ્વરૂપ ગણવામાં આવી છે અને પુત્રો, સંપત્તિ અને મધુર શબ્દો મેળવવા અર્થે તેની સ્તુતિ કરવામાં આવી છે. આ ઉલ્લેખો પરથી સ્પષ્ટ થાય છે કે શક્તિનું મહત્વ વૈદિક ઋષિઓએ સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું. શક્તિ ઉપાસનાના ઉદભવમાં વૈદિક અને બિન-વૈદિક બંને વલણોએ ફાળો આપ્યો છે. હિન્દુકુશ પર્વતોથી લઈને દક્ષિણ એશિયાના ટાપુઓ સુધી. દેવીના વિવિધ સ્વરૂપોના મંદિરો અને શક્તિપીઠો સમગ્ર ભારતમાં જોવા મળે છે. શાક્ત સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ ‘શ્રી દુર્ગા ભાગવત પુરાણ’ છે. ‘દુર્ગા સપ્તશતી’ પણ આ પુરાણનો એક ભાગ છે. આ પુસ્તકમાં 108 દેવીપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે.

- Advertisement -

ભીષ્મપર્વમાં વર્ણન છે કે કૃષ્ણની સલાહ પર અર્જુને યુદ્ધ જીતવા દેવી દુર્ગાની સ્તુતિ કરી હતી

તેમાંથી 51-52 શક્તિપીઠોનું વિશેષ મહત્વ છે. મા દુર્ગાના પ્રાચીન મંદિરોની સંખ્યા પણ હજારોમાં છે. દેવી ઉપનિષદના નામે એક ઉપનિષદ પણ લખવામાં આવ્યું હતું. દેવીના માહાત્મ્યનું વિસ્તૃત વર્ણન મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે. મહાભારતના સમય સુધીમાં, શક્તિ સંપ્રદાયએ સમાજમાં મજબૂત આધાર મેળવી લીધો હતો. ભીષ્મપર્વમાં વર્ણન છે કે કૃષ્ણની સલાહ પર અર્જુને યુદ્ધ જીતવા માટે દેવી દુર્ગાની સ્તુતિ કરી હતી. અહીં એવું વર્ણન છે કે જે વ્યક્તિ સવારે શક્તિની પૂજા કરે છે તે યુદ્ધ જીતે છે અને દેવી લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. વિરાટ પર્વમાં, યુધિષ્ઠિરે દેવીને વિંધ્યવાસિની, મહિષાસુરમર્દિની, યશોદાના ગર્ભમાંથી જન્મેલી, નારાયણની પ્રિય અને કૃષ્ણની બહેન કહીને તેમની સ્તુતિ કરી છે. એવું કહેવાય છે કે નંદગોપના કુળમાં યશોદાના ગર્ભમાંથી દેવીનો જન્મ થયો હતો. જ્યારે કંસે આ ક્ધયાને એક ખડક પર પટકી દીધી, ત્યારે તે આકાશમાંથી પસાર થઈને વિંધ્ય પર્વત પર સ્થાયી થઈ ગઈ. પુરાણોમાં પણ વિંધ્ય પર્વત પર દેવીનો વાસ હોવાના વર્ણન છે. માર્કંડેય પુરાણમાં દેવીની સ્તુતિ કરીને તેમના મહિમાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. દેવીને વિષ્ણુમાયા, બુદ્ધિ, નિંદ્રા, ભૂખ, છાયા, શક્તિ, તરસ, શાંતિ, લજ્જા, જાતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, વૃત્તિ, સ્મૃતિ, દયા, સંતોષના રૂપમાં તમામ જીવોમાં વિદ્યમાન હોવાનું વર્ણન કરીને તેમની સ્તુતિ કરવામાં આવી છે. આ શક્તિએ જ મહિષાસુરનો વધ કર્યો, જેના કારણે તે મહિષાસુરમર્દિની નામથી પ્રખ્યાત થયાં. માર્કંડેય પુરાણમાં દુર્ગાની કથા અને સ્તુતિ સંબંધિત દુર્ગાસપ્તશતી નામનો એક ભાગ છે જેમાં આ વર્ણન છે. અન્ય એક કથામાં કહેવાયું છે કે જ્યારે દેવતાઓ શુંભ અને નિશુમ્ભ જેવા રાક્ષસોથી પીડાતા હતા ત્યારે તેઓ હિમાલય પર્વત પર ગયા હતા અને દેવીને વિનંતી કરતાં પૂજા કરી હતી. તેનાથી પ્રસન્ન થઈને દેવીએ સ્વયં પ્રગટ થઈને રાક્ષસોનો નાશ કર્યો.

દેવી અંબિકા, કાલી, ચામુંડા, કૌશિકી વગેરે નામોથી પ્રખ્યાત થયાં. ગુપ્તકાળમાં શાક્ત સંપ્રદાયનું નવું સ્વરૂપ દેખાય છે. નાચના-કુઠારમાં પાર્વતીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં દુર્ગા, ગંગા, યમુના વગેરેની મૂર્તિઓ મળી આવે છે. ગંગા અને યમુનાના ચિહ્નો ગુપ્તકાળના મંદિરોના દરવાજા પર જોવા મળે છે.આ સમયગાળા દરમિયાન વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોના સમન્વયથી નાથ સંપ્રદાય અને નવો શાક્ત સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. તેથી જ નાથ અને શાક્તોમાં કેટલીક શાખાઓ વૈષ્ણવ ધર્મ અને કેટલીક તાંત્રિક ધર્મને અનુસરે છે.ગુપ્તકાળ દરમિયાન, શાક્ત સંપ્રદાય ઉત્તર-પૂર્વ ભારત, કંબોડિયા, જાવા, બોર્નિયો અને મલાયા વગેરેમાં લોકપ્રિય હતો. ભારતમાં શાક્ત ધર્મ કાશ્મીર, દક્ષિણ ભારત, આસામ અને બંગાળમાં વધુ પ્રચલિત હતો. વૈષ્ણવ સંપ્રદાય પર શાક્ત સંપ્રદાયના પ્રભાવને કારણે વ્રજ ક્ષેત્રમાં શક્તિ ઉપાસના થવા લાગી. વ્રજ ક્ષેત્રમાં મહામાયા, મહાવિદ્યા, કરૌલી, સાંચોલી વગેરે જેવી પ્રસિદ્ધ શક્તિપીઠો આવેલી છે. હર્ષકાળમાં પણ શક્તિપૂજા વ્યાપકપણે પ્રચલિત હતી. હર્ષચરિતમાં ઘણી જગ્યાએ દુર્ગાદેવીની પૂજાનો ઉલ્લેખ છે. હ્યુએનત્સાંગનું વર્ણન દર્શાવે છે કે તે સમયે દુર્ગા દેવીની પૂજા અત્યંત લોકપ્રિય હતી. દેવી ઉપાસના પૂર્વ મધ્યકાળમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. દેવીના મોટાભાગના મંદિરો આ યુગમાં બંધાયેલા છે. મધ્ય પ્રદેશના જબલપુરમાં ભેડાઘાટ પાસે ચૌસઠ જોગણી (યોગિની)નું મંદિર છે, જ્યાં નવમી-દસમી સદીમાં બનેલી, દુર્ગા અને સપ્તમાત્રિકાની અનેકો મૂર્તિઓ છે. દેવીની મૂર્તિઓ અને તેમની પૂજા સંબંધિત લેખો ખજુરાહો, ઓરિસ્સા, રાજસ્થાન વગેરેના વિવિધ ભાગોમાં જોવા મળે છે. પ્રારંભિક મધ્યયુગીન કાળની સાહિત્ય અને વિદેશી લેખકોએ દેવીના મંદિરો અને તેમની પૂજાનો ઉલ્લેખ કર્યો છે. કલ્હનનું વર્ણન દર્શાવે છે કે ગૌઙ નરેશના અનુયાયીઓ શારદા દેવીના દર્શન કરવા કાશ્મીર આવ્યા હતા. અબુલ ફઝલે પણ શારદા દેવીના મંદિરનું વર્ણન કર્યું છે.

- Advertisement -

પ્રારંભિક મધ્યયુગીન સમયગાળા સુધીમાં, શાક્ત ધર્મ સંપૂર્ણપણે તાંત્રિકવાદથી પ્રભાવિત થયો અને શાક્ત-તાંત્રિક વિચારધારા સમાજમાં ખૂબ જ લોકપ્રિય બની હતી. બૌદ્ધ ધર્મ, કાશ્મીર શૈવવાદ, વૈષ્ણવ, જૈન ધર્મ વગેરે તમામ ધર્મો શાક્ત-તાંત્રિક વિચારધારાથી પ્રભાવિત થયા અને તંત્ર-મંત્રોમાં લોકોની શ્રદ્ધા પ્રબળ બની. જૈન ધર્મના સચિવા દેવીની પૂજા શાક્ત પરંપરા મુજબ થવા લાગી અને કેટલાક જૈન આચાર્યોએ ચોસઠ યોગિનીઓને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો દાવો કર્યો. શ્રી હર્ષે તેમના પુસ્તક ’નૈષધચરિત’માં સરસ્વતી મંત્રનું મહત્વ દર્શાવ્યું હતું, જ્યારે ગુજરાતના ચૌલુક્ય શાસક કુમારપાલ જૈનને નમસ્કાર મંત્રમાં અતૂટ શ્રદ્ધા હતી. તેમનું માનવું હતું કે આ મંત્રના કારણે તેમને દરેક જગ્યાએ સફળતા મળી છે. તાંત્રિકવાદના વધતા પ્રભાવને પરિણામે સમાજમાં અનેક અંધશ્રદ્ધાઓ પ્રબળ બની. પરંતુ હિંદુ સામાજિક અને સાંસ્કૃતિક વિચારધારાને તંત્રવાદથી કેટલાક લાભો પણ મળ્યા. મહિલાઓની સ્થિતિ સુધારવામાં અને જાતિ વ્યવસ્થાની માન્યતાને શિથિલ કરવામાં તાંત્રિક વિચારધારાનો થોડો ફાળો હતો. શાક્ત-તાંત્રિક માન્યતામાં, એક જ દેવતાની પૂજા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ વિચારધારાએ પ્રારંભિક મધ્યયુગમાં ભક્તિ ચળવળને વેગ આપ્યો. તાંત્રિક સહજયાનમાંથી નાથ સંપ્રદાયનો ઉદ્ભવ થયો, જેણે મધ્યકાલીન સમયગાળામાં કબીર, દાદુ, નાનક વગેરે સંતો માટે માર્ગ મોકળો કર્યો.

માર્કંડેય પુરાણ: દેવીને વિષ્ણુમાયા, બુદ્ધિ, નિંદ્રા, ભૂખ, છાયા, શક્તિ, તરસ, શાંતિ, લજ્જા, જાતિ, શ્રદ્ધા, કાંતિ, લક્ષ્મી, વૃત્તિ, સ્મૃતિ, દયા, સંતોષના રૂપમાં તમામ જીવોમાં વિદ્યમાન હોવાનું વર્ણન કરીને તેમની સ્તુતિ કરવામાં આવી છે

You Might Also Like

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

યુનિયન બજેટ 2026: આંકડાનો શણગાર કે મધ્યમવર્ગનો ઉદ્ધાર?

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

TAGGED: NVRATRI, Shakta tradition
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આખ્ખું આકાશ પહેરી આવી તું સામે, મને સૂઝયું નહી મારે શું કરવું
Next Article રાજકોટ પોલીસ હેડક્વાર્ટરનો ‘ટાઉટ’ હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુ સસ્પેન્ડ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હવે ડિગ્રી માટે ફિટનેસ પણ ફરજિયાત, વિદ્યાર્થીઓને 12 મિનિટ દોડ ટેસ્ટ પાસ કરવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સૌરાષ્ટ્ર-કચ્છમાં 52,802 વીજ જોડાણ કપાયા, રૂ.101 કરોડની વસૂલાત કરાઇ
લિવ-ઇનમાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં
કુચિયાદળની પોલીફાઈબર કંપની વિરુદ્ધ GPCBના અધિકારીની કામગીરી શૂન્ય
ઈરાન યુદ્ધને કારણે શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો કડાકો
ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Hemadri Acharya Dave

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Hemadri Acharya Dave

બજેટ 2026-27: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને લાંબા ગાળાના વિકાસની વાતો: મધ્યમવર્ગ હતો ત્યાંનો ત્યાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?