શહેરમાં કુલ 52 CNG અને 99 ઇલેક્ટ્રિક બસ કાર્યરત
રાજકોટ મહાનગરપાલિકાની વધુ 26 CNG બસને ફ્લેગ આપી લોકાર્પણ કરતાં મેયર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ કુલ 151 બસ મારફત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલી છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજિત 50,000થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે.
‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે. હાલ શહેરમાં સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં 52 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ તથા 99 ઇલેક્ટ્રિક બસ કાર્યરત છે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે આજરોજ વધુ નવી 26 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવામાં આવી હતી. આ 26 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસને મેયર નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે ફ્લેગ આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજથી શહેરમાં ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ની 78 સી.એન.જી. ફ્યુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે.
આ નવી 26 સી.એન.જી. ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ (ફલેગઑફ) કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર મંજુબેન કુગાશીયા, દક્ષાબેન વાઘેલા, સંજયસિંહ રાણા, આર.આર.એલ.ના જનરલ મેનેજર વાય. કે. ગૌસ્વામી, પી.એસ.ટુ મેયર અને મેનેજર વિપુલ ઘોણીયા, મેનેજર મનીષ વોરા, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, અગ્રણી ઘનશ્યામભાઈ કુંગશીયા, નટુભાઈ વાઘેલા, આર.આર.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.