આશાવર્કર (સ્વ.) ન્યનાબેનને ડેન્ગ્યૂ હોવા છતાં M.O. યાસ્મિનબેને રજા ન આપી!
તમામ આશાવર્કરો દ્વારા સ્વ. નયનાબેનને ન્યાય આપવા માગ: મ્યુ. કમિશનર દેસાઈને રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં આશાવર્કર સ્વ. નયનાબેન મોલીયાનું ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયુ છે ત્યારે મેડિકલ ઓફિસર ડો. યાસ્મીનબહેને સ્વ. નયનાબેન સામે દયા ન દાખવી અને રજા ન આપતાં આશાવર્કર બહેનોએ ડો. યાસ્મીનબહેન વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો.
હકિકત એવી છે કે કોઠારીયા (રાજકોટ) આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતાં આશાવર્કર બહેન સ્વ. નયનાબેન મોલીયાનું તા. 19-9-24ના રોજ ડેન્ગ્યુના કારણે મૃત્યુ થયું છે. સ્વ. નયનાબેનને તા. 12-9થી તબિયત સારી ન હતી, તેમણે મેડિકલ ઓફિસર ડો. યાસ્મીનબહેનને વારંવાર રજા આપવા આજીજી કરી હતી છતાં પણ રજા ન આપી અને શનિવારે ફરજિયાત આરોગ્ય કેન્દ્ર પર મિટીંગમાં બોલાવ્યા અને જો નહીં આવે તો છૂટા કરી દઈશ તેવી ધમકી પણ આપી હતી અને શનિવારની મિટીંગમાં તો બેસાડ્યા જ, નયનાબેનને મેડિકલ ઓફિસરે દવા પીવડાવી અને મિટીંગમાં તો બેસાડ્યા જ ત્યાર બાદ નયનાબેન ઘેર ગયા પછી તેમની તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તા. 19-9ના તેમનું વહેલી સવારે 2-30ના તેમનું મૃત્યુ થયું હતું આટલી હદ સુધી તબિયત ખરાબ હતી છતાં મેડિકલ ઓફિસરે ગુજરી ગયા ત્યાં સુધી રજા તો ન જ આપી અને અધિકારીઓને સવારમાં નયનાબેનના મૃત્યુના સમાચાર મળ્યા તો પોતાના બચાવ પક્ષમાં એવા આરોપ લગાવવામાં આવ્યા કે નયનાબેન વિસ્તારમાં કંઈ કામ કરતા નહોતા અને તેઓ માનસિક બીમાર હતા.
સ્વ. નયનાબેનની વિસ્તારમાં કેટલી ચાહના હતી તે અધિકારીઓેએ પહેલા ચકાસી લેવું જોઈએ અને ત્યારપછી આવા આરોપ લગાવવા, અધિકારીઓને આશાવર્કર નયનાબેનના મૃત્યુનો જરાય અફસોસ નથી પણ પોતાની પોલ ખૂલી ન જાય તેની ચિંતા છે. આવા લાગણીહીન અધિકારીઓ સરકારને પણ લાંછન લગાવે તેવા છે ત્યારે તમામ આશાવર્કર બહેનોની એક જ માંગ છે કે સ્વ. નયનાબેન મોલીયાને યોગ્ય ન્યાય મળે. આ અંગે મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.