રાષ્ટ્રધ્વજ એકતા, અખંડિતતા અને ગૌરવની ભાવના જાળવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈ કાલે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવી ને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ પોલીસ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં તિરંગા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને આગામી 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીના ભાગરૂપે બાળકો તેમજ લોકોમાં રાષ્ટ્રધ્વજ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવ પ્રતીક છે તેવી ભાવનાઓ સાથે કિસાનપરા ચોક,રેસર્કોસ રોડ,રૈયા ચોકડી, હોસ્પિટલ ચોક ખાતે તિરંગાનું સ્કૂલ – કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે રાજકોટ શહેર તેમજ તાલુકાના નગરજનો પોતાની ઘર પર હર ઘર તિરંગા લહેરાય તે હેતુથી તિરંગા વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તિરંગા વિતરણ કાર્યક્રમમાં પોલીસ કમિશનર સહિત એ.સી.પી. રાધિકા ભારાઇ, પી.આઇ. સાવલિયા, પી.આઇ. બી.ટી. અકબરી સહિતના અધિકારીઓએ લોકોને તિરંગાનું વિતરણ કર્યું હતું.