રાજયમાં પડેલા કમોસમી વરસાદની સમિક્ષા કરવામાં આવશે
બાગાયતી પાકોમાં થયેલા નુકસાનની થશે ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
ગુજરાતમાં ભર ઉનાળામાં કમોસમી વરસાદ થતા ખેડૂતોના પાકને નુકસાન થયુ છે,સાથે સાથે બાગાયતી પાકને પણ નુકસાન થયુ છે,બીજી તરફ કૃષિમંત્રી દ્રારા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક બોલાવવામાં આવી છે,ઉનાળુ પાકમાં નુકસાની હોવાનો પ્રાથમિક અંદાજ તેમજ ખરીફ સિઝનમાં રાસાયણીક ખાતર સહીતના મુદ્દા પર પણ થશે સમિક્ષા.
વરસાદના સમયે પાક રક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકસાનથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક / તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.
- Advertisement -
વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત અઙખઈમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ અઙખઈમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), ઊંટઊં અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – 18001801551નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.