દુધીબેન જસમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
દૂધીબેન જશમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ ભુપતભાઈ બોદરની એક યાદીમાં જણાવાયું છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને દેશભરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને સો ટકા મતદાન થાય તે અતિઆવશ્યક છે. દેશનો પ્રત્યેક મતદાતા મતદાનની પવિત્ર ફરજ અદા કરે અને રાષ્ટ્રહિતને સર્વોપરી માની દેશની વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવે તેવા આશયથી દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભૂપતભાઈ બોદર દ્વારા આગામી લોકસભા ચુંટણીમાં 10-રાજકોટ લોકસભા મતવિસ્તારમાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં 100 ટકા મતદાન થાય અને મતદારોમાં મતદાન પરત્વે જનજાગૃતિ આવે તેવા આશયથી પ્રોત્સાહક ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
- Advertisement -
આ અંગે વધુ વિગત આપતા ભૂપતભાઈ બોદરએ જણાવ્યું કે દૂધીબેન જશમતભાઈ બોદર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 10-રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં યુવાશક્તિ મતદાન પ્રત્યે જાગૃત બને અને વિકાસની વિચારધારાને વધુ મજબૂત બનાવે તે માટે રાજકોટ જિલ્લામાં વધુ મતદાન થાય તે રાજકોટ લોકસભામાં આવતા રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં આવતા જિલ્લાના આવતા બુથને રૂા. 2,52,000/- નું ઈનામ, રાજકોટ લોકસભા વિસ્તારમાં રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં સૌથી વધુ મતદાન થાય તે તાલુકામાં આવતા બુથને રૂા. 117000/- ઈનામ, સૌથી વધુ મતદાન થયેલ રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં ગામમાં આવતા બુથને રૂા. 108000/- અને રાજકોટ જિલ્લા પંચાયતની 20 સીટમાં સૌથી વધુ મતદાન થાય તે બુથને રૂા. 54000/-નું પ્રોત્સાહક ઈનામ આપવાની દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દસકામાં દેશમાં સીમા ચિન્હરૂપ નિર્ણયો લેવાયા છે, જેમાં અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ, કલમ 370 રદ કરવી, ત્રીપલ તલાક, નાગરિકતા અધિનિયમ સંશોધન દેશભરમાં લાગુ કરવો જેવા નિર્ણયો થકી મોદી સરકારે તેમની ગેરંટી પૂર્ણ કરેલ છે.
ભાજપ ભારતના સમાજના દરેક ક્ષેત્ર, ખાસ કરીને ભારતના યુવાનો તરફથી સતત સમર્થન મેળવી રહ્યો છે. ભાજપ એક મજબૂત, સ્વનિર્ભર, સમાવેશી અને સમૃદ્ધ ભારત બનાવવા માટે કટિબદ્ધ છે, અને યુવાધન દેશની વિકાસ યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રવાદની ભાવનાને વધુ પ્રબળ બનાવે અને મારો પહેલો મત દેશ માટેની ઉક્તિને સાકાર કરે તેવા આશયથી રાજકોટ લોકસભામાં આવતી રાજકોટ જિલ્લા પંચાયતની 20 જિલ્લા પંચાયતની સીટમાં 100 ટકા મતદાન થાય, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો હાથ વધુ મજબૂત થાય, રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા વધુ મજબૂત થાય અને પ્રજાજનો અને યુવધાન દેશની વિકાસ યાત્રામાં સહભાગી થાય તેવા આશયથી દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોત્સાહન ઈનામની જાહેરાત કરવામાં આવેલ છે તેમ અંતમાં ભૂપતભાઈ બોદરએ જણાવ્યું હતું.