અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વહીવટી તંત્રના પુરવઠા વિભાગે મહાશિવરાત્રી મેળામાં લોકોના આરોગ્ય અને સુખાકારી તથા લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ સમયસર મળી રહે તે માટે પુરવઠા વિભાગ, કાનૂનીમાપ વિજ્ઞાન તંત્ર, ઔષધ નિયમન તંત્રની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી છે, યાત્રિકોને ભેળસેળ વગરની શુદ્ધ આરોગ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે આ ટીમ દ્વારા સતત તપાસણી કરવામાં આવી રહી છે. મેળા દરમિયાન વિવિધ સ્ટોલ તથા અન્નક્ષેત્રની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવે છે અને જરુરી ચેકીંગ કરાયું હતું આ ચેકીંગ દરમિયાન મળેલ અખાદ્ય જથ્થાનો નાશ પણ કરવામાં આવેલ. ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ છે તેથી વિવિધ ડેરી તથા અન્ન ક્ષેત્ર સાથે જરુરી સંકલન કરી અને લોકોને દૂધની અછત ન સર્જાય તે માટે દેખરેખ પણ રાખવામાં આવી રહી છે.