ખાસ-ખબર સંવાદદાતા
ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા અનેક સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવે છે. ઝુંપડપટ્ટી, ફૂટપાથ અને ખુલ્લા મેદાન કે દુકાનોના ઓટલા પર ઠંડીથી કાંપતા બાળકો, વૃદ્ધોને ધાબળા ઓઢાડવાના પ્રકલ્પ ચલાવવામાં આવે છે જે અંતર્ગત પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દાતાઓ સર્વ હેમાક્ષીબેન ઘોડાદ્રા, ઉતમભાઈ રાડીયા અને ગ્રુપ, રાજુભાઈ ધારૈયા, વિનુભાઈ ઝીંઝુવાડીયા, અમિતભાઈ આર. પટેલ, આશિષભાઈ પટેલ, દિપુભાઈ શાહ, મયુરધ્વજસિંહ જાડેજા, તુષારભાઈ પટેલ સહિતનાઓના દાનથી ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટની ટીમ દ્વારા શહેરના લગભગ તમામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો, ધોરી માર્ગ પર સતત બે મહીના સુધી રાત્રિના ધાબળા ઓઢાડવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું જે અંતર્ગત કુલ 1700 જેટલા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા હતાં. ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા ધાબળા વિતરણ અભિયાનને સફળ બનાવવા સંસ્થાના સંસ્થાપક ભાગ્યેશ વોરાની રાહબરીમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નિમેશ કેસરીયા, અલ્પેશ પલાણ, રાજન સુરુ, ધર્મેશ સોની, નીતિન જરીયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા 1700 લોકોને ધાબળા વિતરણ કરાયા
