રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે, આ માટે મંદિર સહિત આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે, સાથે જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ભગવાન રામના આગમન માટે તૈયાર છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને એ પહેલા હાલ અનુષ્ઠાન વિધિ ચાલી રહી છે.
- Advertisement -
I am sure we all have done something good in our past, this is why we all are going to witness the consecration of Ram Mandir after 500 years.Just imagine how much lucky we are! Decoration is going on for our Prabhu Shree Ram and I am overwhelmed 😍🔥.#AyodhaRamMandir🚩 pic.twitter.com/USUPNKUc54
— Vishal Gautam (@Ethical_battler) January 20, 2024
- Advertisement -
અયોધ્યાના રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે. આ પહેલા પણ રામલલાના ઘણા ફોટા વાયરલ થયા છે. અયોધ્યામાં રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને મંદિર સહિત આખી અયોધ્યા નગરીને શણગારવામાં આવી છે. સાથે જ તેને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
જાણીતું છે કે અયોધ્યામાં આજે અને કાલે રામલલાના દર્શન નહીં થાય, હવે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ દર્શન થઈ શકશે. આજે ગર્ભગૃહને 81 કળશોમાં ભરીને વિવિધ નદીઓના પાણીથી શુદ્ધ કરવામાં આવશે. વાસ્તુ શાંતિ વિધિ પણ થશે. આ ઉપરાંત રામલલાની મૂર્તિમાં ફલાધિવાસ પણ કરવામાં આવશે અને આ બધાની વચ્ચે મંદિરને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે અને આખું અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે.
Now where are those Gyanis who were saying that the architecture of Shri Ram Mandir looks like a tomb?
Shri Ram Mandir is as grand and magnificent as it should be! #JaiShreeRam 🚩#AyodhaRamMandir pic.twitter.com/PN4jUip2ax
— Amit Singh Rajawat (@satya_AmitSingh) January 19, 2024
અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ ગઈ છે. ગર્ભગૃહમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત VVIP લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. રામભક્તો ઘરેબેઠા રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લાઈવ નિહાળી શકે છે. કારણ કે અયોધ્યામાં ત્રણ દિવસ માટે બહારના લોકોનો પ્રવેશ બંધ, માત્ર આમંત્રિત લોકો જ અયોધ્યા જઈ શકશે.
No #Sanatani will pass without liking this post.🙏🚩
jai shri ram 🚩 👇#AyodhaRamMandir #RamLallaVirajman #MadgaonExpress #MetaMask #Netanyahu #Love_wins_all #AyodhyaRamTemple #parking #JusticeForRekha #BoatAccident #AskMalavika #tejran pic.twitter.com/W60UnxfV7X
— Mahendra choudhary (MAHI) (@Mahendr75556988) January 20, 2024
લાઈવ ટેલિકાસ્ટ
તમે ઘરેબેઠા ઓનલાઈન ફોન, લેપટોપ, ટીવી પર અયોધ્યા રામમંદિરમાં થઈ રહેલ પૂજાને લાઈવ નિહાળી શકો છો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ કરવા માટે સંપૂર્ણ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. DD ન્યૂઝ અને DD નેશનલ ચેનલ પર લાઈવ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોઈ શકો છો. દૂરદર્શન અન્ય ન્યૂઝ એજન્સીઓ સાથે આ ફીડ શેર કરશે. ઉપરાંત દૂરદર્શનની અન્ય યૂટ્યૂબ લિંક પર તમામ વિધિ વિધાન અને પૂજા લાઈવ જોઈ શકાશે.