વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી માલદીવને ભારે પડી રહી હોય, તેવું જણાઇ રહ્યું છે. પહેલા સોશ્યલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે, ત્યાર પછી દિગ્ગજ ભારતીય ટ્રાવેલ કંપનીઓએ માલદીવની ફ્લાઇટ્સ અને હોટલ બુકિંગ કેન્સલ કરી દીધા છે અને હવે ભારતે સરકારે માલદીવના હાઇ કમિશ્નરને બોલાવ્યા છે. ભારત સરકારના બોલાવા પર માલદીવના હાઇ કમિશ્નર અબ્રાહિમ સાહિબ ભારતીય વિદેશ મંત્રાલય પહોંચ્યા છે. સમગ્ર વાત સ્પષ્ટ કર્યા પછી તેઓ પરત ફર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે સાશ્યલ મીડિયા પોસ્ટ પર કડક ચેતવણી આપી છે.
જો કે, માલદીવની મહિલા મંત્રી શિઉનાએ વડાપ્રધાન મોદીને લઇને સોશ્યલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મુદાને ભારતે માલદીવની મોહમ્મદ મુઇજ્જૂ સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. માલેમાં ભારતીય ઉચ્ચાયુક્તે મંત્રીની ટિપ્પણી પર કડક આપત્તિ જતાવી હતી. ભારતની આપત્તિ પછી માલદીવ સરકારે નિવેદન જાહેર કર્યું હતું કે, આ તેમની વ્યક્તિગત વિચારસરણી છે. મંત્રીની ટિપ્પણી માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતી.
- Advertisement -
જણાવી દઇએ કે ભારતે કડક આપત્તિ પછી એક્શન લેતા માલદીવ સરકારે વડાપ્રધાન મોદીની સામે આપત્તિજનક ટિપ્પમી કરવા પર મંત્રી મરિયમ શિઉનાની સાથે-સાથે માલશા શરીફ અને મહજૂમ માજિદને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. માલદીવ સરકારના પ્રવક્તા, મંત્રી ઇબ્રાહીમ ખલીલે જણાવ્યું કે, વિવાદિત ટિપ્પણીને લઇને જવાબદાર ત્રણે મંત્રીઓએ તેમના પદથી તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા હતા.
#WATCH | Ibrahim Shaheeb, Maldives Envoy exits the MEA in Delhi's South Block.
He had reached the Ministry amid row over Maldives MP's post on PM Modi's visit to Lakshadweep. pic.twitter.com/Dxsj3nkNvw
- Advertisement -
— ANI (@ANI) January 8, 2024
વડાપ્રધાન મોદીની સામે વિવાદિત ટિપ્પણી
જો કે, આ સમગ્ર વિવાદની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદીપના પ્રવાસ કર્યા પછી ઉઠયો હતો. વડાપ્રધાન મોદીએ લક્ષદીપના પ્રવાસ કર્યા પછી તેમની ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. ત્યાર બાદ તેમણે ભારતીયોને વિનંતી કરી હતી કે તેઓ આ આઇલેન્ડ પર ફરવાનો પ્લાન બનાવે. ત્યાર પછી માલદીવના યુવા સશ્કિતકરણના વિભાગના ઉપ મંત્રી મરિયમ શિઉનાએ વડાપ્રધાન મોદીની પોસ્ટ પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જો કે, ટ્વિટની આલોચના કર્યા પછી તેમણે આ ડિલીટ કરી દીધી હતી.
માલદીવને ભારતના ટુરિસ્ટ દર વર્ષ મોટી સંખ્યામાં જાય છે. વર્ષ 2018માં ભારતથી એટલા પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા કે, ભારત માલદીવમાં ટુરિસ્ટસનું આગમને 5માં સૌથી મોટો સોર્સ હતો. મળેલી જાણકારી અનુસાર, 14,84,274 પ્રવાસીઓમાંથી લગભગ 6.1 ટકા પ્રવાસીઓ ભારતથી હતા. જો કે, વર્ષ 2019માં ભારતથી માલદીવ જનાર પ્રવાસીઓની સંખ્યામાં 2018ની તુલનામાં વધીને લગભગ બે ગણી થઇ ગઇ હતી. વર્ષ 2019માં 1,66,030 પ્રવાસીઓ માલદીવ ગયા હતા.