આંગણવાડીમાં રમત સાથે ગમ્મતના ચિત્રો કંડારેલા છે
ખાસ-ખબર સંવાદદાતા
ભુલકાઓનો કિલકિલાટ આંગણવાડીઓમાં સાંભળવા મળે છે. આંગણવાડીમાં બાળકોને જ્ઞાન સાથે ગમ્મતનું શિક્ષણ આપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં 1249 આંગણવાડીઓ કાર્યરત છે. જેમાં બાળકોનો કિલકિલાટ સાંભળવા મળે છે. આ વર્ષ નવી 15 આંગણવાડી બનાવવામાં આવી છે. જયારે 116 આંગણવાડીની કામગીરી પ્રગતીમાં છે. અદ્યતન બિલ્ડીંગથી સજ્જ આંગણવાડીઓ બનાવવામાં આવી રહી છે. જેમાં ભુલકાઓને પૌષ્ટીક નાસ્તા સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણનું જ્ઞાન આપવામાં આવે છે.જૂનાગઢ જિલ્લામાં નાના બાળકો માટે 1249 આંગણવાડી કાર્યરત છે. જેમાં મનરેગા યોજના હેઠળ 217 નવી આંગણવાડી બનાવવા માટેની કામગીરીમાં 207ને જગ્યાના ઠરાવ થઇ ગયા છે. જ્યારે 170ની વહીવટી મંજૂરી અપાઇ ગઇ છે. જેમાંથી 116 આંગણવાડીની કામગીરી હાલ પ્રગતિમાં છે.જૂનાગઢ જિલ્લામાં 15 આંગણવાડી તૈયાર થઇ ગઇ છે. નવા બનેલા બિલ્ડીંગમાં જ્ઞાન સાથે ગમ્મતના ચિત્રો કંડારવામાં આવ્યા છે. જેના થકી બાળકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.