દેશમાં કોરોના સંક્રમણમાં રાહતની આશા વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10542 કેસ નોંધાયા છે જે છેલ્લા ચાર દિવસમાં સૌથી વધુ છે અને એકટીવ કેસની સંખ્યા 63562 થઇ છે. પરંતુ સૌથી ચિંતાજનક બાબત એ છે કે 38 મૃત્યુ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે જે એપ્રિલ માસના સૌથી વધુ મૃત્યુ છે અને તેથી ખાસ કરીને કોર્મોબીટી ધરાવતા લોકો માટે આ પેટા વેરીયન્ટ ખતરનાક બની રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
- Advertisement -