By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    17 hours ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    19 hours ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    5 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    16 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    17 hours ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    2 days ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    2 days ago
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    17 hours ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    18 hours ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    3 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    16 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ચીન અને ભારત બંને બાબા હરભજનસિંહ સામે મસ્તક નમાવે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શા માટે ચીન અને ભારત બંને બાબા હરભજનસિંહ સામે મસ્તક નમાવે છે?
AuthorParakh Bhatt

શા માટે ચીન અને ભારત બંને બાબા હરભજનસિંહ સામે મસ્તક નમાવે છે?

Khaskhabar Editor
Last updated: 2022/02/26 at 1:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે, સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે.  

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

પોતાનું સમગ્ર જીવન જેણે દેશની રક્ષા કરવા પાછળ ન્યોછાવર કરી દીધું હોય એવો સૈનિક, મૃત્યુ પછી પણ પોતાની ફરજ નિભાવી શકે ખરો? આ સવાલ વિચિત્ર લાગી શકે છે, પણ સિક્કિમના લોકો અને ત્યાં તૈનાત સૈનિકોને જો તમે પૂછશો, તો એ કહેશે કે આવું છેલ્લા પાંચ દાયકાથી સતત થઇ રહ્યું છે. એમનું માનવું છે કે પંજાબ લશ્કરી છાવણીના જવાન હરભજન સિંહની આત્મા પાછલા પચાસેક વર્ષોથી સરહદની રક્ષા કરે છે. હરભજન સિંહની આત્મા, ચીન તરફથી પેદા થનારા ખતરા વિશે એમને પહેલેથી જાણ કરે છે. જો ભારતીય સૈનિકોને ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો ચીનના સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને હળી-મળીને વાતચીતથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે આપણે આના પર ભરોસો કરીએ કે ન કરીએ પણ, ખુદ ચીની સૈનિક પણ હરભજન સિંહના અસ્તિત્વ પર વિશ્વાસ કરે છે. એટલે જ, ભારત અને ચીનની વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં હરભજન સિંહના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તે મીટિંગ અટેન્ડ કરી શકે. હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ, 1946નાં રોજ ગુજરાવાલા જીલ્લાના સદરાના ગામમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે.

Contents
બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે, સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે.  મોડર્ન ધર્મ – પરખ ભટ્ટમંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે, રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે, એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. 

- Advertisement -
મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે, રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે, એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. 

હરભજન સિંહ વર્ષ 1966માં ભારતીય સેનામાં ભરતી થયા અને એ ચોવીસમી પંજાબ રેજીમેન્ટના જવાન હતા. માત્ર બે વર્ષની નોકરી બાદ, 4 ઓક્ટોબર 1968 માં સિક્કિમની એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. ઘટના એ બની કે, એક દિવસ જયારે તેઓ ખચ્ચરનો કાફલો લઈને જતાં હતાં, ત્યારે નાથુલા નજીક એમનો પગ લપસ્યો અને સંતુલન ન જાળવી શકાયું હોવાથી તેમનું ખીણમાં પડવાથી મૃત્યુ થયું. એ જ્યાં પડ્યા, ત્યાં પાણીનો વહેણ વધારે હતો, આથી એમનું મૃત શરીર પાણીમાં વહીને ઘણું આગળ નીકળી ગયું. બે દિવસની તપાસ પછી પણ જ્યારે એમનું મૃત શરીર ન મળ્યું, ત્યારે તે પોતે એક સાથી સૈનિકના સપનામાં આવ્યા અને પોતાનું મૃત શરીર ક્યાં છે એ જગ્યા વિશે જાણ કરી. સવારે સૈનિકોએ એમણે કહેલી જગ્યા પર તપાસ કરી, તો ત્યાંથી હરભજન સિંહનું મૃત શરીર મળ્યું અને ત્યારબાદ સૈનિકોએ એમના અંતિમ સંસ્કાર કર્યા. હરભજન સિંહના આ ચમત્કાર પછી એમના સાથી સૈનિકોની એમનામાં આસ્થા વધી ગઈ અને એમના બંકરને એક મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું. જોકે સમય જતાં એમના ચમત્કાર વધવા લાગ્યા અને એ વિશાળ જનસમુદાયની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયા. પરિણામસ્વરૂપ, એમના માટે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે ‘હરભજન સિંહ મંદિર’ના નામથી ઓળખાય છે. આ મંદિર સિક્કિમની રાજધાની ગંગટોકમાં જેલેપ્લા અને નાથુલા પાસની વચ્ચે, 13000 ફૂટની ઊંચાઇ ઉપર સ્થિત છે. બંકરવાળું જૂનું મંદિર, નવા મંદિરથી 1000 ફૂટ વધારે ઊંચાઈ ઉપર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને એમનો સામન રાખવામાં આવ્યો છે.

બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે. સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે. એટલું જ નહી, થોડા વર્ષો પહેલા સુધી એમને બે મહિનાની રજા ઉપર ઘરે પણ મોકલવામાં આવતા હતાં. ટ્રેનમાં સીટ રીઝર્વ રાખવામાં આવતી, ત્રણ સૈનિકોની સાથે એમનો બધો સામાન એમના ઘરે મોકલવામાં આવતો અને બે મહિના પૂરા થયા બાદ પાછો સિક્કિમ લાવવામાં આવતો હતો. જે બે મહિના બાબા રજા ઉપર રહેતા, એ દરમિયાન આખી બોર્ડર પર હાઈ-અલર્ટ રહેતું, કારણકે એ સમયે સૈનિકોને બાબાની મદદ નહોતી મળતી! પણ બાબાનું સિક્કિમથી જવાનું અને પાછું આવાનું, એક ધાર્મિક આયોજનનું સ્વરૂપ લઈ રહ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા માંડ્યા હતા. થોડા લોકો આ આયોજનને અંધવિશ્વાસમાં વધારો કરનારું માની રહ્યા હતા. આથી એમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કારણકે સેનામાં કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસની મનાઈ હોય છે, તેથી સેનાએ બાબાને રજા ઉપર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા વર્ષના બાર મહિના ડ્યુટી ઉપર હોય છે. મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે. રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે. એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. બાબા હરભજન સિંહનું મંદિર સૈનિકો અને લોકો બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં આવનાર દરેક નવો સૈનિક પહેલા બાબાના દર્શન કરી નમન કરે છે. અહીંયાના સ્થાનિક લોકોની એક વિચિત્ર માન્યતા છે કે જો આ મંદિરમાં એક બોટલની અંદર પાણી ભરીને એને ત્રણ દિવસ માટે ગર્ભગૃહમાં રાખવામાં આવે તો એ પાણીમાં ચમત્કારી ઔષધિના ગુણ આવી જાય છે. આ પાણી પીવાથી લોકોના રોગો મટી જાય છે. આ માન્યતાને લીધે, મંદિરમાં નામ લખેલી બોટલોનો ઢગલો થતો રહે છે. ઔષધિયુક્ત પાણી 21 દિવસની અંદર ઉપયોગમાં લેવાય છે અને આ સમય દરમિયાન માંસાહાર અને દારુનું સેવન નિષેધ હોય છે.

- Advertisement -

હરભજન સિંહ બાબાનું બંકર, જે નવા મંદિરથી 1000 ફૂટ ઉચાઇ ઉપર આવેલું છે, એ લાલ અને પીળા રંગોથી સજાવીને રાખવામાં આવેલું છે. તેનાં પગથિયા લાલ અને પિલ્લર પીળા રંગના છે. પગથિયાની બંને બાજુ રેલિંગ છે અને રેલિંગ પર નીચેથી ઉપર સુધી ઘંટડી બાંધેલી છે. બાબાના બંકર ઉપર ચિઠ્ઠી રાખેલી છે. એ ચિઠ્ઠીઓમાં લોકો પોતાની ઈચ્છાઓ લખે છે. એવું માનવામાં આવે છે કે એ ચિઠ્ઠીઓમાં લખેલી ઈચ્છા પૂરી થાય છે! એવી જ રીતે બંકરમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં લોકો સિક્કા ફેકે છે અને જો એમને એ સિક્કો પાછો મળે તો એ ભાગ્યશાળી માનવામાં આવે છે. પછી એ સિક્કાને હંમેશા માટે શ્રદ્ધાળુઓ પોતાનાં પર્સ કે તિજોરીમાં રાખે છે. બંને જગ્યાનું સંચાલન ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવે છે.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેસ કાર્ડ એ પીળો પરવાનો?
Next Article સપનાઓનું શાસ્ત્ર અકળ, અગમ્ય, અટપટું અને સાંકેતિક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
સૌરાષ્ટ્ર યુનિ. ખાતે ‘RASAYAN-23’ પરિસંવાદનું પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. અનિલ કાકોડકરના હસ્તે ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?