By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હસીનાને ફાંસીની સજાના વિરોધમાં આજે બાંગ્લાદેશ બંધ
    20 hours ago
    યુક્રેન-રશિયા યુદ્ધ: 100 જેટલા રાફેલ ફાઈટર જેટ સપ્લાય થતા જ બદલાશે યુદ્ધની દિશા
    22 hours ago
    કોંગોના મંત્રીને લઈ જતું ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ
    22 hours ago
    તાઇવાન-ચીનના એકીકરણના પ્રયાસમાં કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ કરશે, તો જાપાને હારનો સામનો કરવો પડશે
    22 hours ago
    આ દેશોમાં સ્ત્રીની સંખ્યા વધુ છે પુરુષો કરતા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વૉટર લિસ્ટ રિવિઝન-કેરળ બાદ તમિલનાડુએ તેનો બહિષ્કાર કર્યો
    20 hours ago
    રીયલ લાઈફ સિંઘમ
    20 hours ago
    અલ ફલાહ યુનિ. જ આતંકનો અડ્ડો: 35 સ્થળો પર દરોડા
    21 hours ago
    દેશમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે
    21 hours ago
    ટોચના માઓવાદી માડવી હિડમા આંધ્ર પ્રદેશમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    20 hours ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    4 days ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    5 days ago
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    7 days ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હ્યૂમન સાગરે 34 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
    22 hours ago
    દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર
    4 days ago
    ડીપફેક શોષિત સેલેબ્સની લિસ્ટમાં શાહરૂખ ખાન ટોપ પર
    4 days ago
    રાજકુમાર રાવ અને પત્રલેખા તેમની લગ્નની ચોથી એનિવર્સરીના દિવસે માતા-પિતા બન્યા
    4 days ago
    ‘નદિયા કા પાર’ ફેમ કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    1 month ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 week ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શા માટે ચીન અને ભારત બંને બાબા હરભજનસિંહ સામે મસ્તક નમાવે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શા માટે ચીન અને ભારત બંને બાબા હરભજનસિંહ સામે મસ્તક નમાવે છે?
AuthorParakh Bhatt

શા માટે ચીન અને ભારત બંને બાબા હરભજનસિંહ સામે મસ્તક નમાવે છે?

Khaskhabar Editor
Last updated: 2022/02/26 at 1:35 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે, સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે.  

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

પોતાનું સમગ્ર જીવન જેણે દેશની રક્ષા કરવા પાછળ ન્યોછાવર કરી દીધું હોય એવો સૈનિક, મૃત્યુ પછી પણ પોતાની ફરજ નિભાવી શકે ખરો? આ સવાલ વિચિત્ર લાગી શકે છે, પણ સિક્કિમના લોકો અને ત્યાં તૈનાત સૈનિકોને જો તમે પૂછશો, તો એ કહેશે કે આવું છેલ્લા પાંચ દાયકાથી સતત થઇ રહ્યું છે. એમનું માનવું છે કે પંજાબ લશ્કરી છાવણીના જવાન હરભજન સિંહની આત્મા પાછલા પચાસેક વર્ષોથી સરહદની રક્ષા કરે છે. હરભજન સિંહની આત્મા, ચીન તરફથી પેદા થનારા ખતરા વિશે એમને પહેલેથી જાણ કરે છે. જો ભારતીય સૈનિકોને ચીનનાં સૈનિકોની હિલચાલ શંકાસ્પદ જણાય, તો ચીનના સૈનિકોને વહેલી તકે જાણ કરી દેવામાં આવે છે, જેથી વાત વધારે બગડે નહી અને હળી-મળીને વાતચીતથી જ એનો ઉકેલ નીકળી જાય. ભલે આપણે આના પર ભરોસો કરીએ કે ન કરીએ પણ, ખુદ ચીની સૈનિક પણ હરભજન સિંહના અસ્તિત્વ પર વિશ્વાસ કરે છે. એટલે જ, ભારત અને ચીનની વચ્ચે થતી દરેક ફ્લેગ-મીટિંગમાં હરભજન સિંહના નામની એક ખુરશી મૂકવામાં આવે છે, જેથી તે મીટિંગ અટેન્ડ કરી શકે. હરભજન સિંહનો જન્મ 30 ઓગસ્ટ, 1946નાં રોજ ગુજરાવાલા જીલ્લાના સદરાના ગામમાં થયો હતો, જે આજે પાકિસ્તાનમાં છે.

Contents
બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે, સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે.  મોડર્ન ધર્મ – પરખ ભટ્ટમંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે, રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે, એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. 

- Advertisement -
મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે, રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે, એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. 

હરભજન સિંહ વર્ષ 1966માં ભારતીય સેનામાં ભરતી થયા અને એ ચોવીસમી પંજાબ રેજીમેન્ટના જવાન હતા. માત્ર બે વર્ષની નોકરી બાદ, 4 ઓક્ટોબર 1968 માં સિક્કિમની એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું. ઘટના એ બની કે, એક દિવસ જયારે તેઓ ખચ્ચરનો કાફલો લઈને જતાં હતાં, ત્યારે નાથુલા નજીક એમનો પગ લપસ્યો અને સંતુલન ન જાળવી શકાયું હોવાથી તેમનું ખીણમાં પડવાથી મૃત્યુ થયું. એ જ્યાં પડ્યા, ત્યાં પાણીનો વહેણ વધારે હતો, આથી એમનું મૃત શરીર પાણીમાં વહીને ઘણું આગળ નીકળી ગયું. બે દિવસની તપાસ પછી પણ જ્યારે એમનું મૃત શરીર ન મળ્યું, ત્યારે તે પોતે એક સાથી સૈનિકના સપનામાં આવ્યા અને પોતાનું મૃત શરીર ક્યાં છે એ જગ્યા વિશે જાણ કરી. સવારે સૈનિકોએ એમણે કહેલી જગ્યા પર તપાસ કરી, તો ત્યાંથી હરભજન સિંહનું મૃત શરીર મળ્યું અને ત્યારબાદ સૈનિકોએ એમના અંતિમ સંસ્કાર કર્યા. હરભજન સિંહના આ ચમત્કાર પછી એમના સાથી સૈનિકોની એમનામાં આસ્થા વધી ગઈ અને એમના બંકરને એક મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું. જોકે સમય જતાં એમના ચમત્કાર વધવા લાગ્યા અને એ વિશાળ જનસમુદાયની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયા. પરિણામસ્વરૂપ, એમના માટે એક નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જે ‘હરભજન સિંહ મંદિર’ના નામથી ઓળખાય છે. આ મંદિર સિક્કિમની રાજધાની ગંગટોકમાં જેલેપ્લા અને નાથુલા પાસની વચ્ચે, 13000 ફૂટની ઊંચાઇ ઉપર સ્થિત છે. બંકરવાળું જૂનું મંદિર, નવા મંદિરથી 1000 ફૂટ વધારે ઊંચાઈ ઉપર સ્થિત છે. મંદિરની અંદર બાબા હરભજન સિંહનો એક ફોટો અને એમનો સામન રાખવામાં આવ્યો છે.

બાબા હરભજન સિંહ પોતાના મૃત્યુ પછી સતત ડ્યુટી કરતા રહ્યા છે, જેના માટે એમને નિયમિત પગાર પણ આપવામાં આવે છે. સેનામાં તેમની એક રેન્ક છે અને નિયમાનુસાર એમને પ્રમોશન આપવામાં આવે છે. એટલું જ નહી, થોડા વર્ષો પહેલા સુધી એમને બે મહિનાની રજા ઉપર ઘરે પણ મોકલવામાં આવતા હતાં. ટ્રેનમાં સીટ રીઝર્વ રાખવામાં આવતી, ત્રણ સૈનિકોની સાથે એમનો બધો સામાન એમના ઘરે મોકલવામાં આવતો અને બે મહિના પૂરા થયા બાદ પાછો સિક્કિમ લાવવામાં આવતો હતો. જે બે મહિના બાબા રજા ઉપર રહેતા, એ દરમિયાન આખી બોર્ડર પર હાઈ-અલર્ટ રહેતું, કારણકે એ સમયે સૈનિકોને બાબાની મદદ નહોતી મળતી! પણ બાબાનું સિક્કિમથી જવાનું અને પાછું આવાનું, એક ધાર્મિક આયોજનનું સ્વરૂપ લઈ રહ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવા માંડ્યા હતા. થોડા લોકો આ આયોજનને અંધવિશ્વાસમાં વધારો કરનારું માની રહ્યા હતા. આથી એમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, કારણકે સેનામાં કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસની મનાઈ હોય છે, તેથી સેનાએ બાબાને રજા ઉપર મોકલવાનું બંધ કરી દીધું. હવે બાબા વર્ષના બાર મહિના ડ્યુટી ઉપર હોય છે. મંદિરમાં બાબાનો એક રૂમ પણ છે, જેમાં તેમનો સેનાનો યુનિફોર્મ અને બુટ રાખવામાં આવે છે. રૂમમાં દરરોજ સાફ-સફાઈ કરીને પથારી પાથરવામાં આવે છે. એવું કહેવાય છે કે દરરોજ તેમના રૂમની સાફસફાઈ કરતી વેળા, તેમના બુટ ઉપર કીચડ અને ચાદર ઉપર કરચલીઓ-સળ પડેલી દેખાય છે. બાબા હરભજન સિંહનું મંદિર સૈનિકો અને લોકો બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં આવનાર દરેક નવો સૈનિક પહેલા બાબાના દર્શન કરી નમન કરે છે. અહીંયાના સ્થાનિક લોકોની એક વિચિત્ર માન્યતા છે કે જો આ મંદિરમાં એક બોટલની અંદર પાણી ભરીને એને ત્રણ દિવસ માટે ગર્ભગૃહમાં રાખવામાં આવે તો એ પાણીમાં ચમત્કારી ઔષધિના ગુણ આવી જાય છે. આ પાણી પીવાથી લોકોના રોગો મટી જાય છે. આ માન્યતાને લીધે, મંદિરમાં નામ લખેલી બોટલોનો ઢગલો થતો રહે છે. ઔષધિયુક્ત પાણી 21 દિવસની અંદર ઉપયોગમાં લેવાય છે અને આ સમય દરમિયાન માંસાહાર અને દારુનું સેવન નિષેધ હોય છે.

- Advertisement -

હરભજન સિંહ બાબાનું બંકર, જે નવા મંદિરથી 1000 ફૂટ ઉચાઇ ઉપર આવેલું છે, એ લાલ અને પીળા રંગોથી સજાવીને રાખવામાં આવેલું છે. તેનાં પગથિયા લાલ અને પિલ્લર પીળા રંગના છે. પગથિયાની બંને બાજુ રેલિંગ છે અને રેલિંગ પર નીચેથી ઉપર સુધી ઘંટડી બાંધેલી છે. બાબાના બંકર ઉપર ચિઠ્ઠી રાખેલી છે. એ ચિઠ્ઠીઓમાં લોકો પોતાની ઈચ્છાઓ લખે છે. એવું માનવામાં આવે છે કે એ ચિઠ્ઠીઓમાં લખેલી ઈચ્છા પૂરી થાય છે! એવી જ રીતે બંકરમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં લોકો સિક્કા ફેકે છે અને જો એમને એ સિક્કો પાછો મળે તો એ ભાગ્યશાળી માનવામાં આવે છે. પછી એ સિક્કાને હંમેશા માટે શ્રદ્ધાળુઓ પોતાનાં પર્સ કે તિજોરીમાં રાખે છે. બંને જગ્યાનું સંચાલન ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવે છે.

You Might Also Like

જટાયુ અર્થ સેન્ટર

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

જરૂરી છે માણસનું માણસ થવું !

અમેરિકન ગ્રીનકાર્ડ ખોવાયું છે? હવે ચિંતા કરવાની જરૂર નથી!

તને મેં ઝંખી છે-યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેસ કાર્ડ એ પીળો પરવાનો?
Next Article સપનાઓનું શાસ્ત્ર અકળ, અગમ્ય, અટપટું અને સાંકેતિક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

છેલ્લાં 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનો ડોઝીઅર બનશે; 100 કલાકનું અલ્ટિમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ગાયત્રી મદ્રાસ કાફે અને સિદ્ધેશ્વર ઢોસામાંથી લીધેલા તેલના નમૂના ફેઈલ
‘આદિવાસીઓ તો દારૂ પીવે જ,’ મંત્રીના વાયરલ વિડીયોએ સરકારની નીતિના લીરેલીરા ઉડાડ્યા
રીસેટ વેલ્થ કંપનીમાં કરોડોની છેતરપિંડી: અટક ન થતાં પીડિતોની કમિશનરને રજૂઆત
‘મને તગડો પગાર મળે છે, તમારું કામ કરી ઉપકાર કરતો નથી’ !
હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

જટાયુ અર્થ સેન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન કેમ હાર્યું ? NDA શા માટે જીત્યું ?

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જરૂરી છે માણસનું માણસ થવું !

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?