અણઘડ વહીવટને લીધે PGVCLનું લાખોનું વીજબિલ બાકી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાને ભલે એ ગ્રેડમાં સમાવેશ કર્યો હોય પરંતુ સ્થિતિ હજુય સી ગ્રેડ કરતા પણ ઓછી છે. ભ્રષ્ટાચારના ભરડામાં રહેલી ધ્રાંગધ્રા નગરપાલિકાનું વહીવટી શાસન છેલ્લા ત્રણેક વર્ષથી ખડે ગયું હોય તેવું નજરે પડે છે. સ્વછતા અને વિકાસની વાતો માત્ર કહેવા પૂરતો હોય તે પ્રકારે બધુજ કાગળો પર થાય છે જ્યારે નગરપાલિકા વિસ્તારના રહીશોને સફાઈ અને લાઇટ તથા પાણીનો ટેક્સ ઝડપી ઉઘરાવી લેવાય છે જેની સામે સુવિધા નહીં હોવાને બરાબર જ છે ત્યારે આ પ્રકારના અણઘડ વહીવટી શાસનથી ચાલતી નગરપાલિકાનું વધુ એક અણઘડ શાસન સામે આવ્યું છે. જેમાં નગરપાલિકાના મોટાભાગના વિસ્તારોમાં 24 કલાક સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. જ્યારે આ સ્ટ્રીટ લાઇટની રાત્રીના સમયે જરૂર હોય ત્યારે કેટલાક વિસ્તારોમાં અંધારપટ દેખાય છે અને જ્યારે ધોળા દિવસે લાઇટની જરૂર નથી ત્યારે સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખી રામ રાજ્ય જેવું પાલિકાનું શાસન હોવાનું પ્રવર કરવામાં આવ્યું છે. આ તરફ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા 24 કલાક સુધી લાઈટો ચાલુ રાખવાના લીધે પ.ગુ.વીજ કંપનીનું લાખો રૂપિયાનું વીજ બિલ ચડી ચૂક્યું છે અને વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ અહીં અધિકારીઓ અને પદાધિકારીઓ ટકાવારી બાંધવામાં રસ ધરાવતા હોવાથી ધોળા દિવસે લાઈટો ચાલુ રહેવાને લીધે સ્થાનિકોના માથે પડતો ટેક્ષનો બોજાની કોઈને પ્રવાહ નથી. ત્યારે નગરપાલિકાના આવા અણઘડ વહીવટને ધોળા દિવસે ચાલતી સ્ટ્રીટ લાઈટો અને તેના લીધે સ્થાનિકો પર પડતા ટેક્સના ભારણ બંધ થાય તેવી સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.