By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    18 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    18 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    19 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    19 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?
Author

શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?

Khaskhabar Editor
Last updated: 2025/09/20 at 5:44 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

રેખા પટેલ

આજકાલ શ્રેષ્ઠ સાહિત્ય કોને કહેવાય? કોને વધુ મહત્વ મળવું જોઈએ કોના પદચિન્હો ઉપર ચાલીને આગળ વધવું જોઈએ! આ બધું જ્ઞાન સોશ્યલ મીડિયા ઉપર વહેચાય છે ત્યારે પ્રશ્ર્ન ઉઠે કે આવું સાહિત્ય કોને કહેવાય?

- Advertisement -

સાહિત્યની સાચી શક્તિ, સમાજને બદલવાની ક્ષમતા ઘરાવે છે, લોકમાનસને વિચારોને ફેરવી શકે છે. એમાં લખાએલા અનુભવો, લખાણોને આધારે જીવન જીવવાની રીત, મૂલ્યો, સંઘર્ષ, સાહસ, પ્રેમ બધુજ સમજાવી શકાય છે. સાચું સાહિત્ય કાગળ પર નહિ પરંતુ હૃદયોમાં જીવતું
હોય છે.”
સાહિત્યને કોઈ એક વ્યાખ્યામાં બાંધી દેવું મુશ્કેલ છે. સાહિત્યના મૂલ્ય માત્ર સરળતા કે જટિલતા પર આધારિત નથી. સરળ સાહિત્ય સમજવવામાં સહેલું પડે છે જે હૃદયને તરત સ્પર્શી લે છે. જે ભાષા અને ભાવ અલંકારીક શબ્દોના લટકણ વિનાના સીધા હોય છે. જે સામાન્ય વાંચકને તરત સ્પર્શી જાય છે. વાંચકને તાત્કાલિક પ્રેરણા આપે છે. માર્ગ ચીંધે છે.
દાખલા તરીકે કબીરનાં દોહા, ઝવેરચંદ મેઘાણીની કાવ્યો-કથાઓ, ગાંધીજીની આત્મકથા વગેરે સાહિત્ય અલગ પ્રકારના છે જેને સામાન્ય લોકો સમજી શકે છે, જે મદદરૂપ પણ થઈ શકે છે. આજ કારણે લાંબો સમય જીવંત રહે છે.
જટિલ સાહિત્ય બુદ્ધિને પડકાર આપે છે, સમજણને વધુ ઊંડાણમાં લઈ જવા પ્રેરે છે. સાહિત્ય જેને સમજવા અભ્યાસ અને મહેનત જોઈએ, જેને સમજવા સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય ગણાય છે છતાં માત્ર આજ પ્રકાર સાચો છે તેમ ના કહી શકાય. આવું વાંચન પ્રથમ દ્રષ્ટીએ સરળતાથી સમજાતું નથી. અહી તત્ત્વજ્ઞાન, પ્રતીકો, અલંકારો, ઇતિહાસ, સંસ્કૃતિ અને મનોચિકિત્સા જોડાયેલી હોય. ઉદાહરણમાં કાલિદાસનું શાકુંતલમ કે ઉમાશંકર જોશીની કૃતિઓ. જેમાં ભાષા, પ્રતીકો કે વિચારો તરત સમજાતા નથી. છતાં વારંવાર વાંચવાથી નવો અનુભવ મળે છે, પહેલાં કરતાં જુદા અર્થો ખુલે છે.
સાહિત્યની સાચી શક્તિ માત્ર પાનાંઓની લંબાઈ અને જાડાઈ સમાતી નથી. કોઈ એક નામ વ્યક્તિના લખાણ કે વિચારો પુરતી સીમિત નથી. મહાન લેખક કે કવિ જે સમજાવી નથી શકતું એ કોઈ ગાયો ચરાવનાર કે કોઈ સામાન્ય રાહગીર પણ જીવંત બનાવી દેતો હોય છે. ટૂંકમાં જનમાનસમાં ઉતરીને જીવંત બની જાય, લોકોની ભાષામાં, સ્મૃતિમાં, ગીત-કથાઓમાં વાર્તાઓમાં જીવતું રહે એજ સાચું સાહિત્ય છે.
સાહિત્ય એ દર્પણ નથી, પણ એક દરવાજો છે. અને શ્રેષ્ઠ સાહિત્ય એ છે જે વાંચકના વિચારોને સાચી દિશામાં બદલે છે, અથવા તેને એ તરફ વધવા પ્રેરે છે. ક્યારેક તરત હૃદયને સ્પર્શે, તો ક્યારેક ધીમે ધીમે વિચાર-દૃષ્ટિ બદલી દે.
સાહિત્ય માનવજાતની સંવેદનાઓ, કલ્પનાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે. સાહિત્યના અનેક અલગ પ્રકાર છે. કાવ્યસાહિત્ય જેમાં કવિતા, ગીત, ગીતિકાવ્ય, પદ, ભજન, ગઝલ વગેરે આવે છે. ભાવનાઓને સુંદર શબ્દો અને લયમાં વ્યક્ત કરાય છે. છંદ, લય અને અલંકાર દ્વારા હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગદ્યસાહિત્ય, જેમાં સીધી અને સરળ ભાષામાં કે અટપટા શબ્દો દ્વારા વિચારો કે ઘટનાઓનું વર્ણન કરાય છે. વાર્તા, નવલકથા,લઘુકથા, નાટક, નિબંધ, આત્મકથા જેવા અનેક પ્રકારો ગધ્યસાહીત્યનો ભાગ છે.
વધારે લોકપ્રિય લોકસાહિત્ય, જે લોકોના જીવનને આધારે તેમના અનુભવોને આધારે અને લોક હિતને માટે રચાએલું સાહિત્ય છે. લોકગીતો, ભજન દુહા, જેવા અનેકવિધ રૂપોમાં આ સાહિત્ય સચવાયું છે. તત્વજ્ઞાન, ચિંતન, જીવન, ઈશ્વર અને સત્ય અસત્ય ઉપર લખાએલા સાહિત્ય સરળ લગતા હોવા છતાં સમજવા અઘરા હોય છે જેમાં ઉદાહરણો અને અનુભવો, કથાઓ ટાંકવામાં આવે તો તે સરળ બની શકે છે.
આવા સાહિત્યને રૂપક કે પ્રતીકોની જરૂર હોતી નથી. આ બધું ના હોવા છતાં ઉચ્ચ બની શકે છે જો તેમાં અંતરમનને સ્પર્શવાની ક્ષમતા હોય. સમાજને અનુરૂપ સલાહ થી લઈને ઈશ્વરને મેળવવા સુધીની સામગ્રી ઠલવાય છે. વિજ્ઞાન, રાજકારણ, સમાજશાસ્ત્ર જેવા વિષયોને પણ આવરી લેવાય છે. આનો હેતુ માનવજાતને નવી દિશા અને જ્ઞાન આપવાનો છે.
ધાર્મિક સાહિત્ય, જ્યાં ધાર્મિક ગ્રંથો, પુરાણો, ઉપનિષદો, વગેરે પોતપોતાના ધર્મને લગતી વાતો, વિચારો અને આસ્થા પ્રમાણે ઈશ્વરનું સાનિધ્ય આવા સાહિત્યમાં રહેલું હોય છે, જે માનવજીવનને નૈતિકતા, અને માર્ગદર્શન આપે છે.
કવિઓ લેખકો તેમના શબ્દો દ્વારા અંધશ્રદ્ધા , શોષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેને સામાજિક જાગૃતિ ભર્યું સાહિત્ય કહેવાય છે. આવું સાહિત્ય જુવાળ લાવે છે. યુદ્ધ જેવા કપરા સમયમાં જોશ ભારે છે દુ:ખમાં શક્તિ આપે છે. બલિદાનોની ગાથા વર્ણવતું સાહિત્ય વીરરસ થી ભરપુર હોય છે.
સાહિત્યકાર તેની સમાજ અને આવડતના આધારે તેની રચનાઓ રચતો હોય છે. ક્યારેક ભૂલ અને ક્યારે અધૂરા જ્ઞાનને કારણે તેની કૃતિ સંપૂર્ણપણે સાહિત્યનાં માળખામાં ફીટ બેસતી નથી. ત્યારે સમાજ માટે અતિ મહત્વ ઘરાવતા સાહિત્યકારને પણ સમાજના કઠેરામાં ઉભા રહેવું પડે છે. અનેકવિધ પડકારોનો સામનો કરવો પડે છે, વિવેચકો દ્વારા તેના કાર્યોની જાહેરમાં મુલવણી થાય છે. સામાન્ય રીતે વિવેચક વાંચકોને સાહિત્યનો પ્રકાર અને ઉચ્ચતા તરફ આંગળી ચીંધે છે. ગુણ દોષ ઉજાગર કરે છે, સાહિત્યકાર અને વાંચક વચમાં સેતુ
બને છે.
સાચા વિવેચકો દ્વારા લેખકો પોતાના લેખનને વધુ આગળ ઉચ્ચ લઇ જઈ શકે છે. તો સામા પક્ષે અધકચરા જ્ઞાન કે ઘમંડ ભરેલા, પોતાને સાહિત્યના રખેવાળ ગણતા વિવેચકો અવળા માર્ગે પણ દોરે છે. ઉગતા સાહિત્યકારોને પીછહેઠ કરવા મજબુર કરે છે.
વિવેચકનું કાર્ય દીવો બતાવનારનું છે. પોતે ભલે સર્જન કરતો નથી પરંતુ સાહિત્યમાં તેનું મહત્વ છે. આથી કૃતિને બરાબર ન્યાય આપવો તેની ફરજનો ભાગ બની જાય છે.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

TAGGED: literature
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article GST ઘટશે ગ્રોથ વધશે
Next Article ‘સહિયર રાસોત્સવ’ની સિલ્વર જ્યુબિલી: સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?