By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    13 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    15 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    15 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    2 days ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    13 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    15 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    15 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    16 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    13 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    3 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    6 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    7 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    14 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    2 days ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    5 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    6 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?
Author

શ્રેષ્ઠ સાહિત્ય એટલે શું ?

Khaskhabar Editor
Last updated: 2025/09/20 at 5:44 PM
Khaskhabar Editor 2 months ago
Share
6 Min Read
SHARE

રેખા પટેલ

આજકાલ શ્રેષ્ઠ સાહિત્ય કોને કહેવાય? કોને વધુ મહત્વ મળવું જોઈએ કોના પદચિન્હો ઉપર ચાલીને આગળ વધવું જોઈએ! આ બધું જ્ઞાન સોશ્યલ મીડિયા ઉપર વહેચાય છે ત્યારે પ્રશ્ર્ન ઉઠે કે આવું સાહિત્ય કોને કહેવાય?

- Advertisement -

સાહિત્યની સાચી શક્તિ, સમાજને બદલવાની ક્ષમતા ઘરાવે છે, લોકમાનસને વિચારોને ફેરવી શકે છે. એમાં લખાએલા અનુભવો, લખાણોને આધારે જીવન જીવવાની રીત, મૂલ્યો, સંઘર્ષ, સાહસ, પ્રેમ બધુજ સમજાવી શકાય છે. સાચું સાહિત્ય કાગળ પર નહિ પરંતુ હૃદયોમાં જીવતું
હોય છે.”
સાહિત્યને કોઈ એક વ્યાખ્યામાં બાંધી દેવું મુશ્કેલ છે. સાહિત્યના મૂલ્ય માત્ર સરળતા કે જટિલતા પર આધારિત નથી. સરળ સાહિત્ય સમજવવામાં સહેલું પડે છે જે હૃદયને તરત સ્પર્શી લે છે. જે ભાષા અને ભાવ અલંકારીક શબ્દોના લટકણ વિનાના સીધા હોય છે. જે સામાન્ય વાંચકને તરત સ્પર્શી જાય છે. વાંચકને તાત્કાલિક પ્રેરણા આપે છે. માર્ગ ચીંધે છે.
દાખલા તરીકે કબીરનાં દોહા, ઝવેરચંદ મેઘાણીની કાવ્યો-કથાઓ, ગાંધીજીની આત્મકથા વગેરે સાહિત્ય અલગ પ્રકારના છે જેને સામાન્ય લોકો સમજી શકે છે, જે મદદરૂપ પણ થઈ શકે છે. આજ કારણે લાંબો સમય જીવંત રહે છે.
જટિલ સાહિત્ય બુદ્ધિને પડકાર આપે છે, સમજણને વધુ ઊંડાણમાં લઈ જવા પ્રેરે છે. સાહિત્ય જેને સમજવા અભ્યાસ અને મહેનત જોઈએ, જેને સમજવા સમજણ જોઈએ, જ્ઞાન જોઈએ તે ઉચ્ચ કક્ષાનું સાહિત્ય ગણાય છે છતાં માત્ર આજ પ્રકાર સાચો છે તેમ ના કહી શકાય. આવું વાંચન પ્રથમ દ્રષ્ટીએ સરળતાથી સમજાતું નથી. અહી તત્ત્વજ્ઞાન, પ્રતીકો, અલંકારો, ઇતિહાસ, સંસ્કૃતિ અને મનોચિકિત્સા જોડાયેલી હોય. ઉદાહરણમાં કાલિદાસનું શાકુંતલમ કે ઉમાશંકર જોશીની કૃતિઓ. જેમાં ભાષા, પ્રતીકો કે વિચારો તરત સમજાતા નથી. છતાં વારંવાર વાંચવાથી નવો અનુભવ મળે છે, પહેલાં કરતાં જુદા અર્થો ખુલે છે.
સાહિત્યની સાચી શક્તિ માત્ર પાનાંઓની લંબાઈ અને જાડાઈ સમાતી નથી. કોઈ એક નામ વ્યક્તિના લખાણ કે વિચારો પુરતી સીમિત નથી. મહાન લેખક કે કવિ જે સમજાવી નથી શકતું એ કોઈ ગાયો ચરાવનાર કે કોઈ સામાન્ય રાહગીર પણ જીવંત બનાવી દેતો હોય છે. ટૂંકમાં જનમાનસમાં ઉતરીને જીવંત બની જાય, લોકોની ભાષામાં, સ્મૃતિમાં, ગીત-કથાઓમાં વાર્તાઓમાં જીવતું રહે એજ સાચું સાહિત્ય છે.
સાહિત્ય એ દર્પણ નથી, પણ એક દરવાજો છે. અને શ્રેષ્ઠ સાહિત્ય એ છે જે વાંચકના વિચારોને સાચી દિશામાં બદલે છે, અથવા તેને એ તરફ વધવા પ્રેરે છે. ક્યારેક તરત હૃદયને સ્પર્શે, તો ક્યારેક ધીમે ધીમે વિચાર-દૃષ્ટિ બદલી દે.
સાહિત્ય માનવજાતની સંવેદનાઓ, કલ્પનાઓ અને વિચારોનું પ્રતિબિંબ છે. સાહિત્યના અનેક અલગ પ્રકાર છે. કાવ્યસાહિત્ય જેમાં કવિતા, ગીત, ગીતિકાવ્ય, પદ, ભજન, ગઝલ વગેરે આવે છે. ભાવનાઓને સુંદર શબ્દો અને લયમાં વ્યક્ત કરાય છે. છંદ, લય અને અલંકાર દ્વારા હૃદયને સ્પર્શવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગદ્યસાહિત્ય, જેમાં સીધી અને સરળ ભાષામાં કે અટપટા શબ્દો દ્વારા વિચારો કે ઘટનાઓનું વર્ણન કરાય છે. વાર્તા, નવલકથા,લઘુકથા, નાટક, નિબંધ, આત્મકથા જેવા અનેક પ્રકારો ગધ્યસાહીત્યનો ભાગ છે.
વધારે લોકપ્રિય લોકસાહિત્ય, જે લોકોના જીવનને આધારે તેમના અનુભવોને આધારે અને લોક હિતને માટે રચાએલું સાહિત્ય છે. લોકગીતો, ભજન દુહા, જેવા અનેકવિધ રૂપોમાં આ સાહિત્ય સચવાયું છે. તત્વજ્ઞાન, ચિંતન, જીવન, ઈશ્વર અને સત્ય અસત્ય ઉપર લખાએલા સાહિત્ય સરળ લગતા હોવા છતાં સમજવા અઘરા હોય છે જેમાં ઉદાહરણો અને અનુભવો, કથાઓ ટાંકવામાં આવે તો તે સરળ બની શકે છે.
આવા સાહિત્યને રૂપક કે પ્રતીકોની જરૂર હોતી નથી. આ બધું ના હોવા છતાં ઉચ્ચ બની શકે છે જો તેમાં અંતરમનને સ્પર્શવાની ક્ષમતા હોય. સમાજને અનુરૂપ સલાહ થી લઈને ઈશ્વરને મેળવવા સુધીની સામગ્રી ઠલવાય છે. વિજ્ઞાન, રાજકારણ, સમાજશાસ્ત્ર જેવા વિષયોને પણ આવરી લેવાય છે. આનો હેતુ માનવજાતને નવી દિશા અને જ્ઞાન આપવાનો છે.
ધાર્મિક સાહિત્ય, જ્યાં ધાર્મિક ગ્રંથો, પુરાણો, ઉપનિષદો, વગેરે પોતપોતાના ધર્મને લગતી વાતો, વિચારો અને આસ્થા પ્રમાણે ઈશ્વરનું સાનિધ્ય આવા સાહિત્યમાં રહેલું હોય છે, જે માનવજીવનને નૈતિકતા, અને માર્ગદર્શન આપે છે.
કવિઓ લેખકો તેમના શબ્દો દ્વારા અંધશ્રદ્ધા , શોષણ અને અન્યાય સામે અવાજ ઉઠાવે છે તેને સામાજિક જાગૃતિ ભર્યું સાહિત્ય કહેવાય છે. આવું સાહિત્ય જુવાળ લાવે છે. યુદ્ધ જેવા કપરા સમયમાં જોશ ભારે છે દુ:ખમાં શક્તિ આપે છે. બલિદાનોની ગાથા વર્ણવતું સાહિત્ય વીરરસ થી ભરપુર હોય છે.
સાહિત્યકાર તેની સમાજ અને આવડતના આધારે તેની રચનાઓ રચતો હોય છે. ક્યારેક ભૂલ અને ક્યારે અધૂરા જ્ઞાનને કારણે તેની કૃતિ સંપૂર્ણપણે સાહિત્યનાં માળખામાં ફીટ બેસતી નથી. ત્યારે સમાજ માટે અતિ મહત્વ ઘરાવતા સાહિત્યકારને પણ સમાજના કઠેરામાં ઉભા રહેવું પડે છે. અનેકવિધ પડકારોનો સામનો કરવો પડે છે, વિવેચકો દ્વારા તેના કાર્યોની જાહેરમાં મુલવણી થાય છે. સામાન્ય રીતે વિવેચક વાંચકોને સાહિત્યનો પ્રકાર અને ઉચ્ચતા તરફ આંગળી ચીંધે છે. ગુણ દોષ ઉજાગર કરે છે, સાહિત્યકાર અને વાંચક વચમાં સેતુ
બને છે.
સાચા વિવેચકો દ્વારા લેખકો પોતાના લેખનને વધુ આગળ ઉચ્ચ લઇ જઈ શકે છે. તો સામા પક્ષે અધકચરા જ્ઞાન કે ઘમંડ ભરેલા, પોતાને સાહિત્યના રખેવાળ ગણતા વિવેચકો અવળા માર્ગે પણ દોરે છે. ઉગતા સાહિત્યકારોને પીછહેઠ કરવા મજબુર કરે છે.
વિવેચકનું કાર્ય દીવો બતાવનારનું છે. પોતે ભલે સર્જન કરતો નથી પરંતુ સાહિત્યમાં તેનું મહત્વ છે. આથી કૃતિને બરાબર ન્યાય આપવો તેની ફરજનો ભાગ બની જાય છે.

You Might Also Like

આતંકવાદનો મોટિવ શું છે?

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

TAGGED: literature
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article GST ઘટશે ગ્રોથ વધશે
Next Article ‘સહિયર રાસોત્સવ’ની સિલ્વર જ્યુબિલી: સાંજ પડતાંની સાથે જ રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાસોત્સવનો સૂર્યોદય થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?