By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    6 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    6 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    6 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    7 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    6 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો
લાઇફ સ્ટાઇલ

કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 3:07 PM
Khaskhabar Editor 5 years ago
Share
11 Min Read
SHARE

દુનિયાભરમાં લાખો લોકોની સવાર જોગિંગ ટ્રેક ઉપર અથવા જીમમાં પરસેવો પાડીને થતી હોય છે, જેનું મુખ્ય કારણ છે કસરત-Exercise માટેની વધતી જતી ઘેલછા. પ્રાચીન કાળથી કસરતને શરીર સ્વસ્થ રાખવા માટેનો સૌથી સરળ અને કારગત ઉપાય માનવામાં આવે છે જેમાં કઈ ખોટું નથી. પરંતું આજના મોડર્ન યુગમાં કસરત વિશેની ઘણી અનોખી માન્યતાઓ ફેલાયેલી જોવા મળે છે. કસરત કરવાથી શરીર સ્વસ્થ રાખી શકાય તે વાત તો લગભગ દરેક ઉંમરના લોકો જાણતા હશે પરંતુ ક્યારે કેટલી કસરત કરવી અને કસરત કઈ રીતે કરવી તે બાબતે ઘણી ગુંચવણ ઊભી થતી હોય છે. કસરત બાદ શરીર માટે અત્યંત જરૂરી છે ખોરાક. પૃથ્વી પર જોવા મળતા દરેક જીવ માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ખોરાક છે માટે ખોરાક વગર કોઈ જીવનું અસ્તિત્વ ટકી શકે તે શક્ય નથી બનતું. મોડર્ન યુગમાં ખોરાક બાબતે પણ ઘણી અનોખી માન્યતાઓ જોવા મળે છે જેમાંથી વધુ પડતી માહિતી નકામી હોય છે પરંતુ બીમાર પડવાના અને જીવ ગુમાવવાના ભયને કારણે માણસ માન્યતા સાચી છે કે ખોટી તે ચકાસ્યા વગર વાત માની લેતા હોય છે. ખોરાક અને કસરત વિષે તેવી જ અમુક જાણી-અજાણી રસપ્રદ વાતો…

શ્વાસોશ્વાસ મજબૂત કરે

- Advertisement -

કસરત કરવાનો એક સૌથી મોટો ફાયદો છે આપણી શ્વાસ લેવાની અને શ્વાસ રોકવાની શક્તિમાં વધારો. વધુ પડતાં લોકો દર એક મિનિટમાં 12-15 વખત શ્વાસ લેતા હોય છે પંરતુ જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શ્વાસ લેવાની આ માત્રમાં બે ગણો વધારો થાય છે. શ્વાસ લેવામાં થયેલો આ વધારો આપણા ફેફસાંને સ્વસ્થ રાખે છે અને આપણું લોહી શુદ્ધ કરી આપે છે.

રોજ ચાલવું કેટલું?

- Advertisement -

દર એક વ્યક્તિએ પ્રતિ દિવસ 7500-8000 પગલાં ચાલવું જોઈએ અને જો આપને તેવું કરવામાં સફળ રહ્યા તો 80 વર્ષની ઉંમર સુધીમાં આપણે 1,77,024 કિમી અંતર કાપી ચૂક્યા હોઈએ. આપણે પૃથ્વીની પ્રદક્ષિણા કરીએ તો તેનું અંતર આશરે 40,000 કિમી થાય માટે જો આપણે રોજ 7,500-8000 પગલાં ચાલવામાં સફળ થયા તો 80 વર્ષની ઉંમરે આપણે પૃથ્વી ફરતે ચાર વખત પ્રદિક્ષણા કરી હોવા જેટલું ચાલી ગયા હોઇએ.

કેવી રીતે ચાલવું?

આજકાલ સૌથી વધુ પસંદ કરવામાં આવતી કસરત ચાલવું અને દોડવું છે. ચાલવા વિશે તેવી માન્યતા છે કે જેટલું વધુ ચાલશું તેટલું વજન ઓછું થશે અને બીજી એક માન્યતા તે પણ છે કે ચાલવા કરતા વધુ ઝડપે દોડવાથી વજન ઓછું થાય છે. આ બંને માન્યતામાં વધુ તથ્ય નથી કારણ કે ચાલવા અને દોડવા બંનેથી સરખું જ વજન ઓછું થાય છે. જોકે ચલાવાની રીતમાં ફેર હોય તો ફરક અવશ્ય પડે છે માટે ચાલવાની ઝડપ કેટલી હોવી જોઇએ તે સૌપ્રથમ જાણીએ. કોઈ પણ માણસ 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે તો તે જોગિંગ કરવા જેટલું જ ફાયદાકારક નીવડે છે , તેના માટે ભાગવું જરૂરી નથી. બીજી વાત તે કે ચાલવા અને દોડવા બંનેનો સમય મહત્વનો છે, અંતર નહિ.

કસરતની અસર કેટલા સમયમાં થાય?

કસરત વિશેની એક વ્યાપક માન્યતા છે કે આપણે કસરત કરવાનું શરૂ કરીએ એટલે અમુક દિવસોમાં જ આપણા શરીમાં ફેરફાર દેખાવા લાગે છે. હકિકતમાં આ માન્યતા ખોટી છે , આપણું શરીર કોઈ પણ પ્રકારની ગતિવિધિને તરત અપનાવી લેવા માટે નથી બન્યું જેના કારણે કસરત દ્વારા થતા ફેરફારને પણ આપણું શરીર તરત નથી અપનાવતું. હવે સવાલ ઊભો થયા કે કેટલા સમય સુધી કસરત કરવાથી શરીરમાં ફેરફાર શરૂ થાય છે ? જેનો જવાબ છે 12 અઠવાડિયા અથવા 3 મહિના. 12 અઠવાડિયા પછી જ આપણું શરીર કસરત દ્વારા થતા ફેરફારને અપનાવે છે જેના કારણે ઘણી વાર આપણા શરીરમાં નવી શક્તિ જાગૃત થઈ હોવાની અનુભૂતી પણ થાય છે.

સ્નાયુ-ચરબીનો સંબંધ

માણસના શરીરમાં કુલ 650 કરતા પણ વધુ સ્નાયુઓ હોય છે. ઘણા માણસ સ્નાયુ અને ચરબી બંને એક સાથે જોડાયેલા હોય છે તેવું માને છે પણ ખરેખર તેવું નથી હોતું. સ્નાયુ અને ચરબીને હકીકતમાં કોઈ લેવા દેવા નથી હોતા, તે બંનેની રચનાથી લઈને કામ સુધી દરેક વસ્તુ અલગ અલગ હોય છે. માણસના શરીરમાં રહેલા સ્નાયુના તંતુ માણસના વાળ કરતા પણ પાતળા હોય છે. આ તંતુઓ પાતળા હોવા છતાં પોતના વજન કરતાં 1000 ગણો વજન ખમી શકે છે. માણસને ચાલવા માટે એક સાથે 200 સ્નાયુઓનો ઉપયોગ કરવો પડે છે.

મગજને પણ સ્વસ્થ રાખે

કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે તે બાબતે કોઈ પણ પ્રકારના મતભેદ નથી જોવા મળતા પરંતુ કસરત માત્ર શરીરને જ નહિ , મગજને પણ સ્વસ્થ રાખવાનું કામ કરે છે. કસરત કરવાથી શરીરમાં રહેલી નાકામી ઊર્જાનો વપરાશ થઈ જાય છે જેના કારણે મગજને ખોટા વિચાર કરવા માટે પૂરતી ઊર્જા નથી મળતી અને તે સ્વસ્થ રહે છે. તે ઉપરાંત કસરત કરનારા લોકો બીજા કરતા વધુ વિચારશીલ અને આનંદિત રહી શકે છે.

કરત અને પાણીનો સંબંધ

કસરત કરતા સમયે પાણી પીવા વિશે પણ ઘણા લોકોના વિવિધ મત જોવા મળે છે. આપણને કોઈ પણ મેહનત વાળુ કામ કરતા સમયે પાણી પીવા જોઈએ છે અને જો તેવું નથી થતું તો તે ચિંતાનો વિષય છે. પાણી આપણા શરીરને ઠંડુ રાખવાનું અને આપણા શરીરમાં રહેલી ઊર્જાને ચેનલાઈઝ કરવાનું કામ કરે છે માટે જો આપણે કસરત કરતા સમયે પાણી નથી પીતા તો તે ખૂબ મોટી બીમારીઓને નોતરું આપવા સમાન છે. જેમ આહુતિ વગર હવનનો લાભ નથી મળતો તેમ જ શરીરમાં પાણીની કમી હોય ત્યારે કરાયેલી કસરત નકામી હોય છે.

 

કેટલી ઊંઘ લેવી જોઈએ?

કસરત અને ખોરાક સિવાય શરીર સ્વસ્થ રાખવા માટે પૂરતી માત્રામાં ઊંઘ લેવી પણ આવશ્યક છે. આપણે દિવસમાં કસરત ભલે ગમે તેટલી કરતા હોઈએ પણ જો આપણે પૂરતો આરામ નથી મેળવતા તો કસરત કરવાનો પણ કોઈ અર્થ નથી હોતો. શરીરમાં રહેલી ચરબી બાળવા માટેનો એકમાત્ર આસન અને કારગત ઇલાજ પૂરતી ઊંઘ લેવી છે. તે ઉપરાંત મગજને તેજ બનાવવા માટે અને યાદશક્તિ વધારવા માટે પણ પૂરતી અને સમયસર ઊંઘ મેળવવી જરૂરી છે.

સફરજન સૌથી કારગત ફળ

શરીર ઓછું કરવા માટે સૌથી સારું ફળ સફરજન છે. સફરજનમાં દ્રાક્ષ અને કેળા જેટલી સુગર નથી હોતી તે ઉપરાંત આ ફળમાં પાણી અને મિનરલની માત્રા વધુ હોવાથી શરીર ઓછું કરવા માટે સફરજન સૌથી કારગત ફળ સાબિત થાય છે.

ભારતીય મસાલાનું મહત્વ

ભારતમાં આમ તો મસાલા વગરના ખોરાકને ‘બીમાર વ્યક્તિના ખોરાક’ રૂપે ગણવામાં આવે છે પણ ખરેખર મસાલેદાર ખોરાક ખાવાની ભારતીય પરંપરામાં દમ છે. અંગ્રેજોને છેક યુરોપથી ભારત સુધી આવવા માટે જે વસ્તુએ મજબૂર કર્યા હતા તે મસાલા ખરેખર રોજીંદા ખોરાકમાં હોવાના ઘણા ફાયદા છે. આપણે ત્યાં વ્યાપકપણે સોડમની મહારાણી ગણાતી ઈલાયચીમાં કેન્સરના બેક્ટેરિયા નાશ કરવાની તાકાત હોય છે. જ્યારે સ્વાદિષ્ટ ઝાડની છાલ એટલે કે તજ શરીરમાં રહેલા નકામા તત્વોને બહાર કાઢવા માટે પ્રાચીન આયુર્વેદિક ઇલાજ છે. વઘારમાં સ્વાદનો વધારો કરી આપતું જીરું હકિકતમાં પાચન શકતી મજબૂત બનાવવાનું અને શરીરમાં લોહીનું શુદ્ધીકરણ કરવાનું કામ કરે છે. ફિટનેસના રવાડે ચડીને ભારતમાં દિવસે દિવસે મસાલેદાર ખોરાક તરફ લોકોને નફરત થતી જાય છે જે ખોટું છે. મસાલા વધુ પડતી માત્રામાં ખાવા હાનીકારક જરૂર છે પણ તેને સંપૂર્ણપણે ત્યજી દેવામાં આવે તો તે લાંબા ગાળે વધુ નુકશાનકારક નીવડી શકે તેમ છે.

ડાયેટ પ્લાનથી ફાયદો કોને?

શરીર ઓછું કરવા માટે ઘણા લોકો મોંઘા ભાવે ડાયટ પ્લાન ખરીદતા હોય છે. હકીકતમાં ડાયટ પ્લાન વજન ઓછું કરવા માટેનો ખાસ કારગત ઇલાજ છે જ નહિ. ડાયટ પ્લાનની પાછળ ઘેલાની જેમ ભૂખ્યા રેહવા કરતા દિનચર્યામાં ફેરફાર કરી , ખોરાક પર સહન થાય તેટલો કાબૂ મેળવી અને બને એટલું કાચા ખોરાક પર નિર્ભર રહી વજન ઓછું કરવું બેસ્ટ ઓપ્શન છે. આ પ્રકારથી વજન ઓછું કરવામાં સમય લાગે છે પણ આ પ્રમાણે ઓછું કરાયેલું વજન લાંબો સમય ટકી રહે છે અને શરીરને અન્ય કોઈ નુકશાની પણ થતી નથી.

ડાયટ પ્લાનમાં ઘણી વાર ચોક્કસ ફળ અથવા શાકભાજી ખાવાનું કેહવામા આવ્યું હોય છે જેના કારણે ડાયટ કરનારો વ્યક્તિ કોઈ પણ રીતે તે ફળ અથવા શાકભાજી મેળવવા પાછળ મચી પડે છે. હકીકતમાં આ રીત ખોટી છે. વજન ઓછું કરવા માટે જ્યારે પણ આપણે કાચા ખોરાક પર નિર્ભર હોઈએ ત્યારે આપણે હમેશા વિટામીનની ભરપૂર ફળ અથવા શાક પસંદ કરવું જોઈએ. શિયાળામાં ડાયટ કરનારા વ્યક્તિના ડાયટ પ્લાનમાં ઉનાળાનું કોઈ ફળ ખાવાનું લખ્યું હોય અને તે વ્યક્તિ કોઈ પણ કિંમતે ઉનાળાનું ફળ શિયાળામાં મેળવીને ખાય તો તેનો કોઈ ફાયદો થતો જ નથી. વજન ઓછું કરવા માટે ખવાતા કાચા ખોરાકમાં હમેશા સિઝનલ ફળ અને શાકભાજી પસંદ કરવા જોઈએ જેના લીધે ખોરાકનું પુરતું પોષણ મળી રહે.

ફળો કે ફળોનો રસ?

ખોરાકનો પૂરતો લાભ જોતો હોય તો ખોરાક ભલે સાદો હોય પણ તાજો હોવો જોઇએ. વાસી અથવા ફ્રોઝન ખોરાકમાં ક્યારેય પણ ખોરાકનું પુરતું પોષણ સમાયેલું નથી હોતું માટે જો શક્ય હોય તો હમેશા 24 કલાક અથવા તેથી ઓછો જૂનો ખોરાક જ ગ્રહણ કરવો જોઈએ. પીણાની બાબતમાં તો આ સમય મર્યાદા હજી પણ ઓછી છે. સારી હેલ્થ મેળવવા માટે ફળનો રસ એક ઉમદા વિકલ્પ છે પંરતુ ફળનો રસ એકાદ બે કલાકથી વધુ જૂનો હોય તો તેમાં રહેલા પોષણની માત્રામાં અડધાથી પણ વધુ ઘટાડો થાય છે. બજારમાં મળતા ફળના રસમાં સ્વાદ સાચવવા માટે પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે જેના કારણે આપણને તેનો સ્વાદ સારો લાગે છે પણ પોષણની દ્રષ્ટીએ આ પ્રકારનો ફળનો રસ સાવ નકામો હોય છે.

ખોરાકમાં મીઠાશનો ઉપયોગ?

ઘણા વ્યક્તિને ખોરાકમાં મીઠાશ સિવાય ચાલતું નથી હોતું પણ રોજિંદા ખોરાકમાં મીઠાશ લેવી તે એક પ્રકારનું ધીમું ઝેર છે. પ્રોસેસ કરેલી સાકાર એટલે કે ખાંડનો ઉપયોગ બને એટલો ઓછો કરવાથી લાંબુ અને સ્વાસ્થ્યવર્ધક જીવન જીવી શકાય છે. જોકે એવું પણ નથી કે મીઠાશ ખાવાનું સાવ છોડી દેવું જોઈએ પંરતુ મીઠાશ માટે ખાંડ કરતા મધ ઉપર નિર્ભર રેહવું વધુ યોગ્ય છે. મધમાં ખાંડ જેટલું કોલેસ્ટ્રોલ નથી હોતું જેના કારણે મીઠાશ મેળવવા માટે મધ એક સારો વિકલ્પ સાબિત થાય છે. જે લોકોનું બજેટ વધુ હોય તેમના માટે તો સ્ટિવિયના પાનનો બનેલો સુગર ફ્રી પાઉડર પણ એક સારો વિકલ્પ છે.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડાર્ક ચોકલેટ ખાવાના છે અનેક ફાયદા, હાર્ટ એટેકનું જોખમ 50% ઘટી શકે છે
Next Article iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini અને iPhone 13 Pro Max લોન્ચ, જાણો કિંમત..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?