મેના અંત સુધીમાં 20 લાખ જેટલા શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા
આ વર્ષે ચારધામ યાત્રામાં હવામાન સૌથી મોટુ પડકાર બન્યું છે તેમ છતાં શ્રધ્ધાળુઓની ભીડ વધતી જ જાય છે.કેદારનાથ ધામમાં રોકાવાની સીમીત સંખ્યા દરરોજ અનેક ગણા યાત્રીઓ પહોંચી રહ્યા છે.મેના અંત સુધીમાં 19 લાખ 91 હજાર, 257 તીર્થયાત્રીઓ ચાર ધામોનાં દર્શન કરી ચુકયા છે.
- Advertisement -
યાત્રીઓની વધતી સંખ્યાના કારણે હવે 24 કલાકમાંથી 22 કલાક બાબાના દર્શન કરાવવામાં આવ્યા છે. ચાર ધારોમાં વચ્ચે વચ્ચે વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે. જેના કારણે રજીસ્ટ્રેશન પણ રોકવામાં આવી રહ્યા છે. આ વખતે ચારધામ યાત્રા દરમ્યાન મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.
તાજેતરમાં વરસાદ બાદ યમુનોત્રી ધામથી 25 કિલોમીટર પહેલા રાબાચટ્ટી પાસે હાઈવેનો 15 મીટર ભાગ ઘસી પડયો હતો. ઉતરાખંડની ચારધામ યાત્રા માટે હિમાલયનાં નાજુક પહાડો હંમેશા ખાતર બનતા રહ્યા છે. સતત થઈ રહેલ ભુસ્ખલન જમીનનું ઘસી પડવુ, યાત્રીઓની વધતી સંખ્યાનું વજન ઉતરાખંડના પહાડ સહન નથી કરી શકતા.
વધતી ઠંડી અને માઈનસમાં તાપમાનની પણ મુસીબત
સતત વરસાદ અને બરફવર્ષાના કારણે કેદારનાથ ધામ આસપાસનું તાપમાન ઘણુ નીચે ચાલ્યુ ગયુ છે.બરફ વર્ષાના કારણે ગ્લેશીયર પણ કેદારનાથ પગપાળા માર્ગથી ખસી રહ્યા છે. કેદારનાથધામ આસપાસ તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે.આ બધી મુસીબતોની પરવાહ કર્યા વિના શ્રધ્ધાળુઓ કેદારનાથના દર્શન કરવા માટે લાઈનોમાં ઉભેલા નજરે પડે છે.