By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    12 hours ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    14 hours ago
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 days ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    4 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    12 hours ago
    મનીષ બન્યો મોઈન ખાન
    14 hours ago
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 days ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    3 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    14 hours ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    14 hours ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    14 hours ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    12 hours ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    13 hours ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    13 hours ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    4 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.
રાજકોટ

વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ મુખ્યમંત્રીના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યું.

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 5:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ છે.

માન.મુખ્યમંત્રીના ૬૫માં જન્મદિને ૨૩૭૨૫ વૃક્ષોનું વાવતેર કરાયું છે.

તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ બાલાજી વેફર્સ સામે, વાગુદડ રોડ ખાતે રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાંકી ફોરેસ્ટ માન.મુખ્યમંત્રી ના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેલ.

Contents
સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે વૃક્ષોના પણ જંગલો બને તે આજના સમયની માંગ છે.માન.મુખ્યમંત્રીના ૬૫માં જન્મદિને ૨૩૭૨૫ વૃક્ષોનું વાવતેર કરાયું છે.

આ પ્રસંગે, રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષીપંચ મોરચના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર ઓ, અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાન ઓ તેમજ નાગરિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ.

- Advertisement -

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ પોતાના જન્મદિવસની શુભેચ્છા આપવા બદલ ઉપસ્થિત તમામનો આભાર માનેલ અને ઋણ સ્વીકાર કરેલ. તેમજ ન્યારી ડેમ ડાઉનસ્ટ્રીમમાં મિયાવાંકી ફોરેસ્ટ બનાવવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન પાઠવેલ. તેમજ આજે જે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થયું તે માટે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને અભિનંદન પાઠવેલ. તેઓ એ જણાવેલ કે, સિમેન્ટ કોન્ક્રીટના જંગલની વચ્ચે વૃક્ષના જંગલો બનાવવા એ આજના સમયની માંગ છે, કોરોના કાળમાં ઓક્સિજનનું મહત્વ લોકોને સમજાયું છે. ત્યારે કુદરતી ઓક્સિજન મળે તે જીવન માટે અતિ આવશ્યક છે. રાજકોટમાં પાણીનો અભાવ, વૃક્ષોનો અભાવ જેવા પ્રશ્નો વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં કામ કરી, આ મેણું ભાંગી નાખશે. રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષોને વાવી, તેને ઉછેરવાની જવાબદારી લીધી છે. રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા ૪ દાયકા કરતા વધુ સમયમાં ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ મહાનુભાવોએ સ્વ. અરવિંદભાઈ મણીઆરથી આજ સુધીના સુકાનીઓએ રાજકોટના વિકાસને વેગ આપ્યો છે. તેમજ પ્રાથમિક સુવિધાઓ રસ્તા, ગટર, લાઈટ, પાણી સફાઈ ઉપર ધ્યાન આપીને રહેવાલાયક રાજકોટ, માણવાલાયક રાજકોટ, રંગીલું રાજકોટ એ વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાએ લોકોના સહયોગથી બનાવેલ છે. રાજકોટની હદ પણ વધતી જાય છે અને વિકાસ પણ થતો જાય છે. તેમજ રાજકોટ રહેવાલાયક શહેર બની રહ્યું છે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે. તેમજ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થાય તેમજ રાજકોટ ગ્રીન અને ક્લીન બને તે દિશામાં કામગીરી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા સંકલ્પ કરે તે આજના સમયની જરૂરિયાત છે. જો આપણે પ્રદુષણ નિવારવાના સમયસર પગલા ન લઈએ તો ભવિષ્યની પેઢી આપણને કદી માફ નહિ કરે. વૃક્ષો આજે કોરોના મહામારી વચ્ચે પણ ઓક્સિજન આપી, તમામ જીવોને રક્ષણ આપે છે. તેમજ છોડમાં રણછોડના દર્શન થાય છે.

મેયર ડૉ.પ્રદિપ ડવએ રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ઈશ્વરભાઈ પરમારનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવ્યું. તેઓ એ માન.મુખ્યમંત્રી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, ગુજરાત સરકારે પાંચ વર્ષમાં ઘણા વિકાસના કામો કર્યા છે. ભૌતિક વિકાસની સાથે પર્યાવરણીય વિકાસ થયેલ છે. જેમકે, નાકરાવાડી ખાતે ઉત્પાદિત ૧૮૦ ટન ખાતરનો ઉપયોગ મિયાવાંકી ફોરેસ્ટમાં કરવામાં આવેલ છે. આ અગાઉ પણ માન.મુખ્યમંત્રી દ્વારા “રામવન” અર્બન ફોરેસ્ટની ભેટ રાજકોટને મળી ચુકી છે.

- Advertisement -

રાજકોટ મહાનગરપાલિકાના તમામ પદાધિકારી ઓ દ્વારા માન.મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું હતું. તેમજ શહેર ભાજપના તથા પ્રદેશના હોદેદારો દ્વારા માન.મુખ્યમંત્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ઉપરાંત, રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિગેરે દ્વ્રારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ.

તેમજ સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયા, કેતનભાઈ પટેલ તથા ચુનીભાઈ વરસાણી દ્વારા માન.મુખ્યમંત્રી ને મોમેન્ટો આપી, સ્વાગત સન્માન કર્યું હતું.

બાગ બગીચા અને ઝૂ સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી દ્વારા મહેમાનોને પુસ્તકો આપી સ્વાગત કરેલ. આ કાર્યક્રમની આભારવિધિ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ કરેલ.

મેયર ડૉ.પ્રદિપ ડવ સહિતના પદાધિકારી ઓ દ્વારા માન.મુખ્યમંત્રી ને જન્મદિવસનો શુભેચ્છા સંદેશ

આધુનિક રાજકોટના શિલ્પી અને ગુજરાત રાજ્યના સંવેદનશીલ માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા…
આપ ના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રગતિના વધુ ને વધુ સોપાનો સર કરે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કરે તેવી શુભકામના.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ૬૫માં જન્મદિનના શુભ અવસરે મિયાવાંકી ફોરેસ્ટમાં ૮૩૫૮ ચો.મી. જગ્યામાં જુદા જુદા ૬ બ્લોકમાં કુલ ૨૩૭૨૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. આ મિયાવાંકી ફોરેસ્ટમાં પશુ-પક્ષી, આયુર્વેદિક તેમજ ભરપુર ઓક્સિજન આપતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

“મિયાવાકી ફોરેસ્ટ”

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના નાગરિકો વિગેરે માટે શહેરના વિકાસ અને સ્થળ સ્થિતી ધ્યાને રાખી પોત પોતાના વિસ્તારોમાં હરવા ફરવા માટે નાના મોટા ૧૫૮ બગીચાઓ, વયશ્ક લોકોને ગોષ્ઠી માટેના “સિનિયર સિટીઝન પાર્ક” “ઓપન એર-જીમ” વોકિંગ ટ્રેક, બાળકોના બાલક્રિડાંગણ,ફિઝીકલ ફિટનેશના સાધનો વિગેરેની સુવિધાઓ આપવામાં આવે છે. અને શહેરના સમાંતરીત વિકાસની સાથોસાથ આ સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે.

શહેરનું પર્યાવરણ સુધરે, શહેર રહેવા લાયક બને તે માટે સ્થાનિકે ઉછેર પામતા બહુ વર્ષાયુ અને ઓછા નિભાવ ખર્ચ વાળા વૃક્ષોનું જે તે જગ્યાઓને અનુરૂપ વાવેતર કરવામાં આવે છે. વૃક્ષારોપણ કરી અને તેની નિયમિત જાળવણી નિભાવણી કરવામાં આવે છે. આ કામગીરીમાં બહોળા પ્રમાણમાં જનસહયોગ પણ પ્રાપ્ત થાય છે.

શહેરમાં તેમજ ભાગોળેના વિસ્તારમાં હરિયાળીનો મહતમ વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા આશયથી શહેરના પશ્વિમ વિસ્તારના ન્યારીડેમ-૧,ના નિચાણ વાળા ભાગે રાજ્ય સરકાર તરફ્થી ફાળવવામાં આવેલ અંદાજીત ૧૯-હેકટર જમીન કે જે તદ્દન પથરાળ અને શુષ્ક પ્રકારની હોય, આ જમીનના વિસ્તારમાં વર્ષ ૨૦૦૬માં પ્રારંભિક તબ્બકે ઘનિષ્ઠ વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં પ્રારંભિક તબ્બકે આ જમીનને આરક્ષિત કરવાના હેતુસર કામગીરીઓ કરી તેમા બહુ વર્ષાયુ સદાહરિત વૃક્ષોનુ વાવેતર કરવામાં આવેલ છે.

આધુનિક સમયમાં પર્યાવરણ જાળવણી નિભાવણી માટે “ન્યુનત જગ્યાના મહતમ ઉપયોગ” કરી સ્થાનિકેના “ફ્લોરા & ફોન્ના” ના આરક્ષણ અને સવર્ધન-વિસ્તરણ માટે ન્યારી ડેમની આ શુષ્ક અને પથરાળ જગ્યામાં “જન સહયોગ થકી“ જાપાનીઝ ટેકનોલોજી મુજબથી “મિયાવાકી- થીમ” આધારીત ફોરેસ્ટ ઉભુ કરવાની પ્રાંરભિક તબ્બકે વર્ષ ૨૦૨૦માં અંદાજીત ૧ એકરની આ કામગીરીમાં જુદીજુદી જાતના વૃક્ષ,શ્રબ ક્ષુપ,લતાઓ વિગેરેની (૧૧૧) જાતના અંદાજીત ૯૫૦૦ પ્લાન્ટ્સના વાવેતર કરી અને કાયમી રૂપમાં જતન કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીમાં લોક સહકારના રૂપમાં “સદ-ભાવના વૃધ્ધાશ્રમ- ટ્રસ્ટ” તરફ્થી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ વિસ્તારના અંદાજ ૨ એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના અંદાજીત ૨૬૦૦૦ વૃક્ષ,શ્રબ,ક્ષુપ,લત્તાઓ વિગેરે પ્રકારના પ્લાન્ટ્સ “મિયાવાકી થીમ“ આધારીત આ ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવશે. જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક સંપદામાં વધારો થશે.

આ ઉપરાંત રાજકોટ અમદાવાદ- નેશનલ હાઇ -વે 8-B ને લાગુ આજી નદીના પશ્વિમકાંઠે, “ગ્રિન બેલ્ટ” હેતુની અંદાજીત ૧૫૩ એકર જમીન રાજ્ય સરકાર તરફ્થી રાજકોટ મહાનગરપાલિકાને ફાળવણી કરાયેલ આ જગ્યા પૈકીની ૪૭ એકર જમીનમાં “રામવન” વિકસીત કરવામાં આવી રહ્યુ છે. આ કામગીરીનો શુભારંભ તા.૦૨/૦૮/૨૦૧૯ના રોજ ગુજરાત રાજ્યના મા.મુખ્ય મત્રી , વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવેલ છે.

આ જ્ગ્યાના ભુતલ ખુબજ પથરાળ અને સખત બંધારણના હોય, મહતમ પ્રમાણમાં માટી વિગેરે ઉમેરી ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુલનતા ધરાવતા જુદી જુદી ૨૮ થી ૩૬ વિવિધ જાતના અંદાજીત ૬૦૦૦૦ થી વધુ સંખ્યામાં ઓછા નિભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્ર્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ -પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવી રહ્યુ છે.

આ જગ્યાને વિકાસકિય તબ્બકે “રામવન” નામકરણ આપવાનું નક્કી થતા આ વિસ્તારમાં ભગવાન રામના વનવાસ દરમ્યાનના અંદાજીત્ ૧૪ જેટલા પ્રસંગોને પ્રતિકૃત કરવામાં આવશે. જે માટેની કામગીરી ચાલુ કરાયેલ છે.

આ “અર્બન ફોરેસ્ટ” “રામવન”ના વિસ્તારમાં વોટર –હાર્વેસ્ટીંગની કામગીરી કરવા માટે સ્થાનિકેના જમીનના ઉંડા ભાગો આવરીત કરી બોટીંગની સુવિધા પણ ઉભી કરવાનું આયોજન છે.

આ વિસ્તારને કાયમી જાળવણી અને વિકાસ કરવા માટે સ્થાનિકેના કાયમી રીતે વહી જતા “બિન પિવાલાયક પાણી”ના જથ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વિકસીત કરાતા “રામવન” ટૂક સમયમાં પ્રજાજોગ ઉપયોગમાં મુકવામાં આવે તે રીતે કામગીરીઓ ગતિમાં છે.

You Might Also Like

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચ મામલે તપાસ સમિતિ બનશેઃ મેયર ડૉ. નેહલ શુક્લ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જે.એમ. ફાઇનાન્સનો સેવાકીય નિર્ણય: ગુજરાત સરકાર અને જે.એમ.ફાઇનાન્સ વચ્ચે એમ.ઓ.યુ. થયા
Next Article વર્ષગાંઠના દિને મુખ્યમંત્રી દ્વારા રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ની છઠ્ઠી શ્રેણીનો રાજકોટ ખાતેથી શુભારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ
અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ : ભક્તિભાવપૂર્વક નીકળી ભવ્ય જળયાત્રા
રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો
રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?