ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે વેક્સિનનો જથ્થો ખૂટી પડતા વેક્સિનની કામગીરી આજે બંધ રહી હતી જેના કારણે લોકોને ધરમના ધક્કા ખાવા પડ્યા હતા. અગાઉ 17 તારીખે એક સાથે 46000 લોકોને રસી આપવામાં આવી હતી.
આમ અત્યાર સુધીમાં 5.24 લાખ લોકોએ બન્ને ડોઝ લીધા છે. વેક્સિન લેવા માટે લોકો આવ્યા પણ જથ્થો ન હોવાથી લોકોને પાછા જવાની ફરજ પડી હતી. રાજકોટમાં એક બાજુ વેકેશનેશન માટે લોકોમાં જાગૃતિ આવી તો બીજી બાજુ આજે વેક્સીન ખૂટી પડતા તંત્રની બેજવાબદારી સામે આવી હતી. આમ આજે મનપાના 27 આરોગ્ય કેન્દ્ર પર વેકસીનેશન બંધ રહેશે.
- Advertisement -