મહાશિવરાત્રિએ સોમનાથમાં શ્રધ્ધાનો સાગર ઘુઘવશે: શિવ આરાધનાનો દુર્લભ અવસર
ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ઉજવણી રાજકોટ સહિત સમગ્ર સૌરષ્ટ્ર-કચ્છમાં અનેરા ધર્મોલ્લાસ સાથે ઉજવાશે. કાલે શિવમંદિરોમાં વહેલી સવારથી ઓમ નમ: શિવાય, હર હર મહાદેવના ગગનભેદી નાદ ગુંજી ઉઠશે. કાલે ઠેર ઠેર ચાર પ્રહરની પૂજા અર્ચના થશે. કાલે સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે. ભાવિકો અભિષેક, પૂજન, શિવમહિમ્ન સ્તોત્રના પાઠ કરીને જીવને શિવમાં પરોવવાનો પુરુષાર્થ કરશે.રાજકોટમાં આવતીકાલે મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં સુશોભન તથા રોશનીના શણગાર કરાયા છે. કાલે વહેલી સવારથી ભક્તોની ભીડ શિવાલયોમાં જોવા મળશે. દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવરથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.
- Advertisement -
સોમનાથ તીર્થઘામમાં મહાશિવરાત્રિ મહોત્સવ પ્રસંગે શિવભક્તોનો માનવ મહેરામણ શિવકૃપા પ્રાપ્ત કરવા સોમનાથ આવી પહોંચનાર હોય ત્યારે આ મહોત્સવની ભવ્ય તૈયા રીઓ પૂર્ણ થયેલ છે. મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સતત કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે અને પાલખી યાત્રા, જ્યોતપૂજન, ચાર પ્રહરનુ વિશેષ પૂજન, આરતી સહિત ઘાર્મિક, આદ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવેલ છે અને દર્શનાર્થીઓએ સરકારની ગાઇડ લાઇનના ચૂસ્ત પાલન સાથે દર્શન કરવાના રહેશે અને સોશ્યલ મીડીયાના માધ્યમથી દેશ-વિદેશના ભક્તો ઘરબેઠા મહાદેવના દર્શનનો લાભ લઇ શકનાર છે.
સોમનાથ ખાતેના મહાશિવરાત્રી પર્વની વિગતો આપતા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, પ્રતિવર્ષ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની પારંપરીક ઉજવણી કરવામાં આવી રહેલ છે જેમાં તા. થી તા. માર્ચ દમ્યાન દ્વિ-દિવસીય વિશેષ આયોજન કરવામાં આવેલ છે. તા. 1 ને મંગળવારે મહાશિવરાત્રિ પર્વે સોમનાથ મંદિર સવારે ચાર થી લઇ સતત કલાક ભક્તજનો માટે ખુલ્લુ રહેનાર છે. ચાર પ્રહરની વિશેષ પૂજા-આરતી, પાલખીયાત્રા, ધ્વજારોહણનું ધાર્મિક-સાંસ્કૃતિક આયોજન કરાયેલ હોય જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનનાર છે. સોમનાથના માર્ગો શિવભક્તોનાં જય સોમનાથના નાદથી ગુંજી ઉઠનાર છે.
ડીઝીટલ પ્લેટફોર્મના માધ્યમથી મહાશિવરાત્રિના પાવન પર્વે ઘરબેઠા પણ શ્રધ્ધાળુ ઓ પણ ઓનલાઇન જોડાઇ ૐ નમ: શિવાય જાપ થી સોમનાથજીની આરાધના કરી શકશે. આ ખાસ વ્યવસ્થા શ્રધ્ધાળુઓ માટે ગોઠવવામાં આવી છે. જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા વિનંતી છે. આ ઓનલાઇન મંત્રજાપમાં જોડાવા માટે ફેસબુક પર ટ્રસ્ટના સોશ્યલ મીડીયા હેન્ડલ ’ પર રાત્રે બાર થી સાડા બાર (ત્રીસ-મીનીટ) સૌ જોડાઇને નમ: શિવાય જાપ કરી ટ્રસ્ટની વેબસાઇટ somnath.orgમાં રજીસ્ટ્રેશન કરાવી અથવા તો પોસ્ટ દ્વારા પ્રસાદસેવા મનિઓર્ડર મારફત ભારતભરની કોઇપણ પોસ્ટ ઓફિસ ખાતે નોંધાવી ભક્તો ઘરબેઠે પ્રસાદ મેળવી શકશે. મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મંદિર લાઇટીંગથી સુંદર દૃશ્યમાન થનાર છે.


