-15 વર્ષ કે તેથી વધુના ટીન એજર્સમાં તંબાકુનું વ્યસન વધ્યુ
ધુમ્રપાન અને ચાવવાની તંબાકુ ભારતમાં વ્યાપક બની જાય છે અને આજે નો-ટોબેકો કે એટલે કે તંબાકુ સામેની જાગૃતિ લાવવાની ઝુંબેશના દિને પણ દેશમાં તંબાકુના બંધાણીમાં વધારો કરશે તે નિશ્ર્ચિત છે. આજે દેશમાં 26.70 કરોડ લોકો કોઈને કોઈ રીતે તંબાકુનું સેવન કરે છે અને તેમાં સૌથી મોટી ચિંતા એ છે કે 15 વર્ષ કે તેથી વધુના ટીનએજરની સંખ્યા 28.6% છે એટલે કે હવે તંબાકુનું વ્યસન ટીન એજર સુધી પહોંચી ગયું છે.
- Advertisement -
જયારે હવે સ્મોકલેસ ટોબેકોથી નવી ચિંતા સર્જાઈ છે. 2019થી 2022 સુધીમાં ‘કવીટ-લાઈન’ જે તંબાકુના વ્યસનમાંથી છુટકારો અપાવવામાં મદદરૂપ થાય છે તેને આ ત્રણ વર્ષના ગાળામાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાંથી 50000 જેટલા લોકોએ કોલ કર્યો હતો જેમાં 13736 લોકો આજે તંબાકુના વ્યસનથી મુક્ત થઈ ગયા છે. પરંતુ આ સંખ્યા કુલ તંબાકુ ઉપયોગકર્તાની સરખામણીમાં આ સંખ્યા નહીવત છે. ભારતમાં કેરિયરના દર્દીઓમાં 27% તંબાકુના વ્યસનના કારણે આ રોગનો શિકાર બન્યા હોય છે અને દેશમાં દર વર્ષે 12 લાખ ભારતમાં ધુમ્રપાનના વ્યસનથી મૃત્યુ પામે છે જેમાં સિગારેટ અને બીડી બન્ને પ્રકારના વ્યસનનો સમાવેશ થાય છે.
ચાવવાની તંબાકુના વિશ્ર્વમાં સૌથી વધુ વપરાશ ભારતમાં થાય છે. વિશ્ર્વમાં 70% હિસ્સો ભારતનો છે અને જેના કારણે દર વર્ષે 2.30 લાખ ભારતમાં ઓરલ કે મોઢાના કેન્સરથી મૃત્યુ પામે છે અને ભારતમાં 10.7% વયસ્ક લોકો ધુમ્રપાનની આદત ધરાવે છે. હાલમાંજ લોકલ સર્કલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવ્યું કે ભારતમાં દર છ માંથી એક કુટુંબમાં 1 કે વધુ વ્યક્તિ ગુટખા કે ચાવવાની તંબાકુના બંધાણી છે અને ગુટખા પરનો પ્રતિબંધ ફકત કાગળ પર છે અને તે આસાનીથી ઉપલબ્ધ છે. ફકત કાનૂનનો ભંગ ન થાય તે રીતે સોપારીઓથી બનાવેલા ગુટખા અને તંબાકુ અલગ અલગ આપવામાં આવે.
જયારે મીઠા-તંબાકુ એટલે કે ફાકી, ખૈની, (ચોળવાની તંબાકુ), પણ ખુલ્લેઆમ ઉપલબ્ધ છે. વાસ્તવમાં તંબાકુ છોડાવવાના પ્રયાસોને બહું પ્રતિભાવ મળતો નથી. કવીટ-લાઈન એ ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં 2019 થી 2022 સુધીમાં 8.47 લાખ લોકોને કોલ કરી તેઓની તંબાકુની આદત છોડવામાં સહાયતાનો પ્રયાસ કર્યો જેમાં ફકત 1.93 લાખ લોકોએ કોલ રીસીવ કર્યા અને 49816 લોકોએ આ વ્યસન છોડવામાં સહાયતાનો સ્વીકાર કર્યો જેમાં ફકત 13736 જ ખરેખર તંબાકુ મુક્ત થઈ શકયા છે.
- Advertisement -