By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    13 hours ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    14 hours ago
    ફ્રાન્સ સરકારનો ડેટા ચોરી થયો, હેકરે 19 મિલિયન રેકોર્ડ હોવાનો દાવો કર્યો
    2 days ago
    ટ્રમ્પનો બફાટ: ભારત-ચીનને ગણાવ્યા ‘નરક’, શું ભારતીયોની નોકરીઓ જોખમમાં?
    2 days ago
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
    10 hours ago
    ગુજરાત જઝમાં ‘ખાનગીકરણ’નો ખેલ! એસટી નિગમ વધુ 1200 નવી બસ ભાડે લેશે
    10 hours ago
    મુખ્યમંત્રી બંગાળના જ હશે, બસ તે દીદીનો ભત્રીજો નહીં હોય: અમિત શાહ
    10 hours ago
    સેન્સેક્સમાં 1000, નિફ્ટીમાં 280 પોઈન્ટનો કડાકો નોંધાયો
    10 hours ago
    રાઘવ હવે ભાજપમાં
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    14 hours ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 day ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    2 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રહ્માંડયોગી મહાદેવનું વણઉકેલાયેલું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > બ્રહ્માંડયોગી મહાદેવનું વણઉકેલાયેલું રહસ્ય!
AuthorParakh Bhattધર્મ

બ્રહ્માંડયોગી મહાદેવનું વણઉકેલાયેલું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2021/10/16 at 2:21 PM
Khaskhabar Editor 5 years ago
Share
10 Min Read
SHARE

લેખ લખતી વખતે આંગળીઓ ધ્રુજી રહી છે આજે! રૂંવાડા ઉભા થઈ ગયા છે.

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

કેટલાક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ. પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!

Contents
લેખ લખતી વખતે આંગળીઓ ધ્રુજી રહી છે આજે! રૂંવાડા ઉભા થઈ ગયા છે. મોર્ડન ધર્મ – પરખ ભટ્ટ

રોમાંચની લહેરખી શરીરમાંથી વીજળીની માફક પસાર થઈ રહી છે. એવું લાગી રહ્યું છે જાણે આજુબાજુના વિશ્વમાં સૂનકાર વ્યાપી ગયો છે. અસ્તિત્વવિહીન ‘સ્વ’ની અનુભૂતિ થઈ રહી છે, કારણકે સબ્જેક્ટ જ એટલો ગૂઢ અને માર્મિક છે : કૈલાસ! આદિકાળથી માનવસમુદાયના ઉત્થાનનો સાક્ષી બનેલો આ પર્વત હિંદુ ધર્મ માટે સૌથી પાવન તીર્થ છે. ત્રિકાળદર્શી દેવાધિદેવ મહાદેવનું એ રહેઠાણ છે, યોગસ્થળ છે. અત્યંત નિખાલસતા સાથે હું આજે એક હકીકતની કબૂલાત કરવા માંગુ છું. કૈલાસ વિશે સંશોધન કરવાની શરૂઆત કરી ત્યારે ઘણું બધું એવું સાહિત્ય (ઓનલાઇન-ઓફ્ફલાઇન) વાંચવામાં આવ્યું, જેમાં સમાવિષ્ટ થયેલી વિગતો એકદમ જૂની અને બહુ જ ચવાઈ ગયેલી હતી. પરંતુ વાચકોને કંઈક જૂદું પીરસવાની મહેચ્છાને કારણે રીસર્ચ આગળ ધપતું ગયું અને ત્યારબાદ જે પ્રકારની માહિતીઓ નજરમાં આવી એ કંપાવનારી છે, આશ્ચર્ય પેદા કરે એવી છે. બીજી એક ખાસ વાત એ પણ છે કે, આ લેખને તૈયાર કરવા માટે બબ્બે વખત કૈલાસ-માનસરોવરની યાત્રા પર જઈ આવેલા જામનગરના વતની અજય ભટ્ટની ખૂબ મદદ મળી છે. બહુ જ મોકળા મને એમણે એમના પોતાના અનુભવો, સાક્ષાત્કારો, ચમત્કારો મારી સાથે વહેંચ્યા. કૈલાસની ભૌગોલિક સ્થિતિ અને યાત્રિકોની શ્રદ્ધા સાથે ઘેર બેઠા પરિચિત કરાવવા પાછળ એમનો ઘણો જ મોટો ફાળો રહ્યો.

- Advertisement -

દરિયાની સપાટીથી 6718 મીટરની ઊંચાઈ પર આવેલા તિબેટના કૈલાસ પર્વતને હિંદુ, બુદ્ધ અને જૈન ધર્મના લોકો અત્યંત પૂજનીય ગણે છે. આજદિન સુધીમાં એકપણ વ્યક્તિ કૈલાસની ટોચ પર નથી પહોંચી શકી. એવું કહેવાય છે કે, જેમણે કૈલાસ પર છેક સુધી ચડવાની કોશિશ કરી છે તેઓ મૃત્યુને આધીન થયા છે. આ કારણોસર જ ચીનની સરકારે કૈલાસ પર્વતની ટોચ સુધી પહોંચવાની કોશિશોને વિરામ આપવાનું નક્કી કરી લીધું છે. આજની તારીખે કોઈ પણ સાહસિક વ્યક્તિ ઇચ્છે, તો પણ પર્વત ન ચઢી શકે એ માટે ચીની સરકારે ચઢાણ માટેની સદંતર મનાઈ ફરમાવી દીધી છે.

રશિયનોને પણ ભારતીયોની જેમ પર્વતો માટે બહુ જ લગાવ રહ્યો છે. તેઓ ઘણા વર્ષોથી વિશ્વના અલગ અલગ રહસ્યમય પર્વતો પર સંશોધનો આદરી રહ્યા છે. એવું કહેવાય છે કે, ઓગણીસમી અને વીસમી સદીમાં પુષ્કળ રશિયનોએ કૈલાસ પર્વતની ટોચ પર પહોંચવાની કોશિશ કરી, પરંતુ કોઈક અગમ્ય કારણોસર તેઓ લાપતા થઈ ગયા. તેમનો કોઈ પતો મેળવી શકાયો નથી. હવામાં ફેલાતા ધુમાડાની માફક તેમનું અસ્તિત્વ કૈલાસની વાદીઓમાં ક્યાંક ઓગળી ગયું છે! સાઈબિરિયન પર્વતારોહકના જણાવ્યાનુસાર, એક વખત કોઈક આખા સમૂહ (ગ્રુપ) દ્વારા કૈલાસ પર્વત ચઢવાની કોશિશ કરવામાં આવી હતી. તેઓ નિશ્ચિત કરેલા બિંદુથી આગળ તો વધ્યા, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમની ઉંમર અચાનક વધી ગઈ! ભર જવાનીમાં તેઓ વૃદ્ધ થઈ ગયા. માથા પર સફેદ વાળથી માંડીને શરીર પર કરચલીઓ આવી ગઈ. ફક્ત એક જ વર્ષની અંદર તેઓ મૃત્યુ પામ્યા! આ ઘટનાની પાછળ છુપાયેલી હકીકત કે તર્ક વિશે કોઈને કશો જ અંદાજ નથી!

અચ્છા, કેટલાક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ. પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!

- Advertisement -

1999ની સાલમાં રશિયન ઓફ્થેલ્મોલોજિસ્ટ (આંખના નિષ્ણાંત) અર્નસ્ટ મુલ્દાશેવે તિબેટ જઈને કૈલાસ પર સંશોધનો કરવાનું નક્કી કર્યુ.

ભૂસ્તરશાસ્ત્ર, ભૈતિક વિજ્ઞાન અને ઈતિહાસના નિષ્ણાંતોથી ભરેલી એમની ટીમનો હેતુ સ્પષ્ટ હતો : કૈલાસ પર્વતમાળામાં છુપાયેલા ગર્ભિત રહસ્યો શોધી કાઢવા! કેટલાય મહિનાઓ સુધી એમણે તિબેટિયન લામા સાધુ સાથે વસવાટ કર્યો, કૈલાસ પર્વતની અથથી ઈતિ સમજવાની કોશિશ કરી અને તેની તળેટીમાં રહીને સંશોધનો કર્યા. લાંબા સમયની શોધખોળને અંતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે કૈલાસ એ વાસ્તવમાં પૌરાણિક કાળમાં માણસ દ્વારા બનાવાયેલો એક પિરામિડ છે, જેની આસપાસ બીજા ઘણા નાના-મોટા પિરામિડ્સનું અસ્તિત્વ છે. તદુપરાંત, કૈલાસ એ તમામ પ્રકારની પરાલૌકિક શક્તિઓનું કેન્દ્રસ્થાન હોવું જોઈએ!

મુલ્દાશેવ દ્વારા પ્રકાશિત થયેલા એકેડેમિક પેપરમાં તેમણે આ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે પોતે અને તેઓની ટીમે ઘણી વખત કૈલાસના નાભિસ્થાનમાંથી આવતા અવાજો સાંભળ્યા હતા. અડધી રાત્રે સંભળાતો એ નાદ ઘણો જ જુદા પ્રકારનો અને રહસ્યમયી હતો. એક રાત્રે તો એવું પણ બન્યું કે ટીમના બધા જ સભ્યોએ પર્વતના વચલા વિસ્તારમાંથી અંદરખાને પથ્થરો ગબડતા હોય એવા અવાજ સાંભળ્યા. તેમને એવું પ્રતીત થયું જાણે કૈલાસ નામના આ વિશાળ પિરામિડની અંદર હજુ પણ ક્યાંક માનવ-વસવાટ હોવો જોઈએ, જે સદીઓથી ત્યાં છુપાઈને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે! મુલ્દાશેવ આ અંતર્ગત જણાવે છે કે, તિબેટિયન સાહિત્યોમાં પણ કૈલાસની ઉત્તર-પશ્ચિમે આવેલા સંભાલાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવું મારા માટે મુશ્કેલ છે. હા, એટલું ખરું કે અમને જે પુરાવાઓ મળ્યા એના પરથી એટલું તો કહી જ શકાય કે કૈલાસમાં અમુક રહસ્યમયી માનવ-વસ્તી આદિકાળથી વસવાટ ધરાવતી હોવી જોઈએ. આ ઉપરાંત, તેમણે કૈલાસ પર્વતના સમગ્ર સ્ટ્રક્ચરને માનવના ડીએનએ (રંગસૂત્રની જોડ) સાથે સરખાવ્યું છે!

અજય ભટ્ટ સાથેની વાતચીતમાં એક મહત્વપૂર્ણ વાત એ જાણવા મળી કે, કૈલાસ માનસરોવરની યાત્રાની શરૂઆતમાં જ પ્રત્યેક શ્રદ્ધાળુઓને એક રૂદ્રાક્ષ માળા આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ માળા સમગ્ર યાત્રા દરમિયાન એમનું બાધાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. એમનો સ્વાનુભવ એવો રહ્યો છે કે કૈલાસ યાત્રા દરમિયાન ઘણા યાત્રિકોને શ્વાસોચ્છવાસમાં ઓક્સિજનની કમી વર્તાય છે. પરંતુ એક સમય એવો આવે છે, જ્યારે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા જ એમને ભયમુક્ત બનાવીને આગળ વધવા પ્રેરે છે. કૈલાસ પર્વતનું અલૌકિકપણું આશ્ચર્ય પેદા કરે એવું છે. ઘણા યાત્રિકોને પર્વતમાળામાં સ્વયં મહાદેવના બંને નયનના દર્શન થયાના દાખલા નોંધાયા છે. નટરાજ સ્વયં આવીને આશીર્વાદ આપતા હોય એવા પ્રકારની અનુભૂતિ અહીં સામાન્ય છે!

પોતાનો અનુભવ મારી સાથે વહેંચતી વખતે અજય ભટ્ટ કહે છે, ‘કૈલાસ એક અનુભૂતિ છે! શૈવત્વને સમર્પિત થઈને સમગ્રમાં એકાકાર થઈ જવા સુધીની યાત્રા! કૈલાસ પ્રવાસ શરૂ કરો એ વખતે બની શકે કે અનેક પડકારો નજર સમક્ષ ઉભા હોય. પરિવારની ચિંતાથી માંડીને એ યાત્રા પરથી કદી ય પરત ન ફરી શકવાની ચિંતા પણ એમાં સામેલ હોય છે. યમદ્વાર પાસે પહોંચો ત્યારે ખરેખર એવું લાગે જાણે મૃત્યુની સાવ સમીપ પહોંચી ગયા છીએ. કહેવાય છે કે, કૈલાસ સુધી પહોંચવા માટે નવો જન્મ લેવો પડે છે. યમદ્વારમાંથી પસાર થયા બાદ માણસનો બીજો જન્મ થાય છે એમ હિંદુ ધર્મનું કહેવું છે. એવી માન્યતા છે કે યમદ્વાર ઓળંગી જનારા શ્રદ્ધાળુઓની બાકીની યાત્રા અત્યંત સુખદ અને સ્વાસ્થ્યપ્રદ નીવડે છે. તેમની મુશ્કેલીઓ જાણે ભગવાન શિવ પોતે ઓછી કરી રહ્યા હોય એવો અનુભવ થવા લાગે છે. અને હા, કોઈ પણ અપવિત્ર આત્મા ક્યારે ય યમદ્વાર પાર કરીને આગળની યાત્રામાં જોડાઈ નથી શકતો!’

કૈલાસના પિરામિડ હોવાના મતમતાંતરો દાયકાઓથી જોવા મળે છે. મુંબઈના જાણીતા સંસ્કૃત વિશેષજ્ઞ મોહન ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, રામાયણમાં પણ કૈલાસને પિરામિડ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણા વેદોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે. મુલ્દાશેવે પોતાના સંશોધનોમાં વર્ણવ્યું હતું કે આ પિરામિડની રચના પૌરાણિક કાળના અત્યંત એડવાન્સ્ડ ટેક્નોલોજી ધરાવતાં લોકોએ કરી હોવી જોઈએ એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ ચીનની સરકારે મુલ્દાશેવની આ થિયરીને વખોડી કાઢી હતી. અસલી વાત હવે શરૂ થાય છે. કૈલાસ પર સંશોધન કરીને આવ્યા બાદ ફક્ત એક વર્ષની અંદર મુલ્દાશેવે એક એવી ખોજ કરી, જેણે આધુનિક ચિકિત્સાની પદ્ધતિને નવી દિશા પ્રદાન કરી. પોતાની હોસ્પિટલમાં તેમણે એક આંધળી સ્ત્રીની આંખોનું ઑપરેશન કર્યુ, જેમાં કોર્નિયા (આંખનો પારદર્શક પડદો) અને રેટિના (નેત્રપટલ)નો સહારો લેવામાં આવ્યો. ઉપરાંત, મેડિકલ ટર્મમાં જેને ‘એલ્લોપ્લાન્ટ’ કહે છે, એવા આંખ માટે જરૂરી એવા ભાગને રાસાયણિક પ્રયોગો થકી માણસના સડી ગયેલા માંસમાંથી બનાવ્યો! આ ઘટના સામાન્ય મેડિકલ જગત માટે ચોંકાવનારી હતી.

વિશ્વની મહાસત્તાઓએ ભારતના ઘણા રહસ્યોને દાબી દેવાની અને પોતાના દેશ માટે ઉપયોગમાં લેવાની ભૂતકાળમાં ઘણી કોશિશ કરી છે. રશિયન સંશોધકના આ પ્રયોગને પણ યુ.કે. ગવર્નમેન્ટ તરફથી નકારી દેવામાં આવ્યો. તેને કોઈ માન્યતા પ્રાપ્ત ન થઈ. 1948ની સાલમાં જન્મેલા મુલ્દાશેવ રશિયાના યુફા (ઞઋઅ)માં હજુ આજે પણ ‘એલ્લોપ્લાન્ટ રશિયન આઈ અને પ્લાસ્ટિક સર્જરી’ નામે એક મેડિકલ સેન્ટર ચલાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મુલ્દાશેવને આ પ્રેરણા કૈલાસના પર્વતોમાંથી મળી હતી!

You Might Also Like

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિસ્ટર ફિલ્મવાલા, અભિષેક પ્રકાશન અને બચ્ચનસર
Next Article ડાઉન ટુ અર્થ રહીને પણ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરી શકાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા સિંહ પરિવારે ગાયનો પીછો કર્યો, એક સિંહ અને ત્રણ સિંહણે બે ગાયનું મારણ કર્યું

khaskhabarrajkot khaskhabarrajkot 10 hours ago
સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી : લોકોનું ટોળું અને ટોર્ચના પ્રકાશથી સાવજ ભડક્યો, ગીરમાં ચીસાચીસથી ગામ ફફડ્યું
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મત ગણતરી 10 કેન્દ્રો ખાતે થશે
સંતો અને સનાતનીઓનું શક્તિ પ્રદર્શન, 60 માંગણી સાથે સરકારને અલ્ટિમેટમ
આ માત્ર ચૂંટણી નહીં, પરંતુ રાજકોટના આવનારા વર્ષોની દિશા નક્કી કરવાની તક: રાજદીપસિંહ જાડેજા
રાજકોટના કુખ્યાત ભૂમાફિયા રમેશ રાણાને મેટોડા પોલીસે બે વર્ષ માટે કર્યો હદપાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?