By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    UNSCમાં ભારતને મોટી સફળતા, પાકિસ્તાનનો પરાજય થયો, ચીને પણ મૌન સાધ્યું
    4 hours ago
    કેલિફોર્નિયામાં એર સ્ટેશન નજીક યુએસ નેવી એફ-35 ફાઇટર જેટ ક્રેશ થયું
    6 hours ago
    ચીનમાં બાળકના જન્મ પર રૂપિયા 1.30 લાખની સહાય: વન ચાઈલ્ડ નીતિએ જન્મદર અડધો કર્યો
    1 day ago
    ‘મેડે-મેડે’, બોઇંગ 787-8, યુએસ ફ્લાઇટનું ટેક ઓફ થયાના થોડા જ સેકન્ડમાં એન્જિન ફેલ થઈ
    1 day ago
    રશિયામાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી પેસિફિક સુનામીનું એલર્ટ જાહેર: જાપાન, અમેરિકા ભયમાં
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર : કુલ 77% વાવણી પૂર્ણ
    36 minutes ago
    દિલ્હી-રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર: નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ
    39 minutes ago
    BRICSના લીધે ટ્રમ્પે ભારત પર લાદ્યો 25% ટેરિફ
    41 minutes ago
    ઈરાન – રશિયા પાસેથી ઓઇલ ખરીદવાની ભારતને સજા: ટ્રમ્પે 6 કંપની પર પ્રતિબંધ લગાવ્યો
    47 minutes ago
    રાત-દિવસ બેલ્ટથી મારતા, ભોજન ન આપતા, સાધ્વી પ્રજ્ઞાએ જેલમાં અસહ્ય યાતના ભોગવી
    50 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC ઓલરાઉન્ડર્સ રેન્કિંગ્સમાં જાડેજા સતત 1239 દિવસથી નંબર-1
    34 minutes ago
    આવતીકાલથી ઓવલ ટેસ્ટ : ભારત માટે ‘કરો યા મરો’નો મુકાબલો
    1 day ago
    ‘બેન સ્ટોક્સ બગડેલા બાળક જેવું વર્તન કરતો હતો… બગાડી નાખે તેવી રમત’
    3 days ago
    ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે સાત વિકેટે 544 રન કર્યા, ભારત સામે 186 રનની લીડ મેળવી
    5 days ago
    ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો: રિષભ પંત ચાલુ મેચમાં થયો ઈજાગ્રસ્ત, 6 સપ્તાહ સુધી આરામ કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચંપક ચાચા ખૂબ મોટા પ્રેંકસ્ટર…. મુનમુન દત્તા
    4 hours ago
    ‘અવતાર 3’નું જોરદાર ટ્રેલર રિલીઝ, ફરી એકવાર પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જશે
    1 day ago
    તારક મહેતા શૉના સેટ પર ટોર્ચર……..જેનિફર મિસ્ત્રીએ પ્રોડક્શન હાઉસની પોલ ખોલી
    1 day ago
    ‘સૈયારા’ની જોડી IMDBના ટોપ 10 સેલિબ્રિટિઝની યાદીમાં સામેલ
    3 days ago
    ફિલ્મ વોર 2નું ટ્રેલર રીલીઝ, બંને સ્ટાર્સ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન
    2 days ago
    વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક
    3 days ago
    શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો
    3 days ago
    શ્રાવણ 2025 : શ્રાવણમાં ઉપવાસ કરો છો ત્યારે આ વાતોનું ખાસ ધ્યાન રાખો
    6 days ago
    ભોળાનાથને રિઝવવાનો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 days ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    2 weeks ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    2 weeks ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    3 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રહ્માંડયોગી મહાદેવનું વણઉકેલાયેલું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > બ્રહ્માંડયોગી મહાદેવનું વણઉકેલાયેલું રહસ્ય!
AuthorParakh Bhattધર્મ

બ્રહ્માંડયોગી મહાદેવનું વણઉકેલાયેલું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2021/10/16 at 2:21 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

લેખ લખતી વખતે આંગળીઓ ધ્રુજી રહી છે આજે! રૂંવાડા ઉભા થઈ ગયા છે.

મોર્ડન ધર્મ
– પરખ ભટ્ટ

કેટલાક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ. પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!

Contents
લેખ લખતી વખતે આંગળીઓ ધ્રુજી રહી છે આજે! રૂંવાડા ઉભા થઈ ગયા છે. મોર્ડન ધર્મ – પરખ ભટ્ટ

રોમાંચની લહેરખી શરીરમાંથી વીજળીની માફક પસાર થઈ રહી છે. એવું લાગી રહ્યું છે જાણે આજુબાજુના વિશ્વમાં સૂનકાર વ્યાપી ગયો છે. અસ્તિત્વવિહીન ‘સ્વ’ની અનુભૂતિ થઈ રહી છે, કારણકે સબ્જેક્ટ જ એટલો ગૂઢ અને માર્મિક છે : કૈલાસ! આદિકાળથી માનવસમુદાયના ઉત્થાનનો સાક્ષી બનેલો આ પર્વત હિંદુ ધર્મ માટે સૌથી પાવન તીર્થ છે. ત્રિકાળદર્શી દેવાધિદેવ મહાદેવનું એ રહેઠાણ છે, યોગસ્થળ છે. અત્યંત નિખાલસતા સાથે હું આજે એક હકીકતની કબૂલાત કરવા માંગુ છું. કૈલાસ વિશે સંશોધન કરવાની શરૂઆત કરી ત્યારે ઘણું બધું એવું સાહિત્ય (ઓનલાઇન-ઓફ્ફલાઇન) વાંચવામાં આવ્યું, જેમાં સમાવિષ્ટ થયેલી વિગતો એકદમ જૂની અને બહુ જ ચવાઈ ગયેલી હતી. પરંતુ વાચકોને કંઈક જૂદું પીરસવાની મહેચ્છાને કારણે રીસર્ચ આગળ ધપતું ગયું અને ત્યારબાદ જે પ્રકારની માહિતીઓ નજરમાં આવી એ કંપાવનારી છે, આશ્ચર્ય પેદા કરે એવી છે. બીજી એક ખાસ વાત એ પણ છે કે, આ લેખને તૈયાર કરવા માટે બબ્બે વખત કૈલાસ-માનસરોવરની યાત્રા પર જઈ આવેલા જામનગરના વતની અજય ભટ્ટની ખૂબ મદદ મળી છે. બહુ જ મોકળા મને એમણે એમના પોતાના અનુભવો, સાક્ષાત્કારો, ચમત્કારો મારી સાથે વહેંચ્યા. કૈલાસની ભૌગોલિક સ્થિતિ અને યાત્રિકોની શ્રદ્ધા સાથે ઘેર બેઠા પરિચિત કરાવવા પાછળ એમનો ઘણો જ મોટો ફાળો રહ્યો.

- Advertisement -

દરિયાની સપાટીથી 6718 મીટરની ઊંચાઈ પર આવેલા તિબેટના કૈલાસ પર્વતને હિંદુ, બુદ્ધ અને જૈન ધર્મના લોકો અત્યંત પૂજનીય ગણે છે. આજદિન સુધીમાં એકપણ વ્યક્તિ કૈલાસની ટોચ પર નથી પહોંચી શકી. એવું કહેવાય છે કે, જેમણે કૈલાસ પર છેક સુધી ચડવાની કોશિશ કરી છે તેઓ મૃત્યુને આધીન થયા છે. આ કારણોસર જ ચીનની સરકારે કૈલાસ પર્વતની ટોચ સુધી પહોંચવાની કોશિશોને વિરામ આપવાનું નક્કી કરી લીધું છે. આજની તારીખે કોઈ પણ સાહસિક વ્યક્તિ ઇચ્છે, તો પણ પર્વત ન ચઢી શકે એ માટે ચીની સરકારે ચઢાણ માટેની સદંતર મનાઈ ફરમાવી દીધી છે.

રશિયનોને પણ ભારતીયોની જેમ પર્વતો માટે બહુ જ લગાવ રહ્યો છે. તેઓ ઘણા વર્ષોથી વિશ્વના અલગ અલગ રહસ્યમય પર્વતો પર સંશોધનો આદરી રહ્યા છે. એવું કહેવાય છે કે, ઓગણીસમી અને વીસમી સદીમાં પુષ્કળ રશિયનોએ કૈલાસ પર્વતની ટોચ પર પહોંચવાની કોશિશ કરી, પરંતુ કોઈક અગમ્ય કારણોસર તેઓ લાપતા થઈ ગયા. તેમનો કોઈ પતો મેળવી શકાયો નથી. હવામાં ફેલાતા ધુમાડાની માફક તેમનું અસ્તિત્વ કૈલાસની વાદીઓમાં ક્યાંક ઓગળી ગયું છે! સાઈબિરિયન પર્વતારોહકના જણાવ્યાનુસાર, એક વખત કોઈક આખા સમૂહ (ગ્રુપ) દ્વારા કૈલાસ પર્વત ચઢવાની કોશિશ કરવામાં આવી હતી. તેઓ નિશ્ચિત કરેલા બિંદુથી આગળ તો વધ્યા, પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે તેમની ઉંમર અચાનક વધી ગઈ! ભર જવાનીમાં તેઓ વૃદ્ધ થઈ ગયા. માથા પર સફેદ વાળથી માંડીને શરીર પર કરચલીઓ આવી ગઈ. ફક્ત એક જ વર્ષની અંદર તેઓ મૃત્યુ પામ્યા! આ ઘટનાની પાછળ છુપાયેલી હકીકત કે તર્ક વિશે કોઈને કશો જ અંદાજ નથી!

અચ્છા, કેટલાક લોકોનું માનવું છે કે કૈલાસ પર્વતમાળામાં જ ક્યાંક સંભાલા ગામનું અસ્તિત્વ હોવું જોઈએ. પુરાણોમાં સંભાલા ગામને શ્રેષ્ઠત્તમ રહેવાસીઓનું ઘર ગણવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે, સંભાલા ગામમાં પરિપૂર્ણ (ક્ષતિરહિત) માનવોનું સામ્રાજ્ય છે. બીજી એક માન્યતા એ પણ છે કે, ભગવાન વિષ્ણુનો કળિયુગી કલ્કી અવતાર પણ સંભાલા ગામમાં જ જન્મ લેશે!

- Advertisement -

1999ની સાલમાં રશિયન ઓફ્થેલ્મોલોજિસ્ટ (આંખના નિષ્ણાંત) અર્નસ્ટ મુલ્દાશેવે તિબેટ જઈને કૈલાસ પર સંશોધનો કરવાનું નક્કી કર્યુ.

ભૂસ્તરશાસ્ત્ર, ભૈતિક વિજ્ઞાન અને ઈતિહાસના નિષ્ણાંતોથી ભરેલી એમની ટીમનો હેતુ સ્પષ્ટ હતો : કૈલાસ પર્વતમાળામાં છુપાયેલા ગર્ભિત રહસ્યો શોધી કાઢવા! કેટલાય મહિનાઓ સુધી એમણે તિબેટિયન લામા સાધુ સાથે વસવાટ કર્યો, કૈલાસ પર્વતની અથથી ઈતિ સમજવાની કોશિશ કરી અને તેની તળેટીમાં રહીને સંશોધનો કર્યા. લાંબા સમયની શોધખોળને અંતે તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા કે કૈલાસ એ વાસ્તવમાં પૌરાણિક કાળમાં માણસ દ્વારા બનાવાયેલો એક પિરામિડ છે, જેની આસપાસ બીજા ઘણા નાના-મોટા પિરામિડ્સનું અસ્તિત્વ છે. તદુપરાંત, કૈલાસ એ તમામ પ્રકારની પરાલૌકિક શક્તિઓનું કેન્દ્રસ્થાન હોવું જોઈએ!

મુલ્દાશેવ દ્વારા પ્રકાશિત થયેલા એકેડેમિક પેપરમાં તેમણે આ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. તેમણે પોતે અને તેઓની ટીમે ઘણી વખત કૈલાસના નાભિસ્થાનમાંથી આવતા અવાજો સાંભળ્યા હતા. અડધી રાત્રે સંભળાતો એ નાદ ઘણો જ જુદા પ્રકારનો અને રહસ્યમયી હતો. એક રાત્રે તો એવું પણ બન્યું કે ટીમના બધા જ સભ્યોએ પર્વતના વચલા વિસ્તારમાંથી અંદરખાને પથ્થરો ગબડતા હોય એવા અવાજ સાંભળ્યા. તેમને એવું પ્રતીત થયું જાણે કૈલાસ નામના આ વિશાળ પિરામિડની અંદર હજુ પણ ક્યાંક માનવ-વસવાટ હોવો જોઈએ, જે સદીઓથી ત્યાં છુપાઈને પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે! મુલ્દાશેવ આ અંતર્ગત જણાવે છે કે, તિબેટિયન સાહિત્યોમાં પણ કૈલાસની ઉત્તર-પશ્ચિમે આવેલા સંભાલાનો ઉલ્લેખ જોવા મળે છે, પરંતુ એને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવવું મારા માટે મુશ્કેલ છે. હા, એટલું ખરું કે અમને જે પુરાવાઓ મળ્યા એના પરથી એટલું તો કહી જ શકાય કે કૈલાસમાં અમુક રહસ્યમયી માનવ-વસ્તી આદિકાળથી વસવાટ ધરાવતી હોવી જોઈએ. આ ઉપરાંત, તેમણે કૈલાસ પર્વતના સમગ્ર સ્ટ્રક્ચરને માનવના ડીએનએ (રંગસૂત્રની જોડ) સાથે સરખાવ્યું છે!

અજય ભટ્ટ સાથેની વાતચીતમાં એક મહત્વપૂર્ણ વાત એ જાણવા મળી કે, કૈલાસ માનસરોવરની યાત્રાની શરૂઆતમાં જ પ્રત્યેક શ્રદ્ધાળુઓને એક રૂદ્રાક્ષ માળા આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ માળા સમગ્ર યાત્રા દરમિયાન એમનું બાધાઓ સામે રક્ષણ પૂરું પાડે છે. એમનો સ્વાનુભવ એવો રહ્યો છે કે કૈલાસ યાત્રા દરમિયાન ઘણા યાત્રિકોને શ્વાસોચ્છવાસમાં ઓક્સિજનની કમી વર્તાય છે. પરંતુ એક સમય એવો આવે છે, જ્યારે ભગવાન શિવ પ્રત્યેની આસ્થા જ એમને ભયમુક્ત બનાવીને આગળ વધવા પ્રેરે છે. કૈલાસ પર્વતનું અલૌકિકપણું આશ્ચર્ય પેદા કરે એવું છે. ઘણા યાત્રિકોને પર્વતમાળામાં સ્વયં મહાદેવના બંને નયનના દર્શન થયાના દાખલા નોંધાયા છે. નટરાજ સ્વયં આવીને આશીર્વાદ આપતા હોય એવા પ્રકારની અનુભૂતિ અહીં સામાન્ય છે!

પોતાનો અનુભવ મારી સાથે વહેંચતી વખતે અજય ભટ્ટ કહે છે, ‘કૈલાસ એક અનુભૂતિ છે! શૈવત્વને સમર્પિત થઈને સમગ્રમાં એકાકાર થઈ જવા સુધીની યાત્રા! કૈલાસ પ્રવાસ શરૂ કરો એ વખતે બની શકે કે અનેક પડકારો નજર સમક્ષ ઉભા હોય. પરિવારની ચિંતાથી માંડીને એ યાત્રા પરથી કદી ય પરત ન ફરી શકવાની ચિંતા પણ એમાં સામેલ હોય છે. યમદ્વાર પાસે પહોંચો ત્યારે ખરેખર એવું લાગે જાણે મૃત્યુની સાવ સમીપ પહોંચી ગયા છીએ. કહેવાય છે કે, કૈલાસ સુધી પહોંચવા માટે નવો જન્મ લેવો પડે છે. યમદ્વારમાંથી પસાર થયા બાદ માણસનો બીજો જન્મ થાય છે એમ હિંદુ ધર્મનું કહેવું છે. એવી માન્યતા છે કે યમદ્વાર ઓળંગી જનારા શ્રદ્ધાળુઓની બાકીની યાત્રા અત્યંત સુખદ અને સ્વાસ્થ્યપ્રદ નીવડે છે. તેમની મુશ્કેલીઓ જાણે ભગવાન શિવ પોતે ઓછી કરી રહ્યા હોય એવો અનુભવ થવા લાગે છે. અને હા, કોઈ પણ અપવિત્ર આત્મા ક્યારે ય યમદ્વાર પાર કરીને આગળની યાત્રામાં જોડાઈ નથી શકતો!’

કૈલાસના પિરામિડ હોવાના મતમતાંતરો દાયકાઓથી જોવા મળે છે. મુંબઈના જાણીતા સંસ્કૃત વિશેષજ્ઞ મોહન ભટ્ટ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, રામાયણમાં પણ કૈલાસને પિરામિડ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આપણા વેદોમાં પણ એ વાતનો ઉલ્લેખ છે. મુલ્દાશેવે પોતાના સંશોધનોમાં વર્ણવ્યું હતું કે આ પિરામિડની રચના પૌરાણિક કાળના અત્યંત એડવાન્સ્ડ ટેક્નોલોજી ધરાવતાં લોકોએ કરી હોવી જોઈએ એમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ ચીનની સરકારે મુલ્દાશેવની આ થિયરીને વખોડી કાઢી હતી. અસલી વાત હવે શરૂ થાય છે. કૈલાસ પર સંશોધન કરીને આવ્યા બાદ ફક્ત એક વર્ષની અંદર મુલ્દાશેવે એક એવી ખોજ કરી, જેણે આધુનિક ચિકિત્સાની પદ્ધતિને નવી દિશા પ્રદાન કરી. પોતાની હોસ્પિટલમાં તેમણે એક આંધળી સ્ત્રીની આંખોનું ઑપરેશન કર્યુ, જેમાં કોર્નિયા (આંખનો પારદર્શક પડદો) અને રેટિના (નેત્રપટલ)નો સહારો લેવામાં આવ્યો. ઉપરાંત, મેડિકલ ટર્મમાં જેને ‘એલ્લોપ્લાન્ટ’ કહે છે, એવા આંખ માટે જરૂરી એવા ભાગને રાસાયણિક પ્રયોગો થકી માણસના સડી ગયેલા માંસમાંથી બનાવ્યો! આ ઘટના સામાન્ય મેડિકલ જગત માટે ચોંકાવનારી હતી.

વિશ્વની મહાસત્તાઓએ ભારતના ઘણા રહસ્યોને દાબી દેવાની અને પોતાના દેશ માટે ઉપયોગમાં લેવાની ભૂતકાળમાં ઘણી કોશિશ કરી છે. રશિયન સંશોધકના આ પ્રયોગને પણ યુ.કે. ગવર્નમેન્ટ તરફથી નકારી દેવામાં આવ્યો. તેને કોઈ માન્યતા પ્રાપ્ત ન થઈ. 1948ની સાલમાં જન્મેલા મુલ્દાશેવ રશિયાના યુફા (ઞઋઅ)માં હજુ આજે પણ ‘એલ્લોપ્લાન્ટ રશિયન આઈ અને પ્લાસ્ટિક સર્જરી’ નામે એક મેડિકલ સેન્ટર ચલાવે છે. કેટલાક લોકોનું કહેવું છે કે મુલ્દાશેવને આ પ્રેરણા કૈલાસના પર્વતોમાંથી મળી હતી!

You Might Also Like

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સાથે વહીવટી છબરડો

આશિકી ઉર્ફે આસક્તિનું એનાલિસિસ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મિસ્ટર ફિલ્મવાલા, અભિષેક પ્રકાશન અને બચ્ચનસર
Next Article ડાઉન ટુ અર્થ રહીને પણ સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરી શકાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

એસ.કે. ચોકના ઠક્કર ગૃહ ઉદ્યોગમાંથી 12 કિલો અને રાજશક્તિ ફરસાણમાંથી 10 કિલો દાઝીયું તેલ મળ્યું, નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
લોકમેળામાં ગુજરાત પ્રવાસન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની વણઝાર થશે
સબ રજિસ્ટ્રાર કચેરીમાં સરવે પ 30 લાખથી વધુની રકમના દસ્તાવેજની માહિતી એકત્રિત કરાઇ
શીતળા સાતમે બેડીપરા સ્થિત મંદિરે ભક્તોની ભીડ
ઉમેદવાર હર્ષદ બકરાણિયાએ ફોર્મમાં ગુનાની માહિતી છૂપાવ્યાનો યોગીન છનિયારાની પેનલનો આક્ષેપ
રાજકોટ ST ડિવિઝનને ત્રણ દી’માં 15 નવી સુપર ડિલક્સ બસ મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ધર્મ

નાગ પંચમીના દિવસે અપનાવશો આ ઉપાય તો નાગ દેવતા થશે પ્રસન્ન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ધર્મ

વિશ્ર્વનું એકમાત્ર કાચબા મંદિર : જીવંત કાચબા છે શિવજીનું પ્રતીક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ધર્મ

શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર જળ ચડાવતી વખતે આ મંત્રોના જાપ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?