રૂા. 20થી 25ના કિલોના ભાવે તરબૂચની ખરીદી
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ, તા.28
ઉનાળાની શરૂઆત ધીરે ધીરે થઈ રહી છે ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો તરબૂચ આરોગતા હોય છે. ઉનાળાની સિઝન શરૂ થતાં જ તરબૂચની માંગ વધતી જોવા મળે છે. રાજકોટ યાર્ડમાં પણ મોટી માત્રામાં દરરોજ તરબૂચની આવક થઈ રહી છે. તરબૂચ ખાવાથી ગરમીથી રાહત મળે છે. તેની સાથે તરબૂચ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
- Advertisement -
તેમાં પોટેશિયમ, રિબોફ્લેવિન, આયર્ન, વિટામીન-એ, સી, બી અને લાઈકોપીન વગેરે જેવા પોષક તત્ત્વો હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે તરબૂચ 20 રૂપિયાા પ્રતિ કિલોના ભાવે વેચાય છે પરંતુ વિશ્ર્વમાં તરબૂચની એક એવી જાતિ પણ છે જે ખૂબ જ મોંઘી છે અને તે ક્યારેય સસ્તી હોતી નથી. વાસ્તવમાં આ તરબૂચની પ્રજાતિનું નામ ડેનસૂક કે બ્લેક તરબૂચ છે. આ તરબૂચ જાપાનના હોકાઈડો દ્વીપના ઉત્તર ભાગમાં જ જોવા મળે છે. ધોમ ધખતા તાપમાં ઠંડક આપતા તરબૂચની યાર્ડમાં મબલક આવક થઈ હતી. ઠેર ઠેર રસ્તાઓ પર તરબૂચ વેચવા માટે મંડપ લાગ્યા છે. તરબૂચ હાલ રૂા. 20થી 25ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આમ ગરમીનો પારો વધતાં તરબૂચની ખરીદીમાં પણ વધારો થઈ રહ્યો છે.