By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    22 hours ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    4 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    22 hours ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    3 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    3 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    4 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    22 hours ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!
Authorમનીષ આચાર્ય

જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!

Khaskhabar Editor
Last updated: 2023/10/28 at 5:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
19 Min Read
SHARE

વિજ્ઞાન પણ હવે આ બાબતને અધિકૃત રીતે સમર્થન આપે છે

આપણે ત્યાં કસરત, વ્યાયામ અને શારીરિક શ્રમનું મહિમાગાન તો આપણે ત્યાં ખુબ થાય છે પરંતુ બહુ ઓછા લોકો શરીરને કષ્ટ આપવાનું પસંદ કરે છે. બીજી તરફ શારીરિક મહેનત અને નિયમિત પ્રકારની કસરતોનો મગજની કાર્યપ્રણાલી પર શું પ્રભાવ પડે છે તે વિષયમાં ખાસ નોંધપાત્ર સંશોધનો પણ ન હતા. જોકે પ્રો.ડો. કર્ક એરિક્સને આ ક્ષેત્રે માતબર કાર્ય કરીને સમગ્ર વિશ્વના લોકો માટે એક નવી આધારભૂત જાણકારી ઉપલબ્ધ કરી છે જેમાં વૃદ્ધો સહિતના તમામ વય જૂથના લોકોના મગજના સ્વાસ્થ્ય પર વ્યાયામની જે જે અસરો પડે છે તેનો વિસ્તૃત વૈજ્ઞાનિક સંશોધન આધારિત અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. આ વૈજ્ઞાાનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે ખાસ્સા પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિઓ શારીરિક હિલચાલના કારણે પાછલી ઉંમરમાં થતાં માનસિક ઉન્માદની માત્ર અને પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. એટલું જ નહીં, પરંતુ સારા સમાચાર એ છે કે તમારી ઉંમર ગમે તે હોય, વધુ હલનચલન કરવાથી મગજના કાર્યોમાં લાભો મેળવવામાં ક્યારેય મોડું હોતું નથી. એવા પુરાવા પણ છે કે કસરત હળવી જ્ઞાનાત્મક ક્ષતિ (ખઈઈં) ને પણ ધીમી પડી શકે છે – તેનાથી યાદશક્તિ અને વૈચારિક કૌશલ્યમાં એક નાનો પણ નોંધપાત્ર સુધારો જે ઘણી વખત અલ્ઝાઈમર તરફ દોરી જાય છે તેને શરૂઆતમાં જ કાબૂમાં લઇ શકે છે. પિટ્સબર્ગ યુનિવર્સિટીના પ્રો. કિર્ક એરિક્સન કોગ્નીટીવ ન્યુરો સાયન્સ, એઇજીંગ, જીનેટિક, ન્યૂરો પ્લાસ્ટિસિટી અને મોલેક્યુલાર મિકેનીઝમ ઓફ કોગ્નીટિવ ફંકશનના ક્ષેત્રોમાં વ્યાપક સંશોધનો કરી રહ્યા છે. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓએ સમજશક્તિના વિવિધ પાસાઓ અને સહાયક મગજની રચના તેમજ સમયાંતરે તેના કાર્યમાં થતા ફેરફારોના પર સંશોધન કર્યા છે. તેમણે એ વાત વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે પ્રસ્થાપિત કરી છે કે વિવેકબુદ્ધિ જાળવી કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિ અને હળવી કસરતોમાં ભાગ લેવાથી વૃદ્ધોમાં સમજશક્તિ અને મગજની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. તેઓ હાલમાં પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ઇઅઈઇં લેબના મુખ્ય સંશોધક છે અને પુખ્તાવસ્થાના અંતમાં મગજ કેવી રીતે બદલાય છે અને સ્વાથ્ય અને પ્રસન્ન વૃદ્ધત્વને પ્રોત્સાહન આપતા પરિબળો પર તેમના સંશોધન અધિકૃત ગણાય છે.
તો હવે સવાલ એ ઊભો થાય છે કે મસ્તિષ્કને બહેતર અને વધુ સતેજ કરવા કયા પ્રકારની કસરતો કે શારીરિક શ્રમ કરવો જોઈએ અને તેના પરિણામો કેટલા સમય પછી જોવા મળે? આપણા ભારતીય શાસ્ત્રોમાં અને અર્વાચીન યુગમાં ગાંધીજીએ સૂચવેલ જીવન પદ્ધતિમાં સ્વાવલંબન અને સ્વશ્રયનું ખુબ જ મહત્વ દર્શાવ્યું છે પણ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની ભાષામાં નિષ્કર્ષ આપવા પડે. આ સંદર્ભમાં અગાઉનું વૈજ્ઞાનિક સાહિત્ય સૂચવે છે કે વ્યાયામની મસ્તિષ્કની પ્રવૃત્તિઓ પરની સ્પષ્ટ અસરો છ મહિનાથી એકાદ વરસ જેટલા સમયની કસરતો પછી સ્પષ્ટ

- Advertisement -

નિયમિત કસરત કરનાર વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં મસ્તિષ્કની કામગીરીની બીમારીઓ કે અલ્ઝાઇમરનો ભોગ નથી બનતી

એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે

રીતે જાણી શકાતી હોય છે. જોકે તેમાં શારીરિક પ્રવૃત્તિના પ્રકારનું પણ મહત્વ હોય છે. આ બાબતે મસ્તિષ્કના સ્વાસ્થ્યની જાળવણી અને તેમાં સુધાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આધારભૂત અભ્યાસો પૂરા પાડતી, ડોકટરો વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને નીતિઓ નિર્ધારિત કરતા તજજ્ઞોની એક સ્વતંત્ર પેનલ, ગ્લોબલ કાઉન્સિલ ઓન બ્રેઈન હેલ્થ દ્વારા 2019માં શારીરિક પ્રવૃત્તિ અને મગજની તંદુરસ્તી માટે ભલામણોની સૂચિ તૈયાર કરી હતી. એકંદરે, આ અહેવાલ બે પ્રકારની ભલામણો કરે છે. જેમાં એક વાત હેતુપૂર્ણ (વ્યવસ્થિત) કસરત કરવા બાબતે છે બીજી વાત આપણા રોજિંદા જીવનમાં સક્રિય રહેવાની, એટલે કે સ્વાવલંબન અને સ્વશ્રયની છે. આવી કસરતોની શરૂઆત ધીમે ધીમે કરી પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રારંભમાં માધ્યમ ગતિએ ચાલવાનું શરુ કરવું જોઈએ. હૃદયના ધબકારા નિયમિત થાય તે માટે લયબદ્ધ રીતે ચાલવાની આદત કેળવવી જોઈએ. ચાલવાની ગતી ઝડપી રાખવી જોઈએ. સ્ટ્રેન્થ/પ્રતિરોધક તાલીમ દા.ત. વજન ઊંચકવું સ્ક્વોટ્સ, લંગ્સ, એરોબિક તાલીમ જે તમારા હૃદયના ધબકારા વધારે છે જેમ કે સાયકલિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ લેપ્સ, ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસ. નિષ્ણાતોની સલાહ એવી છે કે સમય જતા પોતાની જાત સમક્ષ થોડો વધુ પડકાર મૂકો. જો તમે ખૂબ સક્રિય ન હોવ, તો આરામથી સ્ટ્રેચિંગ અને ચાલવાનું શરૂ કરો. જો તમે પહેલેથી જ વોકર અથવા જોગર છો, તો તમારી ગતિ અથવા અંતર વધારો. જો તમે સક્રિય દોડવીર છો, તો દોડવાનું ચાલુ રાખો અને તાકાત/પ્રતિરોધક તાલીમ શરૂ કરો. પ્રેરિત રહેવા માટે, અન્ય લોકો સાથે શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું વિચારો. શારીરિક પ્રવૃત્તિના સામાજિક પાસાઓ તમને તમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરણા આપી શકે છે. તમારા શરીરને ગતિશીલ કરવા માટે નક્કર યોજનાઓ બનાવો – તમે ક્યારે, ક્યાં અને કોની સાથે શારીરિક રીતે સક્રિય થશો તે વિશે વિચારો. એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે. મધ્યમ-તીવ્રતાની કસરત દરમિયાન, તમારું હૃદય ઝડપથી ધબકશે અને તમે સામાન્ય કરતાં વધુ શ્વાસ લેશો તેમ છતાં તમે હજી પણ વાત કરી શકશો. જોરશોરથી, શરીર કદાચ ગરમ થઈ જશો અને પરસેવો થવા લાગશો અને તમે શ્વાસ છોડ્યા વિના વધુ વાત કરી શકશો નહીં. વૃદ્ધોના બે અલગ અલગ મોટા જૂથ પર તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસના તારણો રસપ્રદ છે. આ માંહે પહેલું ગ્રુપ નિયમિત રીતે ચાલવાની કસરત કરતું હતું જ્યારે બીજું જૂથ નિયમિત રીતે સ્ટ્રેચિંગ અને ટોનિંગની કસરતો કરતું હતું. અભ્યાસની શરૂઆતમાં બન્ને જૂથોના સભ્યોના મગજના હિપોકેમ્પલ તરીકે ઓળખાતા પ્રદેશનું કદ એક સરખું હતું. મગજનો આ ભાગ યાદશક્તિની ક્ષતિ અને અલ્ઝાઈમર રોગ સાથે સંકળાયેલો હોય છે. એક વર્ષ પછી સ્ટ્રેચિંગ અને ટોનિંગ જૂથના સભ્યોના હિપ્પોકેમ્પસના કદમાં સરેરાશ 1.5% ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ઘટાડો દર 50 વર્ષથી વધુ વયના તંદુરસ્ત લોકોમાં વાર્ષિક ઘટાડાના સરેરાશ વાર્ષિક દર સાથે સુસંગત છે. વોકિંગ ગ્રૂપના લોકોના હિપ્પોકેમ્પસના કદમાં 2% વધારો નોંધાયો હતો. તેથી, આ અભ્યાસ સૂચવે છે કે જીવનમાં પાછળથી કસરતની નવી પદ્ધતિ શરૂ કરવાથી મગજ માટે ખૂબ જ વાસ્તવિક લાભ થઈ શકે છે. આ સાથે જ આજે અહી જ્યારે માનસિક સ્વાસ્થ્ય અને મગજની ક્ષમતાના સંદર્ભમાં કસરતની ઉપયોગિતાની વાત નીકળી છે ત્યારે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા ચાર મહત્વના સ્ત્રાવો વીશે પણ જાણી લઈએ; ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો મગજ કે મન પર પ્રત્યક્ષ અસર કરે છે. આવા ચાર મુખ્ય રસાયણ છે; ડોપામાઇન, એન્ડોરફીન, સરટોનિન, ઓક્સીટોસીન શરીરને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીરને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝરે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે. જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે… હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ. તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન

- Advertisement -

સ્વસ્થ જીવનમાં ચાર રસાયણોના સ્ત્રાવનું પ્રદાન ખુબ જ રસપ્રદ છે

રીતે જાણી શકાતી હોય છે. જોકે તેમાં શારીરિક પ્રવૃત્તિના પ્રકારનું પણ મહત્વ હોય છે. આ બાબતે મસ્તિષ્કના સ્વાસ્થ્યની જાળવણી અને તેમાં સુધાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આધારભૂત અભ્યાસો પૂરા પાડતી, ડોકટરો વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને નીતિઓ નિર્ધારિત કરતા તજજ્ઞોની એક સ્વતંત્ર પેનલ, ગ્લોબલ કાઉન્સિલ ઓન બ્રેઈન હેલ્થ દ્વારા 2019માં શારીરિક પ્રવૃત્તિ અને મગજની તંદુરસ્તી માટે ભલામણોની સૂચિ તૈયાર કરી હતી. એકંદરે, આ અહેવાલ બે પ્રકારની ભલામણો કરે છે. જેમાં એક વાત હેતુપૂર્ણ (વ્યવસ્થિત) કસરત કરવા બાબતે છે બીજી વાત આપણા રોજિંદા જીવનમાં સક્રિય રહેવાની, એટલે કે સ્વાવલંબન અને સ્વશ્રયની છે. આવી કસરતોની શરૂઆત ધીમે ધીમે કરી પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રારંભમાં માધ્યમ ગતિએ ચાલવાનું શરુ કરવું જોઈએ. હૃદયના ધબકારા નિયમિત થાય તે માટે લયબદ્ધ રીતે ચાલવાની આદત કેળવવી જોઈએ. ચાલવાની ગતી ઝડપી રાખવી જોઈએ. સ્ટ્રેન્થ/પ્રતિરોધક તાલીમ દા.ત. વજન ઊંચકવું સ્ક્વોટ્સ, લંગ્સ, એરોબિક તાલીમ જે તમારા હૃદયના ધબકારા વધારે છે જેમ કે સાયકલિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ લેપ્સ, ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસ. નિષ્ણાતોની સલાહ એવી છે કે સમય જતા પોતાની જાત સમક્ષ થોડો વધુ પડકાર મૂકો. જો તમે ખૂબ સક્રિય ન હોવ, તો આરામથી સ્ટ્રેચિંગ અને ચાલવાનું શરૂ કરો. જો તમે પહેલેથી જ વોકર અથવા જોગર છો, તો તમારી ગતિ અથવા અંતર વધારો. જો તમે સક્રિય દોડવીર છો, તો દોડવાનું ચાલુ રાખો અને તાકાત/પ્રતિરોધક તાલીમ શરૂ કરો. પ્રેરિત રહેવા માટે, અન્ય લોકો સાથે શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું વિચારો. શારીરિક પ્રવૃત્તિના સામાજિક પાસાઓ તમને તમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરણા આપી શકે છે. તમારા શરીરને ગતિશીલ કરવા માટે નક્કર યોજનાઓ બનાવો – તમે ક્યારે, ક્યાં અને કોની સાથે શારીરિક રીતે સક્રિય થશો તે વિશે વિચારો. એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે. મધ્યમ-તીવ્રતાની કસરત દરમિયાન, તમારું હૃદય ઝડપથી ધબકશે અને તમે સામાન્ય કરતાં વધુ શ્વાસ લેશો તેમ છતાં તમે હજી પણ વાત કરી શકશો. જોરશોરથી, શરીર કદાચ ગરમ થઈ જશો અને પરસેવો થવા લાગશો અને તમે શ્વાસ છોડ્યા વિના વધુ વાત કરી શકશો નહીં. વૃદ્ધોના બે અલગ અલગ મોટા જૂથ પર તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસના તારણો રસપ્રદ છે. આ માંહે પહેલું ગ્રુપ નિયમિત રીતે ચાલવાની કસરત કરતું હતું જ્યારે બીજું જૂથ નિયમિત રીતે સ્ટ્રેચિંગ અને ટોનિંગની કસરતો કરતું હતું. અભ્યાસની શરૂઆતમાં બન્ને જૂથોના સભ્યોના મગજના હિપોકેમ્પલ તરીકે ઓળખાતા પ્રદેશનું કદ એક સરખું હતું. મગજનો આ ભાગ યાદશક્તિની ક્ષતિ અને અલ્ઝાઈમર રોગ સાથે સંકળાયેલો હોય છે. એક વર્ષ પછી સ્ટ્રેચિંગ અને ટોનિંગ જૂથના સભ્યોના હિપ્પોકેમ્પસના કદમાં સરેરાશ 1.5% ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ઘટાડો દર 50 વર્ષથી વધુ વયના તંદુરસ્ત લોકોમાં વાર્ષિક ઘટાડાના સરેરાશ વાર્ષિક દર સાથે સુસંગત છે. વોકિંગ ગ્રૂપના લોકોના હિપ્પોકેમ્પસના કદમાં 2% વધારો નોંધાયો હતો. તેથી, આ અભ્યાસ સૂચવે છે કે જીવનમાં પાછળથી કસરતની નવી પદ્ધતિ શરૂ કરવાથી મગજ માટે ખૂબ જ વાસ્તવિક લાભ થઈ શકે છે. આ સાથે જ આજે અહી જ્યારે માનસિક સ્વાસ્થ્ય અને મગજની ક્ષમતાના સંદર્ભમાં કસરતની ઉપયોગિતાની વાત નીકળી છે ત્યારે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા ચાર મહત્વના સ્ત્રાવો વીશે પણ જાણી લઈએ; ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો મગજ કે મન પર પ્રત્યક્ષ અસર કરે છે. આવા ચાર મુખ્ય રસાયણ છે; ડોપામાઇન, એન્ડોરફીન, સરટોનિન, ઓક્સીટોસીન શરીરને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીરને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝરે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે. જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે… હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ. તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં

કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિનો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે

ને કેવી રીતે પેદા કરવા. જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે. સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે.. આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિનનું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે. કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે.. વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે. આ ભાવ જો વહેતો રહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે. હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે. હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા.. જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ચોથું રસાયણ છે ઓક્સીટોસીન આ રસાયણ સ્ત્રાવ પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી થકી પેદા કરીયે છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ. જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે. ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે…માણસ ખુશ રહે છે!

 

 

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: health, mind
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલનું મેગા ઓપરેશન: હમાસના 150 આતંકી અડ્ડા ધ્વસ્ત
Next Article હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ની સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મહાઆરતી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?