By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, 6.8 માઇલ ઊંચા રાખના વાદળો ફેંક્યા
    15 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    15 hours ago
    ‘યુદ્ધ શરૂ, કોઈ દયા નહીં’: ટ્રમ્પ દ્વારા ખામેનીના શરણાગતિ માંગ્યા બાદ ઈરાનની અમેરિકા અને ઇઝરાયલને ચેતવણી
    16 hours ago
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    1 day ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રાન્સફર ફીમાં હવે હાઉસિંગ સોસાયટીની મનમાની નહિં ચાલે : સરકારે મર્યાદા મુકી
    11 hours ago
    કંપનીઓનું ચોખ્ખું દેવું 6% વધીને રૂ.37.4 લાખ કરોડ
    11 hours ago
    કેદારનાથમાં ભૂસ્ખલન, 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યા: 2નાં મોત
    11 hours ago
    અમદાવાદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ 66 બોઇંગ 787 ફ્લાઇટ્સ રદ કરી: DGCA
    15 hours ago
    પાકિસ્તાન સાથે યુદ્ધવિરામમાં અમેરિકાની કોઈ મધ્યસ્થી નહોતી: પ્રધાનમંત્રી મોદી
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    15 hours ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    2 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    3 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    7 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    14 hours ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    5 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    6 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!
Authorમનીષ આચાર્ય

જીવનના અંત સુધી મગજને સતેજ રાખવા કસરતો અને શારીરિક શ્રમની ભૂમિકા મહત્વપૂર્ણ!

Khaskhabar Editor
Last updated: 2023/10/28 at 5:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
19 Min Read
SHARE

વિજ્ઞાન પણ હવે આ બાબતને અધિકૃત રીતે સમર્થન આપે છે

આપણે ત્યાં કસરત, વ્યાયામ અને શારીરિક શ્રમનું મહિમાગાન તો આપણે ત્યાં ખુબ થાય છે પરંતુ બહુ ઓછા લોકો શરીરને કષ્ટ આપવાનું પસંદ કરે છે. બીજી તરફ શારીરિક મહેનત અને નિયમિત પ્રકારની કસરતોનો મગજની કાર્યપ્રણાલી પર શું પ્રભાવ પડે છે તે વિષયમાં ખાસ નોંધપાત્ર સંશોધનો પણ ન હતા. જોકે પ્રો.ડો. કર્ક એરિક્સને આ ક્ષેત્રે માતબર કાર્ય કરીને સમગ્ર વિશ્વના લોકો માટે એક નવી આધારભૂત જાણકારી ઉપલબ્ધ કરી છે જેમાં વૃદ્ધો સહિતના તમામ વય જૂથના લોકોના મગજના સ્વાસ્થ્ય પર વ્યાયામની જે જે અસરો પડે છે તેનો વિસ્તૃત વૈજ્ઞાનિક સંશોધન આધારિત અભ્યાસ રજૂ કરવામાં આવ્યો છે. આ વૈજ્ઞાાનિક સંશોધનોએ દર્શાવ્યું છે કે ખાસ્સા પ્રમાણમાં શારીરિક પ્રવૃત્તિઓ શારીરિક હિલચાલના કારણે પાછલી ઉંમરમાં થતાં માનસિક ઉન્માદની માત્ર અને પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. એટલું જ નહીં, પરંતુ સારા સમાચાર એ છે કે તમારી ઉંમર ગમે તે હોય, વધુ હલનચલન કરવાથી મગજના કાર્યોમાં લાભો મેળવવામાં ક્યારેય મોડું હોતું નથી. એવા પુરાવા પણ છે કે કસરત હળવી જ્ઞાનાત્મક ક્ષતિ (ખઈઈં) ને પણ ધીમી પડી શકે છે – તેનાથી યાદશક્તિ અને વૈચારિક કૌશલ્યમાં એક નાનો પણ નોંધપાત્ર સુધારો જે ઘણી વખત અલ્ઝાઈમર તરફ દોરી જાય છે તેને શરૂઆતમાં જ કાબૂમાં લઇ શકે છે. પિટ્સબર્ગ યુનિવર્સિટીના પ્રો. કિર્ક એરિક્સન કોગ્નીટીવ ન્યુરો સાયન્સ, એઇજીંગ, જીનેટિક, ન્યૂરો પ્લાસ્ટિસિટી અને મોલેક્યુલાર મિકેનીઝમ ઓફ કોગ્નીટિવ ફંકશનના ક્ષેત્રોમાં વ્યાપક સંશોધનો કરી રહ્યા છે. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓએ સમજશક્તિના વિવિધ પાસાઓ અને સહાયક મગજની રચના તેમજ સમયાંતરે તેના કાર્યમાં થતા ફેરફારોના પર સંશોધન કર્યા છે. તેમણે એ વાત વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે પ્રસ્થાપિત કરી છે કે વિવેકબુદ્ધિ જાળવી કરવામાં આવતી શારીરિક પ્રવૃત્તિ અને હળવી કસરતોમાં ભાગ લેવાથી વૃદ્ધોમાં સમજશક્તિ અને મગજની કામગીરીમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. તેઓ હાલમાં પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં ઇઅઈઇં લેબના મુખ્ય સંશોધક છે અને પુખ્તાવસ્થાના અંતમાં મગજ કેવી રીતે બદલાય છે અને સ્વાથ્ય અને પ્રસન્ન વૃદ્ધત્વને પ્રોત્સાહન આપતા પરિબળો પર તેમના સંશોધન અધિકૃત ગણાય છે.
તો હવે સવાલ એ ઊભો થાય છે કે મસ્તિષ્કને બહેતર અને વધુ સતેજ કરવા કયા પ્રકારની કસરતો કે શારીરિક શ્રમ કરવો જોઈએ અને તેના પરિણામો કેટલા સમય પછી જોવા મળે? આપણા ભારતીય શાસ્ત્રોમાં અને અર્વાચીન યુગમાં ગાંધીજીએ સૂચવેલ જીવન પદ્ધતિમાં સ્વાવલંબન અને સ્વશ્રયનું ખુબ જ મહત્વ દર્શાવ્યું છે પણ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનની ભાષામાં નિષ્કર્ષ આપવા પડે. આ સંદર્ભમાં અગાઉનું વૈજ્ઞાનિક સાહિત્ય સૂચવે છે કે વ્યાયામની મસ્તિષ્કની પ્રવૃત્તિઓ પરની સ્પષ્ટ અસરો છ મહિનાથી એકાદ વરસ જેટલા સમયની કસરતો પછી સ્પષ્ટ

- Advertisement -

નિયમિત કસરત કરનાર વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં મસ્તિષ્કની કામગીરીની બીમારીઓ કે અલ્ઝાઇમરનો ભોગ નથી બનતી

એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે

રીતે જાણી શકાતી હોય છે. જોકે તેમાં શારીરિક પ્રવૃત્તિના પ્રકારનું પણ મહત્વ હોય છે. આ બાબતે મસ્તિષ્કના સ્વાસ્થ્યની જાળવણી અને તેમાં સુધાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આધારભૂત અભ્યાસો પૂરા પાડતી, ડોકટરો વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને નીતિઓ નિર્ધારિત કરતા તજજ્ઞોની એક સ્વતંત્ર પેનલ, ગ્લોબલ કાઉન્સિલ ઓન બ્રેઈન હેલ્થ દ્વારા 2019માં શારીરિક પ્રવૃત્તિ અને મગજની તંદુરસ્તી માટે ભલામણોની સૂચિ તૈયાર કરી હતી. એકંદરે, આ અહેવાલ બે પ્રકારની ભલામણો કરે છે. જેમાં એક વાત હેતુપૂર્ણ (વ્યવસ્થિત) કસરત કરવા બાબતે છે બીજી વાત આપણા રોજિંદા જીવનમાં સક્રિય રહેવાની, એટલે કે સ્વાવલંબન અને સ્વશ્રયની છે. આવી કસરતોની શરૂઆત ધીમે ધીમે કરી પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રારંભમાં માધ્યમ ગતિએ ચાલવાનું શરુ કરવું જોઈએ. હૃદયના ધબકારા નિયમિત થાય તે માટે લયબદ્ધ રીતે ચાલવાની આદત કેળવવી જોઈએ. ચાલવાની ગતી ઝડપી રાખવી જોઈએ. સ્ટ્રેન્થ/પ્રતિરોધક તાલીમ દા.ત. વજન ઊંચકવું સ્ક્વોટ્સ, લંગ્સ, એરોબિક તાલીમ જે તમારા હૃદયના ધબકારા વધારે છે જેમ કે સાયકલિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ લેપ્સ, ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસ. નિષ્ણાતોની સલાહ એવી છે કે સમય જતા પોતાની જાત સમક્ષ થોડો વધુ પડકાર મૂકો. જો તમે ખૂબ સક્રિય ન હોવ, તો આરામથી સ્ટ્રેચિંગ અને ચાલવાનું શરૂ કરો. જો તમે પહેલેથી જ વોકર અથવા જોગર છો, તો તમારી ગતિ અથવા અંતર વધારો. જો તમે સક્રિય દોડવીર છો, તો દોડવાનું ચાલુ રાખો અને તાકાત/પ્રતિરોધક તાલીમ શરૂ કરો. પ્રેરિત રહેવા માટે, અન્ય લોકો સાથે શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું વિચારો. શારીરિક પ્રવૃત્તિના સામાજિક પાસાઓ તમને તમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરણા આપી શકે છે. તમારા શરીરને ગતિશીલ કરવા માટે નક્કર યોજનાઓ બનાવો – તમે ક્યારે, ક્યાં અને કોની સાથે શારીરિક રીતે સક્રિય થશો તે વિશે વિચારો. એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે. મધ્યમ-તીવ્રતાની કસરત દરમિયાન, તમારું હૃદય ઝડપથી ધબકશે અને તમે સામાન્ય કરતાં વધુ શ્વાસ લેશો તેમ છતાં તમે હજી પણ વાત કરી શકશો. જોરશોરથી, શરીર કદાચ ગરમ થઈ જશો અને પરસેવો થવા લાગશો અને તમે શ્વાસ છોડ્યા વિના વધુ વાત કરી શકશો નહીં. વૃદ્ધોના બે અલગ અલગ મોટા જૂથ પર તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસના તારણો રસપ્રદ છે. આ માંહે પહેલું ગ્રુપ નિયમિત રીતે ચાલવાની કસરત કરતું હતું જ્યારે બીજું જૂથ નિયમિત રીતે સ્ટ્રેચિંગ અને ટોનિંગની કસરતો કરતું હતું. અભ્યાસની શરૂઆતમાં બન્ને જૂથોના સભ્યોના મગજના હિપોકેમ્પલ તરીકે ઓળખાતા પ્રદેશનું કદ એક સરખું હતું. મગજનો આ ભાગ યાદશક્તિની ક્ષતિ અને અલ્ઝાઈમર રોગ સાથે સંકળાયેલો હોય છે. એક વર્ષ પછી સ્ટ્રેચિંગ અને ટોનિંગ જૂથના સભ્યોના હિપ્પોકેમ્પસના કદમાં સરેરાશ 1.5% ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ઘટાડો દર 50 વર્ષથી વધુ વયના તંદુરસ્ત લોકોમાં વાર્ષિક ઘટાડાના સરેરાશ વાર્ષિક દર સાથે સુસંગત છે. વોકિંગ ગ્રૂપના લોકોના હિપ્પોકેમ્પસના કદમાં 2% વધારો નોંધાયો હતો. તેથી, આ અભ્યાસ સૂચવે છે કે જીવનમાં પાછળથી કસરતની નવી પદ્ધતિ શરૂ કરવાથી મગજ માટે ખૂબ જ વાસ્તવિક લાભ થઈ શકે છે. આ સાથે જ આજે અહી જ્યારે માનસિક સ્વાસ્થ્ય અને મગજની ક્ષમતાના સંદર્ભમાં કસરતની ઉપયોગિતાની વાત નીકળી છે ત્યારે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા ચાર મહત્વના સ્ત્રાવો વીશે પણ જાણી લઈએ; ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો મગજ કે મન પર પ્રત્યક્ષ અસર કરે છે. આવા ચાર મુખ્ય રસાયણ છે; ડોપામાઇન, એન્ડોરફીન, સરટોનિન, ઓક્સીટોસીન શરીરને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીરને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝરે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે. જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે… હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ. તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન

- Advertisement -

સ્વસ્થ જીવનમાં ચાર રસાયણોના સ્ત્રાવનું પ્રદાન ખુબ જ રસપ્રદ છે

રીતે જાણી શકાતી હોય છે. જોકે તેમાં શારીરિક પ્રવૃત્તિના પ્રકારનું પણ મહત્વ હોય છે. આ બાબતે મસ્તિષ્કના સ્વાસ્થ્યની જાળવણી અને તેમાં સુધાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આધારભૂત અભ્યાસો પૂરા પાડતી, ડોકટરો વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને નીતિઓ નિર્ધારિત કરતા તજજ્ઞોની એક સ્વતંત્ર પેનલ, ગ્લોબલ કાઉન્સિલ ઓન બ્રેઈન હેલ્થ દ્વારા 2019માં શારીરિક પ્રવૃત્તિ અને મગજની તંદુરસ્તી માટે ભલામણોની સૂચિ તૈયાર કરી હતી. એકંદરે, આ અહેવાલ બે પ્રકારની ભલામણો કરે છે. જેમાં એક વાત હેતુપૂર્ણ (વ્યવસ્થિત) કસરત કરવા બાબતે છે બીજી વાત આપણા રોજિંદા જીવનમાં સક્રિય રહેવાની, એટલે કે સ્વાવલંબન અને સ્વશ્રયની છે. આવી કસરતોની શરૂઆત ધીમે ધીમે કરી પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રારંભમાં માધ્યમ ગતિએ ચાલવાનું શરુ કરવું જોઈએ. હૃદયના ધબકારા નિયમિત થાય તે માટે લયબદ્ધ રીતે ચાલવાની આદત કેળવવી જોઈએ. ચાલવાની ગતી ઝડપી રાખવી જોઈએ. સ્ટ્રેન્થ/પ્રતિરોધક તાલીમ દા.ત. વજન ઊંચકવું સ્ક્વોટ્સ, લંગ્સ, એરોબિક તાલીમ જે તમારા હૃદયના ધબકારા વધારે છે જેમ કે સાયકલિંગ, જોગિંગ, રનિંગ, સ્વિમિંગ લેપ્સ, ગ્રુપ એક્સરસાઇઝ ક્લાસ. નિષ્ણાતોની સલાહ એવી છે કે સમય જતા પોતાની જાત સમક્ષ થોડો વધુ પડકાર મૂકો. જો તમે ખૂબ સક્રિય ન હોવ, તો આરામથી સ્ટ્રેચિંગ અને ચાલવાનું શરૂ કરો. જો તમે પહેલેથી જ વોકર અથવા જોગર છો, તો તમારી ગતિ અથવા અંતર વધારો. જો તમે સક્રિય દોડવીર છો, તો દોડવાનું ચાલુ રાખો અને તાકાત/પ્રતિરોધક તાલીમ શરૂ કરો. પ્રેરિત રહેવા માટે, અન્ય લોકો સાથે શારીરિક પ્રવૃત્તિઓ કરવાનું વિચારો. શારીરિક પ્રવૃત્તિના સામાજિક પાસાઓ તમને તમારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રેરણા આપી શકે છે. તમારા શરીરને ગતિશીલ કરવા માટે નક્કર યોજનાઓ બનાવો – તમે ક્યારે, ક્યાં અને કોની સાથે શારીરિક રીતે સક્રિય થશો તે વિશે વિચારો. એરોબિક કસરતની માત્રામાં વધારો કરીને દર અઠવાડિયે 300 મિનિટ મધ્યમ તીવ્રતા અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતા વધારાના લાભો આપશે. મધ્યમ-તીવ્રતાની કસરત દરમિયાન, તમારું હૃદય ઝડપથી ધબકશે અને તમે સામાન્ય કરતાં વધુ શ્વાસ લેશો તેમ છતાં તમે હજી પણ વાત કરી શકશો. જોરશોરથી, શરીર કદાચ ગરમ થઈ જશો અને પરસેવો થવા લાગશો અને તમે શ્વાસ છોડ્યા વિના વધુ વાત કરી શકશો નહીં. વૃદ્ધોના બે અલગ અલગ મોટા જૂથ પર તાજેતરમાં હાથ ધરવામાં અભ્યાસના તારણો રસપ્રદ છે. આ માંહે પહેલું ગ્રુપ નિયમિત રીતે ચાલવાની કસરત કરતું હતું જ્યારે બીજું જૂથ નિયમિત રીતે સ્ટ્રેચિંગ અને ટોનિંગની કસરતો કરતું હતું. અભ્યાસની શરૂઆતમાં બન્ને જૂથોના સભ્યોના મગજના હિપોકેમ્પલ તરીકે ઓળખાતા પ્રદેશનું કદ એક સરખું હતું. મગજનો આ ભાગ યાદશક્તિની ક્ષતિ અને અલ્ઝાઈમર રોગ સાથે સંકળાયેલો હોય છે. એક વર્ષ પછી સ્ટ્રેચિંગ અને ટોનિંગ જૂથના સભ્યોના હિપ્પોકેમ્પસના કદમાં સરેરાશ 1.5% ઘટાડો નોંધાયો હતો. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ઘટાડો દર 50 વર્ષથી વધુ વયના તંદુરસ્ત લોકોમાં વાર્ષિક ઘટાડાના સરેરાશ વાર્ષિક દર સાથે સુસંગત છે. વોકિંગ ગ્રૂપના લોકોના હિપ્પોકેમ્પસના કદમાં 2% વધારો નોંધાયો હતો. તેથી, આ અભ્યાસ સૂચવે છે કે જીવનમાં પાછળથી કસરતની નવી પદ્ધતિ શરૂ કરવાથી મગજ માટે ખૂબ જ વાસ્તવિક લાભ થઈ શકે છે. આ સાથે જ આજે અહી જ્યારે માનસિક સ્વાસ્થ્ય અને મગજની ક્ષમતાના સંદર્ભમાં કસરતની ઉપયોગિતાની વાત નીકળી છે ત્યારે આપણા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરતા ચાર મહત્વના સ્ત્રાવો વીશે પણ જાણી લઈએ; ક્યાં છે આ ચાર રસાયણ જે આપણા જીવનને મધુર કે મલિન બનાવી શકે છે. શરીર વિવિધ રસાયણોથી બનેલું છે પરંતુ અમુક રસાયણો મગજ કે મન પર પ્રત્યક્ષ અસર કરે છે. આવા ચાર મુખ્ય રસાયણ છે; ડોપામાઇન, એન્ડોરફીન, સરટોનિન, ઓક્સીટોસીન શરીરને દરરોજ શારીરિક ક્રિયાઓથી ઘસારો લાગે છે. શરીરને સ્વસ્થ રાખવા આપણે રોજબરોજ કસરત કરીયે છીએ. કસરત એ શ્રમ છે આથી શરીરને થાક લાગે છે દુખાવો થાય છે, આને દૂર કરવા આપણું શરીર એન્ડોરફીન નામનું રસાયણ મગજમાંથી ઝરે છે જેથી શરીરને થાક કે દુખાવાને બદલે આનંદની અનુભૂતિ થાય છે. એટલે જ નિયમિત કસરત કરતા લોકો એન્ડોરફીનની મજા લેવા નિયમિત કસરત કરવાનું ચૂકતા નથી અને આંનદ ગુમાવવા માગતા નથી. આ આનંદ ક્ષણીક હોય છે કે થોડા કલાકો સુધી જ રહે છે. પણ મનને એ ગમે છે. જીવનમાં સુખી સંપન્ન થવા માટેની દોડમાં આપણે ઈચ્છીત વસ્તુ મેળવીએ એટલે પણ મનને ટાઢક થાય છે આનંદ આવે છે. જીવન જરૂરિયાત ની કે ભૌતિક આંનદ માટે ની વસ્તુ મળતા માનવી ખૂબ ખુશ થાય છે એને મજા આવે છે. ખરેખર આ સમયે ડોપમાઇન મગજમાં ઝરવાની શરૂઆત થાય છે.. વર્ષોથી કોઈ વસ્તુ મેળવવાની ઈચ્છા હોય કે ટૂંક સમયમાં કોઈ ભૌતિક આનંદ મળે તો એ બીજું કાંઈ નહીં પણ ડોપામાઇન જ જવાબદાર છે… હા પણ આ અવસ્થા પણ ક્ષણિક જ રહે છે કે થોડા દિવસો સુધી. સારા કપડાં, સુંદર મકાન, નવી કાર, ફોન અને ઘણું આ બધું મળતા જે આનંદ મળે છે એટલે ખરેખર ડોપામાઇન નું પ્રમાણ વધવુ. તો બીજા બે રસાયણો કયા છે..? માનવ જીવનમાં આ ચાર રસાયણો જ સંપૂર્ણ સુખ શાંતિ કે આનંદમય જીવન નક્કી કરે છે. સરટોનિન અને ઓક્સીટોસીન

વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં

કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિનો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે

ને કેવી રીતે પેદા કરવા. જો આ બે રસાયણ કૈક જુદા પ્રકારના છે એના પેદા કરવા થોડી મહેનત અને સ્વભાવ મહત્વનો ફાળો ભજવે છે. સરટોનિન ત્યારે જ પેદા થાય છે જ્યારે આપણે બીજાને લાભ થાય એવું કોઈ કાર્ય કરીયે.. આપણો ખુદનો સ્વાર્થ છોડી બીજાને મદદરૂપ થવાની ક્રિયા કરીયે ત્યારે આપોઆપ મગજમાં સરટોનિનનું પ્રમાણ વધવાની શરૂઆત થાય છે. કોઈ ગરીબને મદદ કરવી, રસ્તામાં કોઈ અજાણ્યાને મદદ કરવી, સગાંવહાલાં ને કામ આવવું. પોતાનો વિચાર કર્યા વગર, સ્વાર્થમુક્ત બની અન્યને ફાયદો થાય એવું કામ કરીએ એટલે આપોઆપ એક આનંદ થાય છે જે બીજું કાંઈ નહીં પણ સરટોનિનની અસર છે, આ આદત કેળવવી પડે છે.. વૈષ્ણવ જન તો તેનેરે કહીયે જે પીડ પરાઈ જાણે રે એવો ભાવ જો મનમાં હોય તો સરટોનિનની કમી વર્તાય નહીં. બસમાંથી ઉતરતી વખતે કોઈને સામાન ઊંચકવામાં મદદ કરી, ઝાડને પાણી પાયું, લિફ્ટમાં જતી વખતે કોઈની રાહ જોઇને એમને પણ સાથે લીધા, બાળકોને હસાવ્યા- વાર્તા કરી-રમ્યા, પ્રાણીને ખવડાવ્યું, પરિચિત વ્યક્તિઓ કરતા પણ અપરિચિત વ્યક્તિને મદદરૂપ થવું એ પણ નિસ્વાર્થભાવે એ જ ખરો આંનદ છે, દાન પુણ્ય કરવું પણ પુણ્ય કમાવા માટે નહીં, બીજાને ઉપકારીત કરવા નહીં, દેખાડો કરવા નહીં ફક્ત નિજાનંદ માટે એ મહત્વનું છે. આ ભાવ જો વહેતો રહે તો ઝિંદગી ના ખળખળતા ઝરણાં ગુંજી ઉઠે અને એની ભીનાશ આજુબાજુના સૌ કોઈને આંનદ આપે. કોઈની ખબર પૂછવી, અમસ્તો જ ફોન કરવો, એકાદ પત્ર કે લેખ લખવો, અગણિત એવા કામ છે જે બીજાના માટે કરી શકાય અને આંનદ આપણને મળે. આ નાનો લેખ લખતી વખતે મને ખરેખર આંનદ થાય છે કે બીજાને ગમશે ફાયદો થશે જીવન ઉપયોગી થશે એ જરૂર મારા અંદર મગજમાં રસાયણો પ્રભાવી ચોક્કસ બનાવશે. હું મારો સમય બીજાના માટે આ લેખ લખી આપી રહ્યો છું એ પણ નિસ્વાર્થ ભાવે એનો આનંદ તો વ્યક્તિ પોતે જ સમજી શકે. હવે સમજાય છે ને કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, નારાયણમૂર્તિ, રતન ટાટા, ઝુકરબર્ગ , ડાયમન્ડ કિંગ ધોળકિયા, અન્ય ઘણા નામી બેનામી લોકો અઢળક સંપત્તિ મેળવ્યા પછી કેમ ચેરિટી તરફ વળી ગયા. ફક્ત ને ફક્ત જીવનની ખુશી આંનદ અને મનની શાંતિ અને પોતાની જાતને સંતોષ આપવા.. જરૂરી નથી કે સંપત્તિ હોય તો જ દાન કરવાથી શાંતિ મળે, ફક્ત બીજાના માટે સારા વિચાર કરીને, સારું ઇચ્છી ને પણ મનને આંનદ મળે છે એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ચોથું રસાયણ છે ઓક્સીટોસીન આ રસાયણ સ્ત્રાવ પણ આપણે આપણી વિવિધ પ્રવૃત્તિથી થકી પેદા કરીયે છીએ. જ્યારે આપણે કોઈ વ્યક્તિની ખૂબ જ નજીક આવીએ છીએ, સહવાસ કેળવીએ છીએ, મિત્રતા વિકસાવીએ છીએ, સાંમાજિક બનીએ છીએ, સમાજના તમામ લોકોને મહત્વ આપીએ છીયે ત્યારે એક સારો ભાવ પેદા થાય છે, કોઈને ભેટવાથી, હસ્તધૂંનન કરવાથી, વ્હાલ કરવાથી, માથે હાથ ફેરવવાથી, પીઠ થાબડવાથી કે સહાનુભૂતિ નો સ્પર્શ આપવાથી અઢળક માત્રામાં આપણા મગજમાં ઓક્સીટોસીન પેદા થાય છે અને આપણને ખૂબ સારું અનુભવાય છે. મગજમાં કેમિકલ ઇમબેલેન્સ એવો શબ્દ ડોકટરો વાપરતા હોય છે, કેમિકલ લોચા વગેરે જેવી વસ્તુ ઓ દૂર કરવા ફક્ત આ ઉપર જણાવેલી ક્રિયાઓ કરવાથી જીવનમાં કોઈ મુશ્કેલી આવતી નથી ખરેખર તો મુશ્કેલી આવે તો આપણે એને સહજતાથી સમજી અને ઉપાય શોધી શકીએ છીએ. જીવનનો હેતુ ખુશ રેહવું અને બીજાને ખુશ રાખવાનો હોય છે, આજે પરિસ્થિતિ વિપરીત છે, એકબીજા માટે દ્વેષભાવ, ઈર્ષ્યા, કડવા વેણ, મદદરૂપ ન થવું, પીઠ પાછળ બોલવું, કંજુસાઈ કરવી, કોઈના માટે સમય ન આપવો, સહાનુભુતિ ન દર્શાવવી, વગેરે મોટા ભાગની શાંતિ છીનવી જાય છે. ખોરાક પણ આવા કેમિકલ્સ ને માટે ઉદીપકનું કામ કરે છે એટલે જ તો કહેવાય છે જેવું અન્ન તેવું મન. જાતે બનાવેલો ખોરાક તેમાં એક ભાવ રેડે છે સ્વાદ વધારે છે વિચારો સારા કરે છે…માણસ ખુશ રહે છે!

 

 

You Might Also Like

હવાઇ સફર, સૌથી સલામત સફર

આપણી જાતને ઓળખીએ

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ..

હેપ્પી ફાધર્સ-ડે

TAGGED: health, mind
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલનું મેગા ઓપરેશન: હમાસના 150 આતંકી અડ્ડા ધ્વસ્ત
Next Article હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિમાન દુર્ઘટનામાં ભોગ બનનાર રાજકોટના મુક્તાબેન ડાંગરનો પાર્થિવ દેહ પરિવારને સોંપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Ending Plastic Pollution વિષય અંતર્ગત રાજકોટ મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે 12 હોટલાઇન, 14 સેટેલાઈટ ફોન 24 કલાક કાર્યરત : મંત્રી કુંવરજી બાવળીયા
પ્રથમ વરસાદે જ 11 ડેમ હાઈએલર્ટ પર
જેતપુરમાં ધારેશ્ર્વર ચોકડી પાસેથી પિસ્ટલ સાથે ગોંડલનો શખ્સ ઝડપાયો
રાજુલાના રાજપરડા- ગાજાવદર વરચે જોલાપરી નદીમાં કાર ડૂબી જતાં આહીર સમાજ અગ્રણીનું મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હવાઇ સફર, સૌથી સલામત સફર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Shailesh Sagpariya

આપણી જાતને ઓળખીએ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Kinnar Acharya

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?