શહેર અને જિલ્લા પ્રમુખ યથાવત કે પછી છેલ્લી ઘડીએ બદલાશે
ટિકિટવાંચ્છુ ઉમેદવારોનું દ્વારા ઉચ્ચ લેવલે લોબિંગ શરુ
ભાજપ 26 અને 27 જાન્યુઆરીએ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ મહાનગર પાલીકા સાથે જિલ્લાની 6 નગર પાલિકા અને બે તાલુકા પંચાયત પેટ ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા હજુ ગુજરાતમાં એક પણ મહાનગર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની વરણી કરવામાં આવી નથી એવા સમયે જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થઇ છે ત્યારે શું શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ યથાવત રાખીને ચૂંટણી યોજાશે તે શહેરમાં ચર્ચાઓનો વિષય બન્યો છે બીજી તરફ એ પણ છે કે, જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ફરી ભવ્ય વિજય થાય તેના માટે હાઇકમાન્ડે કમાન સંભાળી લીધી છે.ત્યારે જે રીતે ગત પાંચ વર્ષના શાશનમાં
જે રીતે શહેરમાં કામગીરી જોઈને નો રિપીટ થીયરી અપનાવી નવા ચહેરા પસંદ કરી લેવામાં આવ્યા છે.તેવા અનેક સવાલો સાથે શહેરના રાજકારણમાં ચર્ચાય રહ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગત પ્રમાણે ભાજપ હાઇકમાન્ડ દ્વારા આગામી તા.26 અને 27 જાન્યુઆરીએ સેન્સ પ્રક્રિયા હાથધરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે અનેક વાતોની અટકળ વચ્ચે હાલ ટિકિટ વાંછુક ઉમેદવારોએ પ્રદેશ લેવલ સુધી લોબિંગ શરુ કરી દીધું છે.અને ભાજપમાં ચૂંટણી લાડવા મોટી સંખ્યામાં રાફડો ફાટ્યો છે.બીજી એ વાત પણ સામે આવી છે કે, ભલે શહેરમાં લોકોની નારાજગી હોઈ પણ ભાજપ હાઇકમાન્ડની વ્યૂહ રચનાથી ઉમેદવારોને જીતાડી દેશે તેવા પણ સપના સાથે આજે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે.ત્યારે આ વર્ષે ચોપાંખીયો જંગ જામશે તે વાત નિશ્ચિત છે. ભાજપ સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ એનસીપી અને અપક્ષ ઉમેદવારો મેદાન ઉતરશે ત્યારે 2025ની મહાનગર પાલિકા ચૂંટણીમાં ધમાસાણ જોવા મળશે.બીજી બાજુ ભાજપ નો રિપીટ થિયરી અપનાવે તો અન્ય પક્ષ અથવા અપક્ષ લડવાની પણ તૈયારીઓ બતાવામાં આવી રહી છે.હાલ તો જે રીતે જૂનાગઢ મહાનગર પાલિકા કબ્જે કરવા ભાજપ, કોંગ્રેસ અને આપ સહીત અપક્ષો લડી લેવાના મૂડમાં છે.પેહલા એવી વાત આવી હતી કે, જે રીતે રાજ્યમાં અન્ય પાલિકાને મહાનગરનો દરજ્જો આપવામાં તેની સાથે ચૂંટણી યોજાશે પણ ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મનપાની જાહેર કરતા અનેક નેતાઓ ઊંઘતા ઝડપાય ગયા છે અને જાણે છે કે, શહેરમાં હજુ અનેક મુખ્ય રસ્તા અને સોસાયટીમાં ખોદકામ ચાલી રહ્યું છે.અને હજુ શહેરના અનેક રોડ બિસમાર હાલતમાં છે અને રોડ પણ સારા નથી એવા સમયે ચૂંટણી આવતા મતદારો પાસે જવામાં પણ લોકોના રોષનો ભોગ બનવું પડશે તો તેની સામે લોકોના રોષનો સીધો ફાયદો ઉઠાવવા કોંગ્રેસ અને આપ ચૂંટણી મેદાનમાં ઉતારશે.એક તરફ 16 ફેબ્રુઆરી ચૂંટણી યોજાય રહી છે ત્યારે લગ્નના મુહર્ત પણ ઘણા છે અને લોકો લગ્ન પ્રસંગના લીધે મતદાન પણ ઓછું થાય તો ક્યાં પક્ષને ફાયદો થશે તેના પણ ગણિત મંડાઈ રહ્યા છે.
ઉમેદવારોએ આટલા દાખલા સાથે ઉમેદવારી નોંધાવવી પડશે
જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી સાથે 6 પાલિકા ચૂંટણી અને બે તાલુકાની પેટ ચૂંટણી યોજાય રહી છે ત્યારે ઉમેદવારોએ 9 દાખલા કઢાવવા પડશે અને ત્યાર બાદ ચૂંટણી ફોર્મ ભરી શકાશે જેમાં મીલકત વેરા નો ડયુ.સાર્ટિફિકેટ તેમજ પોલીસમાં એકેય ગુનો ન હોવાનો દાખલો, ઘરમાં બાથરૂમ અને શોચાલય હોવાનો દાખલો અને અનામત બેઠક પર ચૂંટણી લડવા માટે જાતિનો દાખલો, ઈન્કમટેક્ષ રિટર્ન અથવા 7 – 12 નો દાખલો, સોગંદનામું, પોતાને ત્રણ સંતાન નથી એ મતલબનું સોગંદનામુ, પત્ની અને સંતાનોની સંપત્તિની વિગતો અને બેંક એફડી, પાસ બુકની નકલો તેમજ આઇટી રિટન સાથે ઉમેદવારી નોંધાવી શકાશે.



