અંતિમયાત્રામાં મોટી સંખ્યામા લોકો જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.16
- Advertisement -
રાજુલા તાલુકાના ધારાનાનેસ ગામે રહેતા રવિરાજભાઈ ભવનુભાઇ ધાખડા જેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતાં. અને તેઓ ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇ હતાં. તેમના પિતાના એકમાત્ર સંતાન હતાં. જેઓ પોતાની ચાલુ ફરજ દરમ્યાન શહીદ થયા છે. રવિરાજભાઇને બ્લડ કેન્સરનુ નિદાન થયું હતુ. અને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે શહીદ થયાં હતાં.
અને તેમના પાર્થિવ દેહને રાજુલા શહેરમાં પુંજાબાપુ ગૌશાળા ખાતે થી વિર જવાનની અંતિમયાત્રા શરૂ થઇ હતી અને રાજુલામાં ફરી તેમના ગામ ધારાનોનેસ પહોંચી અને ત્યાં સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી. આ શહીદ વીર જવાનની અંતિમયાત્રા દરમિયાન રાજુલા શહેરના વેપારીઓએ બે કલાક સ્વયંભૂ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખ્યો હતો. તેમજ માર્કેટીંગ યાર્ડ પણ બંધ પાળી મોંડુ ખોલ્યું હતું. રાજુલામાં વીર જવાન શહીદ થતાં શોકમય માહોલ છવાયો હતો.