ગિરનાર ભૂમિને ગ્રીન ઝોન ડિકલેર કરવાની માંગ કરતા સ્થા.જૈન સંઘ પ્રમુખ
ખાસ-ખબર સંવાદદાતા
ગિરનાર તળેટી અને તેમા માંસાહાર બને કે ખવાય તેનુ જુનાગઢના સમસ્ત જૈન સમાજને સખત દુ:ખ છે ગિરનાર પર્વત સાથે આર્યાવતના કરોડો જૈનોની આસ્થા જોડાયેલી છે આ માટે આપણે જૈન ધર્મના 32 આગમ માં આવેલા 11 અંગ સુત્રોમાંથી સાતમા આગમ અંતગડ દશા શ્રુતની સત્ય ઘટના આપને વર્ણવુ છું જૈન ધર્મમાં 24 તિર્થકર ભગવાન બતાવ્યા છે અને તેમના 22માં ભગવાન નેમિનાથ ના ત્રણ કલ્યાણક ગિરનાર પર્વત ઉપર થયા છે ભગવાન નેમિનાથના પિતાશ્રી અને શ્રીકૃષ્ણ વાસુદેવના પિતાશ્રી સગા ભાઇ થતાં હતાં અને શ્રીકૃષ્ણને નેમિનાથ સાથે ખુબજ પ્રેમ હતો તેમણે તેમને પુછ્યા વગર જુનાગઢ રાજા ઉગ્રસેનની પુત્રી રાજુલ સાથે વેવિશાળ નક્કી કરી નાખ્યું નેમિનાથને લગ્ન ન હતા કરવા પણ ત્રિખંડ અધિપતિ ભાઇનું વચન નિભાવવા તેઑ લગ્ન કરવા હા પાડી જાન જુનાગઢ તરફ આવવા નીકળી તે સમયે જાનમાં આવેલા અમુક સ્નેહિજનો જેઑઍ શ્રીકૃષ્ણને પણ અંધારામાં રાખી ઉગ્રસેન રાજાને પાછલા બારણે કહેવાડવ્યુ કે અમો તમારે ત્યાં મોંઘેરી જાન લય ને આવીઍ છીઍ અમારા માટે માંસાહારી વાનગીઑ બનાવજો અને દિકરીના બાપ ઍટલે કાંઇના બોલાય પોતે શુધ્ધ શાકાહારી હોવા છતા પોતાના આંગણે આવેલી જાનને માંસાહાર જમાડવા તૈયાર થયા અને તે સમયે ચાલીને આવતી જાનને પંદર દિવસ રોકાવાની હતી ઍટલે તેમના માટે હજારો પશુઑને વાડામાં પુરેલ હતા.
- Advertisement -
જયારે નેમિનાથ ભગવાનનો વરઘોડો નીકળ્યો અને આખા જુનાગઢમા ફરવા નીકળ્યો ત્યારે વાડા માં પુરેલા પશુઓનો પોકાર સાંભળી વરઘોડામાથી મિંઢોળ બંધ વરરાજા નીચે ઉતર્યા અને તેમણે પુછયુ કે આ પશુઑ કેમ ભાંભરડા નાખે છે ત્યારે તેમને સત્ય જાણ્યું કે મારા લગ્ન નિમિત્તે આ પશુઓની હિંસા થાય તે કોઈ સંજોગોમાં નહિ ચાલે અને તેમણે વૈરાગ્ય પ્રગટ થયો અને તેઑ રૈવાતાચળ (આજનો ગિરનાર પર્વત) ઉપર જય અને દિક્ષા લીધી અને તેમના પાનેતર પહેરેલા પત્ની રાજુલઍ પણ પતિના પગલે દિક્ષા લીધી.
આજે પણ દર વરસે 99ની જાત્રાઍ આવતા હજારો જૈનો ભગવાન નેમિનાથ ને યાદ કરી આ પર્વતની 99 જાત્રા કરે છે તેમા આયંબિલ તપ સાથે કરે છે કે આ તપમાં લીલી વનસ્પતિ પણ ખાવામાં આવતી નથી અને બાફેલા મગ અને રોટલો કે રોટલી ખાય અને 99 દિવસ જાત્રા કરે છે તો આવી પવિત્ર ભુમિ પર માંસાહાર કોઈ સંજોગોમાં ચલાવીના લેવાય આ માંસાહારથી લાખો કરોડો જૈનોની આસ્થાને ઠેસ પહોચી છે સરકાર વહેલી તકે ગ્રીન ઝોન ડિકલેર કરે તેવી લાખો જૈનો વતી સ્થા. જૈન સંઘ જુનાગઢના પ્રમુખ હિતેષભાઇ સંઘવીઍ માંગણી કરી છે.