સાબરમતીના તટ પર CWCની બેઠક મળી છે. જેમાં કોંગ્રેસના તમામ મોટા હોદ્દેદારો ઉપસ્થિત છે.
ગુજરાતના અમદાવાદમાં આજથી કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થયું છે. સાબરમતીના તટ પર CWCની બેઠક મળી છે. જેમાં કોંગ્રેસના તમામ મોટા હોદ્દેદારો ઉપસ્થિત છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ બેઠકમાં પહોંચ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસનું આ છઠ્ઠુ અને અમદાવાદમાં 103 વર્ષ પછી અધિવેશન મળ્યું છે. જ્યારે આજે કોંગ્રેસના મોટા નેતાઓ 2 ચાર્ટર્ડ વિમાન લઈ અમદાવાદ પહોંચશે.
- Advertisement -
કોંગ્રેસની બેઠકનો દોર
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાને કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને અમદાવાદ પહોંચવામાં થોડો વધુ સમય લાગ્યો હતો. જો કે, જેઓ પણ કોંગ્રેસની બેઠકમાં પહોંચી ચુક્યા છે જે મીટિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. CWC બેઠકમાં કોંગ્રેસના 156 સભ્યો હાજર રહેવાના છે. આવતીકાલે 9 એપ્રિલે સાબરમતીના તટે કોંગ્રેસનુ રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. સવારે 9.30 કલાકથી અધિવેશનની શરૂઆત થશે, તો દેશના અલગ અલગ રાજ્યમાંથી કોંગ્રેસના હોદેદારો ગુજરાત આવી પહોચ્યા છે.
પાર્ટીને લગતા મહત્વના મુદ્દાઓ ચર્ચાશે
- Advertisement -
અત્રે જણાવીએ કે, છેલ્લે ભાવનગરમાં 1961માં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. જો કે, અધિવેશનમાં 2 હજાર 200 જેટલા ડેલિગેશન્સ ભાગ લેશે અને અધિવેશનને સફળ બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો છેલ્લા એક મહિનાથી મહેનત કરી રહ્યા છે. આ અધિવેશનમાં પાર્ટીને લગતા મહત્વના મુદ્દાઓ ચર્ચાશે.
વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે
ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ”કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. દેશમાં વધતી મોંઘવારી, શિક્ષણ, અસમાનતા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે ”આઝાદ ભારતનું સ્વપ્ન અને ચળવળ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી થઈ હતી. માટે આ સ્થળ ઐતિહાસિક છે”