By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યુઝીલેન્ડના સાંસદે ડીપફેક કાયદાઓ માટે દબાણ કરવા પોતાનો AI-જનરેટેડ ન્યુડ ફોટો બતાવ્યો
    9 hours ago
    કેનેડા/ ટોરોન્ટોમાં ગોળીબારમાં 1નું મોત, 5 લોકો હોસ્પિટલમાં દાખલ
    11 hours ago
    કરાચીની જેલમાંથી 216 કેદી ભાગી ગયા: ભૂકંપ બાદ અફરાતફરીમાં તકનો લાભ ઉઠાવીને થયા ફરાર
    1 day ago
    6000 સૈનિકોના મૃતદેહની અદલા-બદલી કરવા સંમત થયા રશિયા-યુક્રેન, યુદ્ધવિરામ નહીં
    1 day ago
    વિશ્વ સાયકલ દિવસ 2025: ચાલો આજે જાણીએ સાઈકલ ચલાવવાના અનેક ફાયદા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકારે નક્કી કર્યા ડાયાબિટીસ, તાવ સહિત 41 દવાઓના ભાવમાં ફેરફાર થશે
    5 hours ago
    જાફરાબાદના નાગેશ્રી ગામ નજીક નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર અને ફોરવ્હીલ કાર વચ્ચે અકસ્માત સર્જાયો
    5 hours ago
    ચેનાબ બ્રિજ: વિશ્વનો સૌથી ઊંચા રેલ્વે બ્રિજનું 6 જૂને ઉદ્ઘાટન થશે
    8 hours ago
    પાકિસ્તાન માટે ‘જાસૂસી’ કરવાના આરોપમાં પંજાબના યુટ્યુબર જસબીર સિંહની ધરપકડ, જ્યોતિ મલ્હોત્રા સાથે સંબંધ ધરાવે છે
    9 hours ago
    દેશની સૌથી મોટી સોનાની લૂંટ: કર્ણાટકના વિજયપુરામાં બેંકમાંથી 52 કરોડ રૂપિયાનું સોનું ચોરાઈ ગયું
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આરસીબીએ પહેલીવાર આઈપીએલ ટ્રોફી જીતી લેતા બેંગલુરુમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો
    8 hours ago
    ભાવનાત્મક દ્રશ્યો! IPL 2025 ફાઇનલમાં PBKSની હાર બાદ પ્રીતિ ઝિન્ટા ઉદાસ
    8 hours ago
    RCBની જીતની ઉજવણી કરતાં વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી
    10 hours ago
    વિરાટ કોહલી: મેં આ ટીમને મારી યુવાની, મારી શ્રેષ્ઠતા, મારો અનુભવ આપ્યો છે
    10 hours ago
    IPL 2025 ફાઇનલ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રને હરાવીને પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું
    10 hours ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શૉમાં નહીં દેખાય બબીતા, બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે
    9 hours ago
    મિસ વર્લ્ડ 2025નો તાજ પોતાના સરે કરનારી ઓપલ સુચાતા હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરશે
    1 day ago
    શાહરૂખ ખાનનો ‘કિંગ’ લુક વાઇરલ થયો, ફૂલ સ્વેગમાં દેખાયો SRK
    2 days ago
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    5 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 days ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    5 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    1 week ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    1 week ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    4 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor
Last updated: 2022/04/16 at 4:56 PM
Khaskhabar Editor 3 years ago
Share
6 Min Read
SHARE
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં માતા સીતાને શોધતાં શોધતાં શ્રીરામ લક્ષ્મણની સાથે દંડકારણ્યમાં રસ્તો ભટકી જાય છે અને માતા શબરીનાં આશ્રમે પહોંચી જાય છે. સ્વયં શ્રીરામને પોતાનાં આંગણે પધારેલા જોઇને શબરી ઘડીકભર એમને પ્રસાદમાં શું ધરવું એની અસમંજસમાં પડી જાય છે. પોતાની ઝૂંપડીમાં જઈને જુએ છે, તો સામે થોડાક બોર દેખાય છે… પરંતુ ક્યાંક એ ખરાબ કે ખાટા તો નથી ને એ જોવા માટે તે પોતે એકે-એક બોરને ચાખે છે. સારા-સારા બોર વીણીને તે ભગવાન રામને આપે છે. શબરીનાં એંઠા બોરને પણ પ્રભુ પ્રેમપૂર્વક આરોગી લે છે.

Contents
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાંમોડર્ન ધર્મ – પરખ ભટ્ટમાતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા

ભગવાન રામ પ્રત્યેનાં શબરીનાં ભક્તિભાવની આ કથા આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. માતા શબરીનો એ આશ્રમ છત્તીસગઢનાં શિવરીનારાયણમાં ‘શિવરીનારાયણ પરિસર’ ખાતે સ્થિત છે. મહાનદી, ઝોંક અને શિવનાથ નદીનાં કિનારે સ્થિત આ મંદિર તથા આશ્રમ પ્રકૃતિનાં રમણીય સ્થળોથી ઘેરાયેલો છે! શબરીએ જે વૃક્ષનાં પાંદડામાં બોર રાખીને ભગવાન રામને જમાડ્યા હતાં, એ કૃષ્ણ વડનું ‘કટોરીનુમા’ પાંદડુ આજે પણ એ સ્થાન પર મળી આવે છે.
શિવરીનારાયણ મંદિરને કારણે જ આ સ્થાન છત્તીસગઢની જગન્નાથપુરીનાં નામે પ્રસિદ્ધ થયું છે. માન્યતા પ્રમાણે, આ સ્થાન પર જ પ્રાચીન સમયમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ પછીથી એમને પુરી લાવવામાં આવ્યા! સ્થાનિક લોકોની આ આસ્થાને લીધે જ એવું માનવામાં આવે છે કે આજના સમયમાં પણ ભગવાન જગન્નાથ અહીં અવારનવાર મુલાકાત લે છે. છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું. જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું.

- Advertisement -

દેશના સૌથી પ્રચલિત ચાર ધામમાં ઉત્તર ભારતના બદ્રીનાથ, દક્ષિણ ભારતના રામેશ્વરમ, પૂર્વ ભારતના જગન્નાથપુરી અને પશ્ચિમ ભારતના દ્વારકાધામનો સમાવેશ થાય છે, પરંતુ મધ્યમાં સ્થિત શિવરીનારાયણને ‘ગુપ્તધામ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતનું વર્ણન રામાવતારચરિત્ર અને યાજ્ઞવલ્ક્ય સંહિતામાં પણ મળી આવે છે.
શબરીનું વાસ્તવિક નામ શ્રમણા હતું. તેનો સંબંધ ભીલ સમુદાયની શબર જાતિ સાથે હતો. શબરીનાં પિતા પોતે ભીલોનાં રાજા હતાં. કહેવામાં આવે છે કે શબરીનાં વિવાહ એક ભીલ કુમાર સાથે નક્કી થયા હતાં. વિવાહની પહેલા કંઈ-કેટલાય બકરા-ભેંસને બલિ ચડાવવા માટે લાવવામાં આવ્યા, જેને જોઇને શબરીનું હ્રદય અત્યંત દુભાયું. એમને થયું કે આ તે વળી કેવા લગ્ન, જેમાં સેંકડો નિર્દોષ પશુની આહુતિ આપી દેવામાં આવે?

માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા

છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લાામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું, જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું

વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા. દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં, પરંતુ નીચી જાતિની હોવાને લીધે તેઓ ખચકાટ અનુભવી રહ્યા હતાં. તેમને મનમાં આશંકા હતી કે કોઇ ઋષિ એમની સેવાનો સ્વીકાર નહીં કરે! આખરે તેમને એક રસ્તો સૂઝ્યો. દરરોજ સવારે ઋષિ-મુનિઓ જાગે એ પહેલા એમના આશ્રમથી માંડીને નદી સુધીનો રસ્તો તેઓ સાફ કરી નાખતા. માર્ગમાંથી કાંટા દૂર કરીને તેઓ ત્યાં રેતીની ચાદર બિછાવી દેતા, જેથી કોઇના પગ લોહીલુહાણ ન થાય! શબરી આ બધું એવી રીતે કરતા હતાં કે કોઇને એની ખબર સુદ્ધાં ન પડે. એક દિવસ માતંગ ઋષિની નજર શબરી પર પડી. એમના સેવાભાવથી અતિ પ્રસન્ન થઈને ઋષિએ શબરીને પોતાનાં આશ્રમમાં શરણ આપી. માતંગ ઋષિના આ પગલાનો ખૂબ પ્રબળ સામાજિક વિરોધ કરવામાં આવ્યો, એમ છતાં એમણે શબરીને આશ્રમમાંથી નિષ્કાસિત ન કર્યા. મૃત્યુની આખરી ક્ષણોમાં માતંગ ઋષિએ શબરી પાસેથી વચન લીધું કે એમનાં અવસાન પછી પણ તેઓ આશ્રમ છોડીને ક્યાંય ન જાય, કારણકે ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામ પોતે અહીં એક દિવસ પધારવાનાં છે!

- Advertisement -

માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો. આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા. ભગવાન રામ માટે દરરોજ તેઓ વૃક્ષ પરથી તાજા-મીઠા બોર તોડી લાવતાં. બોરમાં જંતુ ન આવી જાય કે પછી એ ખાટ્ટા ન થઈ જાય, એ માટે તોડતી વખતે દરેકે-દરેકને ખાસ ચાખવાનો તેઓ આગ્રહ રાખતા. આમ કરતાં-કરતા કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ શબરીને જાણ થઈ કે બે યુવકો એમને શોધી રહ્યા છે. તેઓ તરત જ સમજી ગયા કે પ્રભુ રામનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વર્ષો વીતી ગયા હોવાને લીધે તેઓ હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતાં. સફેદ વાળ, કરચલીવાળો તેજસ્વી ચહેરો અને લાકડીનાં સહારે ચાલતું એક વૃદ્ધ શરીર! ઉંમર થઈ ગઈ હોવા છતાં ભગવાન શ્રીરામનાં આગમનની ખબર સાંભળતાં જ તેમને પોતાની વયનું પણ ભાન ન રહ્યું! દોડીને તેઓ શ્રીરામ-લક્ષ્મણ પાસે પહોંચ્યા અને હાથ પકડીને એમને આશ્રમ લઈ આવ્યા. પ્રભુના ચરણકમળોને પોતાનાં હાથે ધોઇને તેઓ ખૂબ રાજી થયા. સ્વહસ્તે તોડેલા મીઠા બોર તેમણે બંને ભાઈઓને ધર્યા. ભગવાન રામે ખૂબ પ્રેમ અને આદરભાવપૂર્વક બોર આરોગ્યા અને લક્ષ્મણને પણ ખાવા માટે જણાવ્યું, પરંતુ લક્ષ્મણને શબરીનાં એંઠા બોર ખાવામાં સંકોચ થઈ રહ્યો હતો. રામનું માન રાખવા માટે એમણે બોર ઉઠાવ્યા તો ખરા, પરંતુ ગ્રહણ ન કર્યા! જેનું પરિણામ એ આવ્યું કે રામ-રાવણ યુદ્ધમાં જ્યારે શક્તિબાણનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે તેઓ મૂર્છિત બની ગયા હતાં!

You Might Also Like

ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચરિતાર્થ કરતું ઓપરેશન સિંદૂર એ વિશ્ર્વમાં અજરા-અમર રહેશે

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
Next Article રાજકોટના મુંજકામાં પતિ કામ પર ગયા પછી પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો’તો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો: પરીક્ષામાં હાજર 6 વિદ્યાર્થીને ગેરહાજર બતાવી નાપાસ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુરુજી તરીકે જાણીતા માધવ સદાશિવરાવ ગોલવલકરની 5 જૂને પૂણ્યતિથિ
જામનગરમાં નકલી પોલીસ બનીને 20,000નો તોડ કર્યાના કિસ્સામાં રાજકોટના 3 શખ્સોની ધરપકડ
રાજકોટમાં સૌરાષ્ટ્ર સિક્યુરીટી એન્ડ સર્વેલન્સ એસોશિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ભવ્ય આયોજન
રાજકોટમાં શરૂ કરાયેલા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોમાં 15 નાયબ મામલતદારોની નિમણુંક
શિક્ષણ વિભાગનું 42 ખાનગી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ, નિયમોના ભંગ બદલ 25ને નોટિસ ફટકારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય સૈન્યની વીરતા, મહિલા સ્વાભિમાન અને ધર્મો રક્ષતિ રક્ષિત:ને ચરિતાર્થ કરતું ઓપરેશન સિંદૂર એ વિશ્ર્વમાં અજરા-અમર રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?