By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
    2 days ago
    ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો; આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરો: ફ્રાંસની ટ્રમ્પને ચેતવણી
    3 days ago
    અમેરિકામાં બરફનું ભયંકર તોફાન, 100થી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત, જાણો વધુ
    4 days ago
    અમેરિકા ભૂતકાળમાં પણ બર્ફીલા ટાપુ ગ્રીનલૅન્ડને ખરીદવાનો પ્રયાસ કરી ચૂક્યું છે, 10 કરોડ ડૉલરની કરી હતી ઑફર
    5 days ago
    ચિલીના જંગલોમાં પ્રચંડ આગમાં 18 લોકોના મોત, ઈમરજન્સી જાહેર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોહાણા સમાજની અગ્રણી વૈશ્ર્વિક સંસ્થા દ્વારા કઈંઇઋ એક્સ્પોનું ભવ્ય આયોજન
    2 days ago
    અભિષેક શર્માનું તોફાન: ન્યૂઝીલેન્ડ સામે ભારતે રેકોર્ડબ્રેક સ્કોર સાથે પ્રથમ ઝ20 જીતી
    2 days ago
    બંધારણીય સત્તાનો દુરુપયોગ સ્વીકાર્ય નથી: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને ફટકાર
    2 days ago
    અવિમુક્તેશ્ર્વરાનંદને ચેતવણી માઘ મેળામાંથી ‘બૅન’ કરી દઈશું
    2 days ago
    EUનો ટ્રમ્પના ગાલ પર તમાચો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન
    4 days ago
    જો બાંગ્લાદેશનો મુદ્દો ઉકેલાય નહીં તો પાકિસ્તાન 2026 માં T20 વર્લ્ડ કપમાં ભાગીદારીની સમીક્ષા કરશે
    5 days ago
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    1 week ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 week ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 week ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !
AuthorParakh Bhatt

શિવરીનારાયણની શબરીને આજે પણ શ્રીરામ માટે મમતા છે !

Khaskhabar Editor
Last updated: 2022/04/16 at 4:56 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં

મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ

રામાયણમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે, જેમાં માતા સીતાને શોધતાં શોધતાં શ્રીરામ લક્ષ્મણની સાથે દંડકારણ્યમાં રસ્તો ભટકી જાય છે અને માતા શબરીનાં આશ્રમે પહોંચી જાય છે. સ્વયં શ્રીરામને પોતાનાં આંગણે પધારેલા જોઇને શબરી ઘડીકભર એમને પ્રસાદમાં શું ધરવું એની અસમંજસમાં પડી જાય છે. પોતાની ઝૂંપડીમાં જઈને જુએ છે, તો સામે થોડાક બોર દેખાય છે… પરંતુ ક્યાંક એ ખરાબ કે ખાટા તો નથી ને એ જોવા માટે તે પોતે એકે-એક બોરને ચાખે છે. સારા-સારા બોર વીણીને તે ભગવાન રામને આપે છે. શબરીનાં એંઠા બોરને પણ પ્રભુ પ્રેમપૂર્વક આરોગી લે છે.

Contents
વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા, દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાંમોડર્ન ધર્મ – પરખ ભટ્ટમાતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા

ભગવાન રામ પ્રત્યેનાં શબરીનાં ભક્તિભાવની આ કથા આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. માતા શબરીનો એ આશ્રમ છત્તીસગઢનાં શિવરીનારાયણમાં ‘શિવરીનારાયણ પરિસર’ ખાતે સ્થિત છે. મહાનદી, ઝોંક અને શિવનાથ નદીનાં કિનારે સ્થિત આ મંદિર તથા આશ્રમ પ્રકૃતિનાં રમણીય સ્થળોથી ઘેરાયેલો છે! શબરીએ જે વૃક્ષનાં પાંદડામાં બોર રાખીને ભગવાન રામને જમાડ્યા હતાં, એ કૃષ્ણ વડનું ‘કટોરીનુમા’ પાંદડુ આજે પણ એ સ્થાન પર મળી આવે છે.
શિવરીનારાયણ મંદિરને કારણે જ આ સ્થાન છત્તીસગઢની જગન્નાથપુરીનાં નામે પ્રસિદ્ધ થયું છે. માન્યતા પ્રમાણે, આ સ્થાન પર જ પ્રાચીન સમયમાં ભગવાન જગન્નાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ પછીથી એમને પુરી લાવવામાં આવ્યા! સ્થાનિક લોકોની આ આસ્થાને લીધે જ એવું માનવામાં આવે છે કે આજના સમયમાં પણ ભગવાન જગન્નાથ અહીં અવારનવાર મુલાકાત લે છે. છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું. જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું.

- Advertisement -

દેશના સૌથી પ્રચલિત ચાર ધામમાં ઉત્તર ભારતના બદ્રીનાથ, દક્ષિણ ભારતના રામેશ્વરમ, પૂર્વ ભારતના જગન્નાથપુરી અને પશ્ચિમ ભારતના દ્વારકાધામનો સમાવેશ થાય છે, પરંતુ મધ્યમાં સ્થિત શિવરીનારાયણને ‘ગુપ્તધામ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વાતનું વર્ણન રામાવતારચરિત્ર અને યાજ્ઞવલ્ક્ય સંહિતામાં પણ મળી આવે છે.
શબરીનું વાસ્તવિક નામ શ્રમણા હતું. તેનો સંબંધ ભીલ સમુદાયની શબર જાતિ સાથે હતો. શબરીનાં પિતા પોતે ભીલોનાં રાજા હતાં. કહેવામાં આવે છે કે શબરીનાં વિવાહ એક ભીલ કુમાર સાથે નક્કી થયા હતાં. વિવાહની પહેલા કંઈ-કેટલાય બકરા-ભેંસને બલિ ચડાવવા માટે લાવવામાં આવ્યા, જેને જોઇને શબરીનું હ્રદય અત્યંત દુભાયું. એમને થયું કે આ તે વળી કેવા લગ્ન, જેમાં સેંકડો નિર્દોષ પશુની આહુતિ આપી દેવામાં આવે?

માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો, આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા

છત્તીસગઢના બિલાસપુરથી 64 કિલોમીટર અને રાયપુરથી 120 કિલોમીટર દૂર ઝાંઝગીર-ચાંપા જિલ્લાામાં આવેલા શિવરીનારાયણને પહેલાનાં સમયમાં માતા શબરીનાં નામે શબરીનારાયણ તરીકે ઓળખવામાં આવતું હતું, જે બાદમાં, શિવરીનારાયણનાં નામે પ્રચલિત થયું

વેવિશાળનાં ઠીક એક દિવસ પહેલા શબરીએ પોતાનું ઘર છોડી દીધું અને ત્યાંથી ભાગીને સીધા દંડકારણ્ય પહોંચી ગયા. દંડકારણ્યમાં ઋષિ-મુનિઓ તપસ્યા કરતાં, જેમની સેવા કરવા માટે શબરી ઇચ્છુક હતાં, પરંતુ નીચી જાતિની હોવાને લીધે તેઓ ખચકાટ અનુભવી રહ્યા હતાં. તેમને મનમાં આશંકા હતી કે કોઇ ઋષિ એમની સેવાનો સ્વીકાર નહીં કરે! આખરે તેમને એક રસ્તો સૂઝ્યો. દરરોજ સવારે ઋષિ-મુનિઓ જાગે એ પહેલા એમના આશ્રમથી માંડીને નદી સુધીનો રસ્તો તેઓ સાફ કરી નાખતા. માર્ગમાંથી કાંટા દૂર કરીને તેઓ ત્યાં રેતીની ચાદર બિછાવી દેતા, જેથી કોઇના પગ લોહીલુહાણ ન થાય! શબરી આ બધું એવી રીતે કરતા હતાં કે કોઇને એની ખબર સુદ્ધાં ન પડે. એક દિવસ માતંગ ઋષિની નજર શબરી પર પડી. એમના સેવાભાવથી અતિ પ્રસન્ન થઈને ઋષિએ શબરીને પોતાનાં આશ્રમમાં શરણ આપી. માતંગ ઋષિના આ પગલાનો ખૂબ પ્રબળ સામાજિક વિરોધ કરવામાં આવ્યો, એમ છતાં એમણે શબરીને આશ્રમમાંથી નિષ્કાસિત ન કર્યા. મૃત્યુની આખરી ક્ષણોમાં માતંગ ઋષિએ શબરી પાસેથી વચન લીધું કે એમનાં અવસાન પછી પણ તેઓ આશ્રમ છોડીને ક્યાંય ન જાય, કારણકે ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામ પોતે અહીં એક દિવસ પધારવાનાં છે!

- Advertisement -

માતંગ ઋષિના મૃત્યુ પછી શબરીનો મોટાભાગનો સમય ભગવાન શ્રીરામની પ્રતિક્ષામાં વીતવા લાગ્યો. આખો દિવસ તેઓ આશ્રમની સાફસફાઈ કરીને એને ચોખ્ખો-ચણાંક રાખવાનો પ્રયત્ન કરતા. ભગવાન રામ માટે દરરોજ તેઓ વૃક્ષ પરથી તાજા-મીઠા બોર તોડી લાવતાં. બોરમાં જંતુ ન આવી જાય કે પછી એ ખાટ્ટા ન થઈ જાય, એ માટે તોડતી વખતે દરેકે-દરેકને ખાસ ચાખવાનો તેઓ આગ્રહ રાખતા. આમ કરતાં-કરતા કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ શબરીને જાણ થઈ કે બે યુવકો એમને શોધી રહ્યા છે. તેઓ તરત જ સમજી ગયા કે પ્રભુ રામનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વર્ષો વીતી ગયા હોવાને લીધે તેઓ હવે વૃદ્ધ થઈ ચૂક્યા હતાં. સફેદ વાળ, કરચલીવાળો તેજસ્વી ચહેરો અને લાકડીનાં સહારે ચાલતું એક વૃદ્ધ શરીર! ઉંમર થઈ ગઈ હોવા છતાં ભગવાન શ્રીરામનાં આગમનની ખબર સાંભળતાં જ તેમને પોતાની વયનું પણ ભાન ન રહ્યું! દોડીને તેઓ શ્રીરામ-લક્ષ્મણ પાસે પહોંચ્યા અને હાથ પકડીને એમને આશ્રમ લઈ આવ્યા. પ્રભુના ચરણકમળોને પોતાનાં હાથે ધોઇને તેઓ ખૂબ રાજી થયા. સ્વહસ્તે તોડેલા મીઠા બોર તેમણે બંને ભાઈઓને ધર્યા. ભગવાન રામે ખૂબ પ્રેમ અને આદરભાવપૂર્વક બોર આરોગ્યા અને લક્ષ્મણને પણ ખાવા માટે જણાવ્યું, પરંતુ લક્ષ્મણને શબરીનાં એંઠા બોર ખાવામાં સંકોચ થઈ રહ્યો હતો. રામનું માન રાખવા માટે એમણે બોર ઉઠાવ્યા તો ખરા, પરંતુ ગ્રહણ ન કર્યા! જેનું પરિણામ એ આવ્યું કે રામ-રાવણ યુદ્ધમાં જ્યારે શક્તિબાણનો પ્રયોગ કરવામાં આવ્યો, ત્યારે તેઓ મૂર્છિત બની ગયા હતાં!

You Might Also Like

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રતિકોનો મહિમા અને મહાત્મ્ય
Next Article રાજકોટના મુંજકામાં પતિ કામ પર ગયા પછી પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો’તો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

2014માં મેળા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સંતો-મહંતોનું સ્વચ્છતા નિધિમાં રૂ. 24,61,555નું યોગદાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
2019ના મીની કુંભ મેળાના ઑડિટમાં બેફામ ખર્ચ અને ભ્રષ્ટાચાર: વિપક્ષ નેતા
મહાનગરપાલિકા અગ્નિશમન શાખા દ્વારા ફાયર સેફ્ટી અને ટ્રેનિંગ અભિયાન તેજ
માધાપરવાડી ક્ધયા શાળાની બાળાઓએ રસ્તા પરથી 64 કિલો દોરાં એકત્ર કરી અનોખું સેવાકાર્ય કર્યું
પોરબંદર : રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી પાસે બાયો ડીઝલના પંપ પર SMCના દરોડા
50 વર્ષ જૂની દલીલમાં ફસાયું ડેનમાર્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

ઉન્નત હિમશિખરો નીચે ઘૂઘવતા ગરમ પાણીના ગુપ્ત મહાસાગરો ગ્લોબલ વોર્મિગનું સાચું કારણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી 2026: મહાયુતિની પ્રચંડ જીત પાછળના મુખ્ય કારણો અને રાજકીય પરિણામો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?