વેલ્વેટ પાર્ટી પ્લોટ ખાતે જાજરમાન આયોજન: રાજકોટમાં વસતા સમાજના ભાઇઓ-બહેનોને જાહેર આમંત્રણ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વસતા આદિવાસી ભીલ સમાજ દ્વારા ભીલ સમાજ માટે એક દિવસીય દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવનું તા. 28/10ના રોજ સાંજે 7 કલાકે શનિવારના રોજ વેલ્વેટ પાર્ટી પ્લોટ 150 ફૂટ રીંગ રોડ, સિનર્જી હોસ્પિટલ સામે, અયોધ્યા ચોક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભીલ સમાજના યુવા ખેલૈયાઓ અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, ઓરકેસ્ટ્રા, લાઇટીંગ, ડીજેના તાલે રાસે ઝૂમશે. તેમજ આદિવાસી કલાકાર લોકગાયક એવા નીલેશભાઇ બુંબડીયા, આદિવાસી સમાજના રેપર તેમજ ટીકટોક સ્ટાર નીમો(પ્રશાંત ધૂનિયાતર) તેમજ પંકજભાઇ વાગડીયા(ડી.જે.) એન્કર મનોજભાઇ વગેરે સાથે પારીવારીક માહોલમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજનને સફળ બનાવવા માટે આયોજક તરીકે દર્શનભાઇ ભીલ, જયભાઇ રાઠોડ, અવિભાઇ મકવાણા, સિદ્ધરાજભાઇ રાઠોડ, મિતભાઇ રાઠોડ, ધ્રુમિલભાઇ રાઠોડ તેમજ સંજયભાઇ રાઠોડ સાથે કમિટિના સભ્યો ભાવનાબેન લીડીયા, ગોરધનભાઇ વાઘેલા, ઉત્તમભાઇ રાઠોડ, દિપકભાઇ મૂલીયાણા, સંજયભાઇ પરમાર, વિશાલભાઇ રાઠોડ, નિતીનભાઇ ચૌધરી, વિનોદભાઇ ભામટ, વિજયભાઇ રાઠોડ, પારસભાઇ કુઠીભા, વિવેકભાઇ સોલંકી, સંજયભાઇ વાઘેલા, જીતુભાઇ વાગડીયા, જીતેન્દ્રભાઇ વાઘેલા, રાજુભાઇ પરમાર, મનોજભાઇ દુદલ, દેવદીપભાઇ ગુજ્જર, લાલભાઇ કાગીયાતર, વિશેષ પેંગ્યાતર, વેદાંતભાઇ પેંગ્યાતર, કેતનભાઇ રાઠોડ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર ભીલ સમાજના ભાઇઓ બહેનોને રાસોત્સવમાં આવવાનું જાહેર આમંત્રણ પાઠવાયું છે.
- Advertisement -