By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    11 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    12 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    11 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    11 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    11 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલની નિર્લજ્જતા કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > જયસુખ પટેલની નિર્લજ્જતા કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી
મોરબીરાજકોટ

જયસુખ પટેલની નિર્લજ્જતા કોર્ટમાં કરી ડિસ્ચાર્જ અરજી

Khaskhabar Editor
Last updated: 2024/11/20 at 5:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત નિપજાવ્યા બાદ જયસુખ કહે છે: મારા વિરૂદ્ધ ગુનો બનતો જ નથી!

ઝૂલતા પુલ હત્યાકાંડ મામલે પણ ભરપૂર રાજકારણ અને જ્ઞાતિવાદનો ગંદો લાવારસ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે, પરંતુ આ કેસ હજુ પણ કોર્ટમાં ઝૂલી રહ્યો છે. હવે જયસુખ પટેલે તાજેતરમાં મોદકતુલા વિવાદ બાદ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તહોમતનામું રજૂ કરે એ પહેલાં જ પોતાના વકીલ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે કે જે કલમ હેઠળ તેમની સામે ગુનો નોંધાયો છે એ મુજબ તેમની સામે કોઈ ગુનો બનતો નથી. ઉલ્લેખનીય છે કે જયસુખ પટેલની સાથે સાથે અન્ય આરોપીઓએ પણ આ કેસમાંથી ડિસ્ચાર્જ માટેની અરજી કોર્ટમાં કરી છે. મોરબીમાં તા. 30/10/2022ના રોજ મચ્છુ નદી ઉપરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. ત્યારે ત્યાં ઝૂલતા પુલ ઉપર હરવાફરવા માટે થઈને આવેલા લોકોમાંથી મહિલાઓ, બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલા, યુવાનો અને યુવતીઓ સહિત કુલ મળીને 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના આધારે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ સહિતના કુલ 10 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને તેમને જે-તે સમયે જેલહવાલે કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ તેઓ જામીનમુક્ત થયા હતા. આ કેસમાં અગાઉ ભોગ બનેલા પરિવારના વિક્ટિમ એસો. દ્વારા જે અરજીઓ કરવામાં આવી હતી એ તમામ અરજીઓને કોર્ટે રદ કરી હતી. ત્યાર બાદ હવે કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય એવી શક્યતા હતી. જોકે આજે સરકારી વકીલ દ્વારા સૂચિત તોહમતનામું કોર્ટમાં મૂકવામાં આવેલું અને એને કોર્ટ દ્વારા ક્ધફર્મ કરવામાં આવે એ પહેલાં આરોપીઓના વકીલ તરફથી જુદી જુદી પાંચ અરજી મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરવામાં આવી છે, જેમાં તેમને આ કેસમાંથી તમામને ડિસ્ચાર્જ કરવામાં આવે એવી રજૂઆત કરી છે. આરોપીઓના વકીલ દ્વારા જે અરજી કરવામાં આવી છે એમાં જણાવ્યા મુજબ આઇપીસીની જે કલમ મુજબ તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે એ કલમ હેઠળ તેમની સામે ખરેખર કોઈ ગુનો બનતો નથી, જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે એ મતલબની અરજી આરોપીઓના વકીલે કોર્ટમાં આપી છે, જેથી આગામી સમયમાં આ અરજીઓ પર કાર્યવાહી થશે પછી કેસ ચાર્જ ફ્રેમ થશે એવું જિલ્લાના સરકારી વકીલ વિજય જાની પાસેથી જાણવા મળે છે.

મોરબીમાં જયસુખ પટેલની મોદક તુલાથી વિવાદ
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના કાંડમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી હોવાનાં દૃશ્ર્યો સામે આવતાં સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો હતો. ઉમા સંસ્કારધામના લોકાર્પણ કાર્યક્રમમાં જયસુખ પટેલની ભારોભાર મોદક જોખવામાં આવ્યા હતા. આ દૃશ્ર્યો સામે આવતાં અનેક પ્રકારના સવાલ ઊઠી રહ્યા છે. આખરે 135 લોકોનાં મોતની જવાબદાર વ્યક્તિની મોદક તુલા કેમ એવો પ્રશ્ર્ન દરેક વ્યક્તિ ઉઠાવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળના ટ્રસ્ટી એ.કે. પટેલે ખુલાસો આપતાં જણાવ્યું હતું કે આ સન્માનને લઈને કોઈ વિવાદ છે જ નહીં. મળતી માહિતી મુજબ જયસુખ પટેલની મોરબી જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ આ ક્રાર્યક્રમ માટે કોર્ટની ત્રણ દિવસની ખાસ મંજૂરી લીધી હતી.

- Advertisement -

મોદકતૂલા જેવાં તમાશા થકી લોકોનું સમર્થન મેળવવા અને શક્તિ પ્રદર્શન કરવા હવાતિયાં

મોરબી બ્રિજ ટાઈમલાઈન

1887માં બ્રિજ બન્યો.
1949થી 2008 સુધી મોરબી નગરપાલિકાએ બ્રિજના મેઇન્ટેનન્સની જવાબદારી સંભાળી.
2007માં રાજકોટ કલેક્ટર હસ્તક બ્રિજ આવ્યો.
16 ઓગસ્ટ, 2008ના રોજ રાજકોટ કલેક્ટરે ઓરેવા કંપની સાથે 9 વર્ષ માટે ખઘઞ કર્યા.
2017થી 2019 સુધી ખઘઞ એક્સપાયર થઈ ગયા, પણ અજંતા કંપની બ્રિજને મેઇન્ટેન કરતી રહી.
9 જાન્યુઆરી, 2020ના રોજ અજંતા જવાબદારીમાંથી મુક્ત થઈ.
29 જાન્યુઆરી, 2020ના રોજ મોરબી કલેક્ટર અને નગરપાલિકાએ અજંતા 12-15 વર્ષ માટે મેઇન્ટેન કરશે એવા કરાર કર્યો.
20 ઓગસ્ટ, 2020ના રોજ અજંતાએ કહ્યું, તમે એગ્રીમેન્ટ નહીં કરો તો અમે બ્રિજનું રિપેરિંગ નહીં કરીએ.
29 ડિસેમ્બર, 2021ના રોજ અજંતાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને કહ્યું, બ્રિજની હાલત ખૂબ ખરાબ છે, કંઈક કરો.
30 જાન્યુ.,2020થી 7 માર્ચ, 2022 સુધી કામચલાઉ રિપેરિંગ કરીને કોઈપણ જાતના એગ્રીમેન્ટ વગર બ્રિજનું ઓપરેશન શરૂ કર્યું.
8 માર્ચ, 2022ના રોજ નગરપાલિકાએ અજંતા સાથે 15 વર્ષનો એગ્રીમેન્ટ કર્યો, જેમાં ટિકિટનો ભાવ વધારી શકે એનો પણ સમાવેશ કરાયો.
રિપેરિંગ માટે 25 ઓક્ટોબર સુધી બ્રિજને લોકો માટે બંધ કરવામાં આવ્યો.
26 ઓક્ટોબર, 2022ના રોજ અજંતાએ કોઈપણ જાણકારી વગર બ્રિજ ખોલી દીધો, તેણે કોઈપણ જાણ નહોતી કરી કે શું રિપેરિંગ થયું, શું મટીરિયલ વપરાયું વગેરે.
30 ઓક્ટોબર, 2022ના રોજ દિવાળીની રજા હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર આવ્યા અને બ્રિજની લોડ કેપેસિટી કેટલી છે એનું ધ્યાન રાખ્યા વગર બધાને ટિકિટ આપી દીધી.
30 ઓક્ટોબર, 2022ના રોજ દુર્ઘટના બન્યાના બરાબર ત્રણ મહિના પૂરા થયા પછી એટલે કે 31 જાન્યુઆરી, 2023ના રોજ જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર થયો.
16 જાન્યુઆરી, 2023 જયસુખ પટેલે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી.
30 જાન્યુઆરી, 2023ના રોજ ચાર્જશીટ બાદ મોરબી કોર્ટમાં પ્રથમ સુનાવણી થઈ.
31 જાન્યુઆરી, 2023ના રોજ ફરાર જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરન્ડર કર્યું.
07 માર્ચ, 2023 જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી.
10 માર્ચ, 2023 જયસુખ પટેલની પુરવણી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી.
01 એપ્રિલ, 2023 જયસુખ પટેલની મોરબી ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી નામંજૂર થઈ.
21 નવેમ્બર, 2023ના રોજ સુપ્રીમ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જે સુપ્રીમે ફગાવી દીધી અને હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો હતો.
21 ફેબ્રુઆરી, 2024ના રોજ જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં ફરી જામીન અરજી કરી.
25 માર્ચ 2024ના રોજ જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા
19 નવેમ્બર 2024ના રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસમાંથી ડિસ્ચાર્જ કરવા અરજી કરી.

કડવા-કડવા… ભાઈ-ભાઈ… ધારાસભ્ય અમૃતિયાનો લૂલો બચાવ


મોરબીના ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, ઓઆર પટેલે સમાજ માટે ખૂબ સારું કામ ક્યું છે ત્યારે તેમના મોટા દીકરાનું સન્માન કરવાનું હતું, પરંતુ તેઓ હાજર ન હતા. જેથી જયસુખભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મુદ્દે કોઈ વિવાદ છે જ નહિ. આ સન્માન સમારંભમાં આશરે 30 હજાર લોકો હાજર હતા અને સૌએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. આ કોઈ વિવાદનો મુદ્દો નથી આ સમાજનો કાર્યક્રમ હતો. જો કે તેમની આ દલીલ હાસ્યાસ્પદ છે.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: Jaysukh Patel, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UPમાં મતદાન દરમિયાન પોલીસ પર પથ્થરમારો
Next Article પડધરી પાસે સહારા યુનાઈટ પ્લાસ્ટિક કંપનીમાં લાગેલી આગ 12 કલાક બાદ પણ બેકાબૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?