ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં શ્રીહરિ મંદિરમાં 43માં શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્વનું આયોજન થઈ રહ્યું છે. જેમાં શ્રીરામ ચરિત માનસ પાઠ, શ્રીમદ્ ભગવત કથા, માઁ ભગવતીના વિવિધ અનુષ્ઠાન અને સેવાકાર્યો યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ તથા શહેરના પ્રથમ નાગરીક એવા ડો. ચેતનાબેન તિવારીને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
- Advertisement -
માનવ સેવાનો પર્યાય એટલે પોરબંદરનું રત્ન અને વર્તામાન નગરપાલિકા પ્રમુખડો. ચેતનાબેન તિવારી. પ્રામાણીક અને સનિષ્ઠ પ્રયાસોથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં અનેક વિકાસ કાર્યો કર્યા છે. પ્રવર્તમાન સમયના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આદર્શ માનતા એવા પોરબંદરના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી જ્યારે માનવ સેવાની વાત હોય ત્યારે પ્રત્યેક્ષ સમાજના આગેવાનોને આ સન્નારી યાદ આવે છે. સૌમ્ય સ્વભાવ પ્રસન વદન અને ભીતર ખૂબ ઊર્જાથી ભરપૂર એવા શક્તિ સ્વરૂપા આ નારી શક્તિની વાત કરવી ઘટે. નગરના કર્લીપુલ પાસે એક વ્યક્તિનો ભયાનક અકસ્માત થયો ત્યારે ચેતનાબેન તિવારી ઘટનાની જાણ થતાં જ સ્થળે પહોંચ્યા. એમ્બ્યુલન્સ ખુદ ડ્રાઇવ કરી અકસ્માતનનો ભોગ બનનાર વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડી જરૂરી તમામ મેડિકલ વ્યવસ્થા પુરી પાડી ઇજાગ્રસ્તનો જીવ બચાવ્યો હતો.
રમેશભાઈ ઓઝા દ્વારા એવું પણ જણાવાયું હતું કે, કથામાં હું ઘણીવાર કહું છું કે, જીવનમાં કશું ન કરો તો કંઈ નહીં, બે કામ અવશ્ય કરો એક છે સેવા અને બીજું છે સતકાર્ય. ડો. ચેતનાબેન તિવારી દ્વારા દર્દીનારાયણની સેવા, અનાથ આશ્રમોની સેવા, ગરીબ લોકોની મહત્વની સેવા સાથે અનેક સેવાકાર્યો કરાઈ રહ્યાં છે. અંતરનો રાજીપો વ્યક્ત કરી ચેતનાબેન તિવારીનું વિશેષ સન્માન કરાયું છે. શક્તિનું પર્વ નવરાત્રિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે રમેશભાઈ ઓઝાએ પણ નારી શક્તિની માતાજી સેવા કરવા માટે ખૂબ બળ આપે તેવી પરાઅંબા ભગવતીના યુગલ ચરણમાં પ્રાર્થના કરી આર્શીવચન પાઠવ્યા હતાં. આમ અનુષ્ઠાન મહોત્સવ પ્રસંગે પાલિકાના પ્રમુખના સતકાર્યો બદલ તેમનું સન્માન પુષ્પથી બિરદાવવામાં આવ્યા હતાં.