અચાનક કાર્યક્રમ રદ થતાં અધિકારી અને કર્મચારીઓને પણ ધક્કા ખાવા પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્ય સરકાર અહીંના નાગરિકોને સુખ સુવિધા મળે અને ઘર આંગણે એક જ સ્થળ પરથી તમામ સરકારી યોજનાની કામગીરી અંગે સહુલિયત માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાય છે પરંતુ અરજદારોની સહુલીયત તો દૂર અરજદારોને કામ વગર ધક્કા ખાવાનો વરો આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે બીજા તબ્બકાનો સેવા સેતુ કાર્યક્રમ અંગે મોટી મોટી જાહેરાતો કરી નાખી પરંતુ બાદમાં અચાનક કાર્યક્રમ બંધ રાખતા અહી અરજદારો સવારથી ધક્કા ખાવા પડ્યા હતા. નગરપાલિકા ખાતે જે પ્રકારે બીજા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ થવાનો હોય તેને કોઈપણ પ્રકારની જાણ વગર બંધ રાખી 19 ઓકટોબરના રોજ કરવાનો નિર્ણય લેવાયો હતો
- Advertisement -
પરંતુ આ બાબતની જાણ અરજદારોને તો ઠીક પરંતુ સરકારી અધિકારી અને કર્મચારીઓને પણ નહિ હોવાથી અરજદારો સાથે અધિકારી અને કર્મચારીઓ પણ નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા પરંતુ બાદમાં તેઓને જાણ થઈ હતી કે કાર્યક્રમ 19 ઓક્ટોમ્બર ખાતે તબદીલ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન દ્વારા સેવા સેતુ કાર્યક્રમને કોઈપણ જાણ વગર અચાનક બંધ રાખી અન્ય દિવસે તબદીલ કરતા અરજદારોને ધક્કા ખાવા પડ્યા હતા કોઈપણ કામ થયા વગર અંતે પરત ફરવું પડ્યું હતું આ પ્રકારની ગંભીર બેદરકારીના લીધે સેવા સેતુ કાર્યક્રમ ધક્કા સેતુની માફક સાબિત થયો હોવાથી અરજદારોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.