હવે બહેનો ‘વોકલ’ થઈ છે, નિર્ણય પ્રક્રિયામાં સામેલ થવા તૈયાર છે: PM મોદી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ભારતીય લોકશાહીના ઇતિહાસ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. આજથી સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. આ સત્રના પ્રથમ દિવસે જ સરકારે મહિલા અનામત (131મો બંધારણીય સુધારો) અને સીમાંકન (ઉયહશળશફિંશિંજ્ઞક્ષ) સહિત ત્રણ બિલ રજૂ કર્યા છે. સરકારે ખાતરી આપી છે કે અમે આ બિલ પર મધ્ય રાત્રિ સુધી પણ ચર્ચા કરીને જવાબ આપવા માટે તૈયાર છીએ. આવતીકાલે સાંજે 4 વાગ્યે બિલ પર મતદાન કરવામાં આવશે. એવામાં આજે ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના સંબંધોનમાં કહ્યું કે, રાષ્ટ્રની લોકશાહીના ઈતિહાસમાં આજે મહત્ત્વપૂર્ણ દિવસ છે. મહિલા અનામતનો કાયદો આજથી 25થી 30 વર્ષ પહેલા જ લાગુ કરી દેવાની જરૂર હતી. ભારતમાં લોકશાહીની વિકાસયાત્રા હજારો વર્ષની રહે છે, એવામાં આજે નવો અધ્યાય જોડવાનો શુભ અવસર મળી રહ્યો છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ મહત્ત્વપૂર્ણ અને દેશની અડધી વસતીને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સામેલ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ રહ્યું છે. આ મહત્ત્વપૂર્ણ બિલ દેશની દિશા અને દશા નક્કી કરશે.
ઙખ મોદીએ વધુમાં કહ્યું કે, વિકસિત ભારતનો અર્થ માત્રને માત્ર રેલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. અમે ઈચ્છીએ છીએ કે વિકસિત ભારતના નીતિ નિર્માણમાં સૌનો સાથ અને સૌનો વિકાસ હોય. અમે તમામ રાજકીય પક્ષો સાથે મુલાકાત કરી છે, કોઈએ આ બિલનો સૈદ્ધાંતિક વિરોધ નહોતો કર્યો. પણ પાછળથી અલગ દિશા પકડવામાં આવી રહી છે. પણ હું તેમને પણ એક મિત્રના રૂપે સલાહ આપું છું. આપણાં દેશમાં જ્યારે જ્યારે પણ મહિલા અનામતની ચર્ચા થઈ તે પછીની ચૂંટણીમાં અનામતનો વિરોધ કરનારા પક્ષોને મહિલાઓને માફી નથી આપી. પણ તમે જુઓ 2024ની ચૂંટણીમાં એવું નથી થયું. કેમ ના થયું? કારણ કે તમામ પક્ષોએ ભેગા થઈને બિલને પસાર કર્યું હતું તેના કારણે કોઈ એક પક્ષને ફાયદો ન થયો અને કોઈને નુકસાન પણ ન થયું. જો આપણે સૌ સાથે મળીને આ બિલ પસાર કરીશું તો કોઈ એક પક્ષને રાજકીય ફાયદો નહીં થાય. અહીં બેઠેલા સૌ કોઈને તેનો પૂરો યશ મળશે.
વિપક્ષને વિરોધ જ કરવો છે: શાહ
મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર ચર્ચા
- Advertisement -
કેન્દ્ર સરકાર આજે સંસદમાં ’નારી શક્તિ વંદન અધિનિયમ’ સહિત ત્રણ મહત્ત્વના વિધેયકો રજૂ કરવા જઈ રહી છે. સરકારનો લક્ષ્ય 2029ની ચૂંટણી પહેલા મહિલાઓ માટે 33% અનામત અને સીમાંકન (ઉયહશળશફિંશિંજ્ઞક્ષ) ની પ્રક્રિયા પૂર્ણ કરવાનો છે. લોકસભામાં વિપક્ષના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહાર કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નારી શક્તિ વંદન અધિનિયમ અંતર્ગત આ ત્રણેય બિલો એકસાથે રજૂ થવાના હતા અને અગાઉ સદને તેમની સંમતિથી જ આ પસાર કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, વિપક્ષી નેતાઓ આજે સવારે જ મન બનાવીને આવ્યા છે કે ગમે તે થાય વિરોધ જ કરવો છે, અને તેથી જ તેઓ સરકારના દરેક પગલા અને દરેક બિલનો તર્ક વગર વિરોધ કરી રહ્યા છે.
મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવાના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. અમિત શાહે સ્પષ્ટપણે જણાવ્યું કે ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે અને તેનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી, જેના જવાબમાં અખિલેશ યાદવે આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને અડધી વસ્તી એટલે કે મહિલાઓ માટે અનામતની માંગ કરી હતી. જ્યારે અખિલેશ યાદવે મુસ્લિમ મહિલાઓના અધિકારો અંગે સવાલ કર્યો, ત્યારે અમિત શાહે વળતો પ્રહાર કરતા કહ્યું કે જો સમાજવાદી પાર્ટી બધી જ ટિકિટો મુસ્લિમ મહિલાઓને આપી દે તો અમને કોઈ વાંધો નથી.



