જૂનાગઢમાં આરએસએસનાં સ્વયં સેવકોનું પથસંચલન:
જૂનાગઢમાં આરએસએસનાં સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રથમ સંઘ શિક્ષા વર્ગ ચાલી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 300 જેટલા સ્વયં સેવક ભાગ લઇ રહ્યાં છે. ગઇકાલે સાંજનાં જૂનાગઢમાં આરએસએસનાં સ્વયં સેવકોનું પથસંચલન નિકળ્યું હતું. અંદાજે 3કિમી જેટલા પથસંચલનમાં 300 સ્વયં સેવકો જોડાયા હતાં.