બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ છેલ્લા કેટલાક સમયથી પોતાની આગામી ફિલ્મ ‘શ્રીકાંત’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ સિવાય અભિનેતા પોતાના લુક્સને લઈને પણ ટ્રેન્ડમાં છે. તેને લઈને અફવા ઉડી રહી છે, રાજકુમાર રાવે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હવે અભિનેતાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
હાલમાં જ રાજકુમાર રાવની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેનો ફેસ પહેલા કરતા મેચ્યોર જોવા મળી રહ્યો હતો. તેની ચિન પણ થોડી લાંબી જોવા મળી રહી હતી. નેટિઝન્સ પણ હેરાન થઈને પૂછી રહ્યા છે કે, તેને પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. ત્યારે હવે ‘શ્રીકાંત’ અભિનેતાએ પ્લાસ્ટિક સર્જરીના સમાચાર મામલે મૌન તોડ્યું છે.
- Advertisement -
રાજકુમાર રાવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘જો તમે મારી એક વાયરલ તસ્વીરો જોઈ છે, તો હું તમને જણાવી દઉં કે તે વ્યક્તિ મારી જેમ એકદમ દેખાઈ રહ્યો નથી. આ સાચ્ચે મારી માટે એક મજેદાર અને ફની હતું. કારણ કે, મારી આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે. મને લાગે છે કોઈએ મજાક કરી છે.’
અભિનેતાએ વધુમાં કહ્યું કે, ‘લોકો પ્લાસ્ટિક સર્જરી જેવા મોટા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા, પરંતુ મેં ક્યારેય પણ આ અફવાહોનાં ઘેરામાં આવ્યો નથી. મેં 8 વર્ષ પહેલા ચિન પર ફિલર્સ કરાવ્યું હતું કારણ કે, મને કોન્ફિડેન્ટ દેખાવું હતું. બસ આટલું જ.’