સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધા બાદ હવે સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યું
સુપ્રીમ કોર્ટે શુક્રવારે ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમકોર્ટના આદેશ પર હાઈકોર્ટે લીસ્ટ જાહેર કર્યું છે. જેને લઈ હવે 40 જજની જૂની પોઝિશન યથાવત રહેશે. મહત્વનું છે કે, આ અગાઉ સુપ્રીમ કોર્ટે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી હતી.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે ગત શુક્રવારે 12 મે ના રોજ ગુજરાત રાજ્યમાં જિલ્લા ન્યાયાધીશ તરીકે 68 ન્યાયિક અધિકારીઓની બઢતી પર રોક લગાવી દીધી છે. કોર્ટના આદેશને બાકી રાખીને મૂળ પોસ્ટ પર પાછા મોકલવામાં આવ્યા હતા. જસ્ટિસ એમ.આર શાહ અને જસ્ટિસ સીટી રવિકુમારની ખંડપીઠે આ નિર્ણય આપ્યો હતો. ન્યાયિક અધિકારીઓની બઢતી માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરાયેલી ભલામણનો અમલ કરવા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિણામલક્ષી નોટિફિકેશનને બેન્ચે સ્ટે આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એમ.આર.શાહે આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને ત્યાર બાદ કોર્ટે નોટિસ જાહેરકરી હતી. અમે હાઈકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે.
બેન્ચે તેના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે, હાલનો સ્ટે ઓર્ડર એવા પ્રમોટને લાગુ પડશે જેમના નામ મેરિટ લિસ્ટમાં પ્રથમ 68 ઉમેદવારોમાં નથ જસ્ટિસ શાહે કહ્યું કે, મેરીટ-કમ-વરિષ્ઠતાના સિદ્ધાંત પર અને યોગ્યતા કસોટીમાં પાસ થવા પર પ્રમોશન થવું જોઈએ. હાઈકોર્ટની ભલામણો અને સરકારની ત્યારબાદની સૂચના ગેરકાયદેસર છે.
- Advertisement -
મહત્વનું છે કે, ખંડપીઠે આખરે અરજીનો નિકાલ કર્યો નથી અને માત્ર પ્રમોશન પર રોક લગાવતો વચગાળાનો આદેશ આપ્યો છે. ખંડપીઠે નિર્દેશ આપ્યો હતો કે, સીજેઆઈ દ્વારા સોંપવામાં આવતા આ બાબતની સુનાવણી યોગ્ય બેંચ દ્વારા કરવામાં આવે, કારણ કે જસ્ટિસ શાહ 15 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.
જાણો શું હતો સમગ્ર મામલો ?
સુપ્રીમકોર્ટે ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સ્ટે મૂકેલ જજોમાં એ જજ પણ સામેલ હતા જેમણે રાહુલ ગાંધીના માનહાનિના કેસમાં સુનાવણી કરી હતી અને તેમને દોષિત ઠેરવતાં બે વર્ષની સજા કરી હતી. ગુજરાત સરકારના જ બે ન્યાયિક અધિકારીઓએ 65 ટકા પ્રમોશનના ક્વૉટા હેઠળ 68 જજોના પ્રમોશનને પડકાર્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 8 ઓગસ્ટે કરવામાં આવશે. જેના પર ફાઈનલ સુનાવણી સીજેઆઈ કરશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી.