સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ સંસદીય કાર્યકાળની શુભેચ્છા પાઠવી હતી.
- Advertisement -
આ વિશે ટ્વિટ કરતાં પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે ‘રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુધા મૂર્તિને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા છે. સામાજિક કાર્ય, પરોપકાર અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન અનુપમ અને પ્રેરણાદાયી રહ્યું છે. સુધા મૂર્તિની રાજ્યસભામાં હાજરી એ મહિલા શક્તિ માટે સન્માન હશે. ભારતના ભવિષ્યને ઘડવામાં મહિલાઓએ કેવી રીતે યોગદાન આપ્યું છે તેનું આ ઉદાહરણ હશે.
I am delighted that the President of India has nominated @SmtSudhaMurty Ji to the Rajya Sabha. Sudha Ji's contributions to diverse fields including social work, philanthropy and education have been immense and inspiring. Her presence in the Rajya Sabha is a powerful testament to… pic.twitter.com/lL2b0nVZ8F
— Narendra Modi (@narendramodi) March 8, 2024
- Advertisement -
જણાવી દઈએ કે 73 વર્ષીય સુધા મૂર્તિ એન્જિનિયર છે અને લેખક પણ છે. સાથે જ તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમનો જન્મ 19 ઓગસ્ટ 1950ના રોજ શિગાંવમાં થયો હતો. તેમના પતિનું નામ નારાયણ મૂર્તિ છે, જેઓ ઈન્ફોસિસના સહ-સ્થાપક છે. બંનેએ 1978માં લગ્ન કર્યા હતા. સુધા મૂર્તિ ઈન્ફોસિસ ફાઉન્ડેશનની ચેરપર્સન છે.