પ્રધાનમંત્રીના આગમન પૂર્વે તંત્રની તડામાર તૈયારીઓ
કૃષિ યુનિવર્સટી ખાતે 2 મેના રોજ 3 વાગ્યે સભા સંબોધશે
- Advertisement -
જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિત 15 વિધાનસભા બેઠક આવરી લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ દેશ ભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024નો ચૂંટણી જંગ જામ્યો છે.ત્યારે દેશમાં બે તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે હવે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવાનું છે જેમાં ગુજરાતની 25 બેઠકોનો સમાવેશ થાય છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણી સમયે પ્રથમ મુલાકાતે પધારી રહ્યા છે.ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે તા.2 મેના રોજ બપોરે 3 વાગ્યે વિશાળ જન સભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા મત ક્ષેત્ર મળી કુલ 15 જેટલી વિધાનસભા બેઠકો આવરી લેવામાં આવી છે. જયારે લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવાનું છે જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના જૂનાગઢથી લોકસભા બેઠકથી સિંહ ગર્જના કરશે.
- Advertisement -
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી ખાતે તા.2 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી સભા ગજવવા પધારવાના હોઈ ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરીને સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.જેમાં પોલીસ તંત્ર દ્વારા જૂનાગઢ સહીત અન્ય જિલ્લાની પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.અને કૃષિ યુનિવર્સીટી પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.જેમાં સભા સ્થળથી લઈને હેલિપેડ સુધી ચુસ્ત બંદોબસ્તનું આયોજન સાથે રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ એસપી હર્ષદ મેહતા અને જિલ્લાના ડીવાયએસપી સહીત પોલીસ વિભાગ દ્વારા સતત પ્રધાનમંત્રીના રૂટ નિરીક્ષણ સાથે સમીક્ષા બેઠકો યોજી કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.જયારે વહીવટી તંત્ર દ્વારા પણ પ્રધાનમંત્રી આગમન પૂર્વે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
પ્રધાનમંત્રીની લોકસભા ચૂંટણી સમયે પ્રથમ મુલાકાતે જૂનાગઢ પધારી રહ્યા છે ત્યારે એક તરફ ભારે ગરમી પડી રહી છે એવા સમયે ગુજરાત ભાજપ નેતાઓ 40 ડિગ્રીમાં જનમેદની એકત્ર કરવા પરસેવો પાડી રહ્યા છે સોરઠની ત્રણ લોકસભા બેઠક માટે જંગી જાહેરસભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં લાખોની જનમેદની એકત્ર કરવા એક પછી એક પ્રદેશ મોવડી મંડળ દ્વારા બેઠકોના દોર શરૂ કર્યા છે.અને જૂનાગઢ, પોરબંદર સાથે અમરેલી બેઠક સહીત કુલ 15 જેટલી વિધાનસભાના મત ક્ષેત્રો માંથી લાખોની જન સંખ્યા એકત્ર કરવા ભાજપ આગેવાનો અને કાર્યકરો ભારે ગરમીમાં પરસેવો પાડી રહ્યા છે.ત્યારે સભા સ્થળ સુધી લોકોને લઇ આવવા ખાનગી વાહનો સાથેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બપોરે ત્રણ વાગ્યે પ્રધાનમંત્રી પધારતા હોઈ ત્યારે અમરેલી અને પોરબંદર સાથે ગીર સોમનાથ જિલ્લાના ઉના સુધીથી ભાજપ સમર્થકોને વેહલી સવારથી ખાનગી વાહનો માટે રાવના કરવામાં આવશે.અને તેની ભોજન તેમજ પાણી સહીત સુવીધા ઉભી કરવામાં આવી રહી છે.