25 જાન્યુઆરીની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેપાળી કોંગ્રેસ, ઈઙગ-ઞખક, ઈઙગ (માઓવાદી કેન્દ્ર) અને જનતા સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી પર ચર્ચા: મધેશ ક્ષેત્રની પાર્ટીને પણ સામેલ કરવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નેપાળ, તા.7
- Advertisement -
નેપાળમાં ત્રણ પૂર્વ વડાપ્રધાનશેર બહાદુર દેઉબા, કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દાહલ પ્રચંડની પાર્ટીઓ સંસદના ઉપલા ગૃહ ‘રાષ્ટ્રીય સભા’ની ચૂંટણીને લઈને ગઠબંધન રચવાની તૈયારીમાં છે. આ સંભવિત ગઠબંધનમાં મધેશ ક્ષેત્રની એક પાર્ટીને પણ જોડવાની ચર્ચા ચાલી રહી છે.
નેપાળી કોંગ્રેસ, ઈઙગ-ઞખક, નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી અને જનતા સમાજવાદી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી તેમજ સંયુક્ત રણનીતિ પર બેઠકો યોજાઈ રહી છે. રાષ્ટ્રીય સભાની ચૂંટણી 25 જાન્યુઆરીએ યોજાવાની છે.
રાષ્ટ્રીય સભામાં કુલ 59 સભ્યો હોય છે, જેમાંથી દર બે વર્ષે એક તૃતીયાંશ સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થાય છે. આ વર્ષે 4 માર્ચે 18 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા હોવાથી તેમની જગ્યાઓ ભરવા માટે ચૂંટણી યોજાશે.
પ્રારંભિક ચર્ચાઓ અનુસાર ગઠબંધન હેઠળ કોંગ્રેસને 7 બેઠકો, ઞખકને 6 બેઠકો, નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીને 4 બેઠકો અને જનતા સમાજવાદી પાર્ટી નેપાળને 1 બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ અનુસાર, પાર્ટી મંગળવાર સુધીમાં પોતાના ઉમેદવારોના નામ નક્કી કરી શકે છે. સોમવારે સાંજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૂર્ણ બહાદુર ખડકા, રમેશ લેખક અને કૃષ્ણ પ્રસાદ સિટૌલાએ ઞખક અધ્યક્ષ કેપી શર્મા ઓલી અને મહાસચિવ શંકર પોખરેલ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં સીટ વહેંચણી પર ચર્ચા થઈ. જ્યારે ઞખકએ પણ પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે મંગળવારે પાર્ટી સચિવાલયની બેઠક બોલાવી છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, તમામ ઉમેદવારોએ બુધવારે એટલે કે 7 જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે.
કોંગ્રેસની કેન્દ્રીય કાર્યકારિણી સમિતિની બેઠકમાં ઉપાધ્યક્ષ પૂર્ણ બહાદુર ખડકાએ જણાવ્યું કે બંધારણ બનાવવામાં સામેલ રાજકીય શક્તિઓ રાષ્ટ્રીય સભા ચૂંટણી માટે એકજૂટ થવા પર સહમત છે.
કોંગ્રેસ અધ્યક્ષ શેર બહાદુર દેઉબા વતી ખડકાએ અગાઉ પણ કેપી શર્મા ઓલી સાથે ગઠબંધન અંગે વાતચીત કરી હતી. જોકે, કોંગ્રેસ અને ઞખક વચ્ચે આગામી સંસદીય ચૂંટણીઓ માટે પણ ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે, પરંતુ તેના પર હજુ કોઈ અંતિમ નિર્ણય થયો નથી. નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આ દિવસે દેશના નાગરિકો સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભા માટે મતદાન કરશે, જેમાં કુલ 275 સભ્યો ચૂંટાય છે. સંસદીય સચિવાલયના રેકોર્ડ મુજબ, માર્ચમાં સૌથી વધુ સભ્યો ઞખક પાર્ટી એટલે કે કેપી શર્મા ઓલીની પાર્ટીમાંથી નિવૃત્ત થશે. ઞખકના 8 સભ્યોનો કાર્યકાળ પૂરો થશે. ત્યારબાદ નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા પૂર્વ માઓવાદી સેન્ટરના 7 સભ્યો આગામી ચાર વર્ષમાં નિવૃત્ત થશે. રાષ્ટ્રીય સભાના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
માર્ચમાં ઈઙગ (યુનિફાઇડ સોશિયાલિસ્ટ), જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ અને લોકતાંત્રિક સમાજવાદી પાર્ટીનો એક-એક સભ્ય પણ નિવૃત્ત થશે. જ્યારે નેપાળી કોંગ્રેસના કોઈપણ સભ્યનો કાર્યકાળ આ સમયે સમાપ્ત થઈ રહ્યો નથી, જોકે તે ઉપલા ગૃહની બીજી સૌથી મોટી પાર્ટી છે.
રાષ્ટ્રીય સભાની 19 બેઠકોમાંથી 18 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જ્યારે એક સભ્યને સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવશે. બંધારણ મુજબ, રાષ્ટ્રીય સભા સંસદનું કાયમી ગૃહ છે. નીચલું ગૃહ એટલે કે પ્રતિનિધિ સભાને 12 સપ્ટેમ્બરે ભંગ કરવામાં આવી હતી.



