ઈઝરાઈલ અને હમાસ યુદ્ધને પગલે એર ઈન્ડીયાએ ઈઝરાઈલ જનારી તેની તમામ ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ઈઝરાઈલમાં ફસાયેલી બોલિવુડ એક્ટ્રેસ નુસરત ભરુચા સહિ-સલામત મુંબઈ પાછી ગઈ છે. તે ઈઝરાઈલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ફસાઈ ગઈ હતી અને રવિવારે તે મુંબઈ એરપોર્ટ પર ઉતરી ત્યારે ખૂબ ટેન્શનમાં દેખાતી હતી, તેના ચહેરા પર એક બાજુ જીવ બચી ગયાનો આનંદ પણ જોવા મળતો હતો. નુસરતનો આ વીડિયો મુંબઈ એરપોર્ટ પરથી સામે આવ્યો છે. જેવી એ એરપોર્ટ પર પહોંચી કે તરત જ મીડિયાને તેને ઘેરી લીધી હતી અને તેને ત્યાંની હાલત વિશે પૂછવા લાગદ્યાં હતા. જોકે નુસરતે આ અંગે કંઈ પણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો.
- Advertisement -
નુસરત ભરુચા કેમ ગઈ હતી ઈઝરાઈલમાં
નુસરત ભરુચા હાઈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈઝરાઈલમાં હતી અને આ દરમિયાન ઈઝરાઈલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરું થઈ ગયું હતું.
View this post on Instagram- Advertisement -
મીડિયાએ પૂછ્યું તો બોલી, મને ઘેર જવા દો
નુસરત પોતાનો જીવ બચાવીને ગમે તેમ કરીને પરત ફરી છે. તેના ચહેરા પર ખૂબ ટેન્શન દેખાતું હતું. પત્રકારોએ જ્યારે તેને પૂછ્યું કે ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું કે ‘હું ઘરે આવી છું, બસ મને ઘરે જવા દો.’ તેણે મીડિયાને વધુ કંઈ પણ કહેવા માટે થોડો સમય માંગ્યો હતો. ભીડમાંથી બહાર નીકળીને તે ગમે તેમ કરીને કારમાં બેસીને નીકળી ગઈ.