બિહારમાં એનડીએ સરકારે રસ્તા, પુલના કામ કરાવ્યા વડાપ્રધાને ચિરાગ પાસવાનને નાનો ભાઈ ગણાવ્યો
બિહારમાં મહાગઠબંધનનો સાથ ખોટો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ગુરુવારે એક જ મંચ પર આવ્યા હતા. લોકસભા બેઠક પહેલા બિહારના જમુઈમાં જનસભાને સંબોધન કરતાં નીતિશ કુમારે કહ્યું કે પોતે હવે ક્યારેય એનડીથી અલગ નહીં થાય.
નીતિશ કુમારે કહ્યું કે, બિહારમાં અમે મહાગઠબંધન સાથે ખોટે-ખોટું જોડાયા હતા, પરંતુ અમે જોયું કે ત્યાં ગડબડ થઈ રહી છે તો અમે અલગ થઈ ગયા. નીતિશ કુમારે પીએમ મોદી તરફ ઈશારો કરતા કહ્યું કે હવે અમે લોકો હંમેશા માટે એક થઈ ગયા છીએ. હવે ક્યારેય આમ-તેમ નહીં જઈએ. કેન્દ્રમાં વડાપ્રધાન મોદી 10 વર્ષથી છે અને કેટલું બધું કામ કરી રહ્યા છે. બિહાર માટે પણ ઘણું બધું કામ કરાવ્યું છે. રસ્તાનું કામ, પુલનું કામ, કેન્દ્ર સરકાર તરફથી આટલું બધું કામ કરાઈ રહ્યું છે.
- Advertisement -
નીતિશ કુમારે કહ્યું કે, પહેલા હિન્દુ મુસ્લિમના રમખાણો થતા હતા. તેથી મુસ્લિમ સમુદાયના લોકો પણ કહેશે કે ભૂલશો નહીં.
અમે લોકો હોઈશું ત્યાં સુધી હવે રમખાણો નહીં થાય અને ભૂલથી પણ ફરી તેમને વોટ આપશો તો વિપક્ષ ફરી રમખાણો શરૂ કરાવશે. આ જનસભામાં પીએમ મોદીએ ચિરાગ પાસવાને નાનો ભાઈ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આજે આ મંચ પર બિહારના પુત્ર, દલિતો-વંચિતોના પ્રિય અને મારા પ્રિય મિત્ર રામ વિલાસ પાસવાનની ખોટ સાલી રહી છે. મને સંતોષ છે કે તેમનો પુત્ર ચિરાગ પાસવાન તેમના વિચારોને ગંભીરતાપૂર્વક આગળ વધારી રહ્યો છે.