રાહુલ ગાંધીની ED ઓફિસમાં મની લોન્ડરિંગ કેસમાં પુછતાછ ચાલી રહી છે. આ પુછતાછ ચાલુ થાય તે પહેલા જ કોંગ્રેસના મોટા નેતાઓ દિલ્હી પહોંચ્યા અને શક્તિ પ્રદર્શન કર્યુ. હવે બીજેપીએ કોંગ્રેસના આ શક્તિ પ્રદર્શન પર નિશાન સાધ્યું છે. કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીને કેટલાક પ્રશ્નો પૂછયા અને કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જે નેતાઓ જેલથી બહાર બેલ પર છે તેઓ તપાસ એજન્સી પર દબાણ બનાવી રહ્યા છે. કોઇ પણ વ્યક્તિ કાનૂનથી મોટી હોતી નથી, રાહુલ ગાંધી પણ નહીં.
- Advertisement -
સ્મૃતિ ઇરાનીએ આપ્યુ આ વિશે નિવેદન
પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન સ્મૃતિ ઇરાનીએ ક્હ્યું કે, ભ્રષ્ટાચારના સમર્થનમાં આજે કોંગ્રેસ પાર્ટી મેદાનમાં ઉતરી છે. જેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને આમંત્રણ આપ્યું તેના પરિવાર વિશે આજે કેટલાક પ્રશ્નો પૂછવા માંગુ છું, કેટલીક વાતો સામે રાખવા માંગુ છું. જેઓ જેલની બહાર બેલ પર છે તેઓએ જાહેરાત કરી કે, આવો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરીએ કારણકે અમારો ભ્રષ્ટાચાર પકડાઇ ગયો છે. એક તપાસ એજન્સી પર દબાણ નાખવા માટે કોંગ્રેસ શાસિત રાજયોના વરિષ્ઠ નેતાઓ વિશેષ રૂપે આમંત્રણ આપ્યું હતુ. ખુલ્લેઆમ એક તપાસ એજન્સી પર દબાણ નાખીને કોંગ્રેસની આ રણનીતિને તમે શું નામ આફશો. ભ્રષ્ટાચારના કેટલાક મુદા પર રાહુલ ગાંધીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, તેના પર થોડો વિચાર કરો.
તેમણે વધુમાં કહ્યું કે, એક એવી કંપની વર્ષ 1930ના દશકાની આસપાસ બને છે, અને તેનું કામ છે ન્યુઝપેપર બહાર પાડવું. તે કંપનીનું નામ એસોસિએટેડ જર્નલ લિમિટેડ હતું. તે સમયે તેમના 5000થી વધુ શેર હોલ્ડર્સ સ્વાતંત્ર્ય સેનાની અને તેના પર ગાંધી પરિવારનો હક હતો. જે ન્યુઝપેપરના પ્રકાશન માટે સ્વતંત્રતા સેનાની શેર હોલ્ડર્સ નક્કી કરવામાં આવ્યા તેમના શેર હોલ્ડિંગના હકો એક જ પરિવારને આપી દીધા જેથી તેઓ ન્યુઝપેપરનું પ્રકાશન ના કરે, પરંતુ રિયલ સ્ટેટનો બિઝનેસ કરે.
भ्रष्टाचार के समर्थन में आज कांग्रेस पार्टी मैदान में उतरी है।
- Advertisement -
जो बेल पर हैं उन्होंने घोषणा की है कि 'आओ दिल्ली को घेरो, हमारा भ्रष्टाचार पकड़ा गया है।'
एक इन्वेस्टिगेशन एजेंसी पर दबाव डालने के लिए कांग्रेस के वरिष्ठ नेताओं को विशेष आमंत्रित किया गया है।
– श्रीमती @smritiirani pic.twitter.com/052dfrZ5nV
— BJP (@BJP4India) June 13, 2022