By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેશ પટેલની મહાન મથામણ: રણમેદાનમાં ઉતરવું નથી, પણ યુદ્ધ લડવું છે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > નરેશ પટેલની મહાન મથામણ: રણમેદાનમાં ઉતરવું નથી, પણ યુદ્ધ લડવું છે!
AuthorKinnar Acharya

નરેશ પટેલની મહાન મથામણ: રણમેદાનમાં ઉતરવું નથી, પણ યુદ્ધ લડવું છે!

Khaskhabar Editor
Last updated: 2022/01/15 at 1:12 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

નરેશભાઇ જો જ્ઞાતિનું ભલું ઇચ્છતા હોય તો તેમણે પોલીસને રજૂઆત કરવી જોઇએ કે, ‘જયેશ પટેલ અને નિખિલ દોંગાને બે ધોકાં વધુ મારજો!

કહેવાતાં અગ્રણીઓમાં સીધું જ રાજકીય સ્ટેન્ડ લેવાની ક્ષમતા કે હિંમત નથી હોતી, તેથી જ તેઓ પોતાની રાજકીય બંદૂક પછી જ્ઞાતિને ખભે રાખીને પોલિટિકલ ફાયરિંગ કરતા રહે છે

સૌરાષ્ટ્રમાં આજકાલ ઠેરઠેર એક સવાલ પૂછાઈ રહ્યો છે. શું નરેશ પટેલને સક્રિય રાજકારણમાં આવવું છે? શું તેઓ કોંગ્રેસમાં જોડાવા માંગે છે? આમ આદમી પાર્ટીમાં જોડાવા ધારે છે? શું તેઓ બિનરાજકીય આગેવાન છે? કે તેઓ નસનસથી કોંગ્રેસી છે? શું તેઓ જ્ઞાતિનાં ખભે બંદૂક રાખીને પોલિટિકલ ફાયરિંગ કરી રહ્યાં છે? કે ખરેખર તેમને રાજકારણ સાથે કશું લાગતું વળગતું નથી? નરેશ પટેલ એક વણઉકલ્યો કોયડો છે. એમને ખુલીને રમવું પણ નથી અને મેદાન છોડવું પણ નથી. થોડાં દિવસ પહેલાં ખોડલધામમાં તેમણે લેઉઆ પટેલ અગ્રણીઓની એક કહેવાતી બિનરાજકીય બેઠક રાખી હતી, આજે પાસિયા પટેલોને ઑફિસે બોલાવી ને બેઠક કરી. પાસિયાઓ તો રાજકીય કાર્યકરો જ છે. પરંતુ, ખોડલધામની બેઠકમાં રાબેતા મુજબ જ પોતાની નોન પોલિટિકલ મીટિંગમાં છૂટથી પોલિટિકલ વાતો કરી હતી. બેઠકમાં હાજર રહેલાં લોકોનાં કહેવા મુજબ નરેશ પટેલે આ મીટિંગમાં લેઉઆ પટેલોના ઘટતાં વર્ચસ્વ અંગે વાત કરી, તેમણે કહ્યું કે, “આપણે આપણી શાંતિનાં અધિકારીઓને સારું પોસ્ટિંગ પણ અપાવી શકતા નથી !” આ આખી દલિલ જ વિચિત્ર છે. રાજનીતિમાં સંખ્યા મુજબ કવોટા મેળવવાની વાત જ મૂળે બાલિશ છે. બીજું, જ્ઞાતિનાં અધિકારીઓને મલાઈદાર પોસ્ટિંગ આપવાની વાત તો તેનાં કરતા પણ ખતરનાક છે. શા માટે કોઈ એક અમલદારને પોસ્ટિંગ આપવવા જ્ઞાતિનું જોર લગાવવું પડે? શું અમલદારમાં પર્યાપ્ત કાર્યક્ષમતા અને સજ્જતા નથી? બિલકુલ છે. લેઉઆ પટેલ એક પ્રગતિશીલ, ખમતીધર, સક્ષમ સમાજ છે. નરેશ પટેલે ખોડલધામ બનાવ્યું એ પહેલાં પણ લેઉઆ પટેલો અને અન્ય પાટીદારો વિવિધ ક્ષેત્રોમાં કાઠું કાઢી ચૂક્યાં હતા. ઉદ્યોગ, જાહેર જીવન, રાજનીતિ, સમાજસેવા જેવી અગણિત બાબતોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર કરતાં પણ વધુ રહ્યું છે. પરંતુ લાગે છે કે, જ્ઞાતિની પૂરપાટ દોડતી ગાડીમાં કેટલાક હળાહળ જ્ઞાતિવાદી આગેવાન જાણે પંક્ચર કરવા માંગે છે અથવા તો ગાડીને રિવર્સમાં દોડાવવા ધારે છે.

Contents
નરેશભાઇ જો જ્ઞાતિનું ભલું ઇચ્છતા હોય તો તેમણે પોલીસને રજૂઆત કરવી જોઇએ કે, ‘જયેશ પટેલ અને નિખિલ દોંગાને બે ધોકાં વધુ મારજો!કહેવાતાં અગ્રણીઓમાં સીધું જ રાજકીય સ્ટેન્ડ લેવાની ક્ષમતા કે હિંમત નથી હોતી, તેથી જ તેઓ પોતાની રાજકીય બંદૂક પછી જ્ઞાતિને ખભે રાખીને પોલિટિકલ ફાયરિંગ કરતા રહે છે

હાર્દિક પટેલો અને નરેશ પટેલોને કારણે છેવટે તો પાટીદારોને જ પારાવાર નુકસાન થયું છે. આવા કહેવાતાં અગ્રણીઓમાં સીધું જ રાજકીય સ્ટેન્ડ લેવાની ક્ષમતા કે હિંમત નથી હોતી, તેથી જ તેઓ પોતાની રાજકીય બંદૂક પછી જ્ઞાતિને ખભે રાખીને પોલિટિકલ ફાયરિંગ કરતા રહે છે. રાષ્ટ્રીય સ્તરે આ જ પ્રવૃત્તિ મુસ્લિમો માટે અસદુદીન ઓવૈસી અને શાહી ઇમામ કરે છે. પણ લેઉઆ કે કડવા પાટીદારો કંઈ મુસ્લિમ નથી. તેઓ શિક્ષિત, સમજદાર અને સમૃદ્ધ છે. નરેશભાઈ ઝંખે તો પણ ઓવૈસી બની શકે તેમ નથી. હાર્દિક પણ નહીં

- Advertisement -

કહેવાય છે કે, ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં કુખ્યાત ક્રિમિનલ નિખિલ દોન્ગા અને જામનગરનાં માફિયા જયેશ પટેલની તરફેણમાં પણ ચર્ચા થઈ. સવાલ એ છે કે, ખોડલધામ જેવાં અતિ પવિત્ર તીર્થસ્થાનમાં નિખિલ કે જયેશ જેવાં તત્વોનું નામ પણ શા માટે લેવાવું જોઈએ? શું કુબેરપતિઓએ કરોડો-અબજોનું દાન અહીં એટલે આપ્યું છે કે, ભવિષ્યમાં ત્યાં નિખિલ દોન્ગાઓ અને જયેશ પટેલો જેવાં અનિષ્ટોને બચાવવા બેઠકો યોજાઈ શકે?
જો નરેશ પટેલ પોતાને જ્ઞાતિના એક પ્રતિબદ્ધ, પ્રગતિશીલ સૈનિક માનતા હોય તો તેમણે સામે ચાલીને નિખિલ અને જયેશ એન્ડ કંપનીને બે ધોકા વધુ મારવાની ભલામણ કરવી જોઈએ. આદર્શ સ્થિતિ આ જ છે. સૌથી પહેલાં તો નરેશભાઈને કોઈ સમજુ વ્યક્તિએ ગળે ઉતારવું જોઈએ કે, નિખિલ અને જયેશ એ જ્ઞાતિનું ગૌરવ નથી, શરમ છે. કોઈપણ સમજુ પાટીદાર, કોમન સેન્સ ધરાવતો જ્ઞાતિજન આ વાત સ્વીકારશે.

જામનગરનો જયેશ પટેલ બ્રિટનમાં બેઠો-બેઠો જામનગરમાં માફિયા નેટવર્ક ચલાવે છે. તેનાં નામે ત્રણ ડઝનથી વધુ ગંભીર ગુનાઓ છે. હત્યા, ખંડણી, પેશકદમી… કોઈ એવો ગંભીર ગુનો નથી. જે જયેશ પટેલને નામે ન બોલતો હોય. કહેવાય છે કે, તેનાં સાગરીતોએ પંથકમાં કાળો કેર વર્તાવ્યો હતો. ખંડણીખોરીથી બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ ત્રસ્ત હતાં. છેવટે રિલાયન્સ જૂથના પરિમલ નથવાણી એ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો કરીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરાવી. જે પગલાં લેવાયાં તે યોગ્ય જ હતાં. જયેશનો પડ્યો બોલ ઝીલીને લોકોને કનડતાં તેના સાગરીતોને ’ગુજસીટોક’ના નવા સખત કાનૂન હેઠળ પૂરી દેવામાં આવ્યા. નિખિલ દોન્ગા પણ મહામાયા છે. છેલ્લાં એક દાયકામાં તેણે 117 ગંભીર ગુનાઓ કર્યા છે. હત્યા, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ, મિલકતો પચાવી પાડવી, જેલમાંથી ગુનાખોરીનું નેટવર્ક… આવા અનેક ક્રાઇમ તેને નામે બોલે છે.

શું આવા તત્વોને બચાવવા માટે બેઠક કરવાની હોય? ખોડલધામ એક દિવ્ય અને ઊર્જાસભર તીર્થ છે. ત્યાં ધર્મ-અધ્યાત્મ અને શિક્ષણ સિવાય કોઈ બાબતની ચર્ચા જ ન થવી જોઈએ. પરંતુ નરેશ પટેલની આ જૂની સ્ટાઈલ છે અને હવે મોટા ભાગના લોકો તેમની આ શૈલી જાણી ચૂક્યા છે. અગાઉ તેમણે કેશુભાઈ પટેલને ભાજપ-મોદી વિરોધ માટે ખોડલધામનો મંચ પૂરો પાડ્યો હતો. ત્યારે કેશુભાઈએ મોદી માટે ’ઢૂંઢીયો રાક્ષસ’ જેવો હલકો શબ્દ પ્રયોગ પણ કર્યો હતો. ગત વિધાનસભા ચૂંટણી વખતે તેમના પુત્રએ કોંગેસનાં ઉમેદવાર માટે પ્રચાર પણ કર્યો. ઉદાહરણો અગણિત છે. તેમનો કોંગ્રેસપ્રેમ અને ભાજપદ્વેષ કોઈનાથી છાના નથી. હા ! તેઓ જાહેરમાં એ સ્વીકારતાં નથી એ અલગ વાત છે. બેશક, દરેક વ્યક્તિની રાજકીય વિચારધારા અલગ હોય. પરંતુ અંગત રાગદ્વેષ અને અંગત ઈરાદાઓ પાર પાડવા માટે જ્ઞાતિ અને ધર્મસ્થાનનો ઉપયોગ એ જ કરે- જેમનામાં સીધા રાજકીય મેદાનમાં આવવાની નૈતિક હિંમત ન હોય.

- Advertisement -

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રુબિયા અપહરણ કાંડ: ષડયંત્ર કે સ્વરચિત?
Next Article વિરાગ એટલે વૈરાગ્ય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?