જોધપુરમાં અમિત શાહે કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર
રાહુલ ગાંધીને હવે લોકશાહી વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી: જે કોઈ ભ્રષ્ટાચાર કરશે તે જેલના સળિયા પાછળ જશે: અમિત શાહ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.2
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને હવે લોકશાહી વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે તેમના દાદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી દરમિયાન લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા અને રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ‘લોકશાહી બચાવો’ રેલીને લઈને ‘ઈંગઉઈંઅ’ ગઠબંધન પર વળતો પ્રહાર કરતા તેમણે કહ્યું, તમે ગમે તેટલા પક્ષો ભેગા કરો, ફક્ત મોદી જ આવશે.
જોધપુરમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ગૃહમંત્રીએ કહ્યું કે જે કોઈ ભ્રષ્ટાચારમાં સામેલ થશે તે જેલના સળિયા પાછળ જશે. તેમણે કહ્યું કે દેશની જનતા નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે તૈયાર છે અને તેમના આગામી કાર્યકાળમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. શાહે કહ્યું, ‘તેઓ લોકશાહી બચાવવાની વાત કરે છે, રાહુલ બાબા, તમારી દાદીએ ઇમરજન્સી દરમિયાન લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા, રાજકીય પક્ષો પર પ્રતિબંધ મૂક્યો હતો, તમને લોકશાહીની વાત કરવાનો કોઈ અધિકાર નથી.
- Advertisement -
ગઠબંધન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, ‘આ કુળ એકત્ર થયું છે ગઈકાલે તેઓએ કહ્યું કે લોકશાહી બચાવો. કેમ, લોકશાહીને શું થયું છે? આ દેશની જનતા મતદાન કરવા જઈ રહી છે. નક્કી કરશે. લોકશાહી બચાવવાની વાત કેમ કરો છો? તેઓ કહી રહ્યા છે કે અમારા નેતાઓ જેલમાં ગયા. ભાઈ, મને કહો કે તમે 12 લાખ કરોડનું કૌભાંડ કરશો તો તમે જેલમાં જશો કે નહીં? રાહુલ ગાંધીએ ગઈકાલની રેલીમાં આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લોકસભા ચૂંટણીમાં ‘મેચ ફિક્સિંગ’ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી જંગી બહુમતીથી ચૂંટણી જીતીને બંધારણને ખતમ કરી શકાય.
આ અંગે કટાક્ષ કરતાં શાહે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ બાબા, સાંભળો તમે ફરિયાદ કેમ કરો છો, અમે 2014 અને 2019માં પણ કર્યું હતું. અમે ચૂંટણી લડ્યા હતા કે જે કોઈ ભ્રષ્ટાચાર કરશે તે જેલના સળિયા પાછળ જશે. શાહે કહ્યું, ‘મિત્રો, આ લોકો સરકાર બનાવવાનું સપનું જોઈ રહ્યા છે, ભલે ગમે તેટલી પાર્ટીઓ ભેગા થાય, મોદી જ આવશે.’ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની ગણતરી કરતા શાહે કહ્યું કે અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઘણું કામ કર્યું છે.